કચ્છ જીલ્લો


કચ્છ


જિલ્લામથક :
  • ભુજ

  • જિલ્લાની રચના

  • ૧ મે, ૧૯૬૦ ગુજરાત રાજ્યની સ્થપના સમયે કચ્છ જિલ્લાની રચના કરવામાં આવી હતી.

  • ક્ષેત્રફળ:
  • ૪૫૬૫૨ચો. કિમી.

  • સ્થાન અને સીમા

    → પૂર્વ : રાજસ્થાન રાજ્ય અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લો
    → પશ્ચિમ : અરબ સાગર
    → ઉત્તર : કચ્છ જિલ્લા ની ઉત્તરે ૫૧૨ કિલોમીટર લાંબી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ
    → દક્ષિણ : અરબ સાગર

    તાલુકાઓ

    1. ભુજ
    2. લખપત
    3. અબડાસા (નલિયા)
    4. નખત્રાણા
    5. માંડવી
    6. મુન્દ્રા
    7. અંજાર
    8. ભચાઉ
    9. રાપર
    10. ગાંધીધામ


    વાહનનો RTO રજીસ્ટ્રેશન નંબર :
    → GJ-૧૨


    → રુક્માવતી, સુવિ, માલણ , સારણ, ચાંગ, નારા, ખાટી, કાલી, કનકાવતી, ઘુરુડ, મિતિ, પંજોરા, સાકર, રુદ્રમાતા, ભૂખી, વેખડી, ખારોડ

    નદીકિનારે વસેલાં શહેર

    → રામપર વેકરા જે રુકમાવતી નદી પર આવેલું છે.


    ડુંગર

    → ભૂજિયો , ધિણોધર, કન્થકોટ, હબા, ખાવડો, લીલિયો, ગારો, ખાત્રોડ, કીરો , ધબવો, માંડવા, જૂરા, વરાર, ઉમિયા, ખડિયો

    બંદર

    કંડલા
    → કાટેશ્વર
    → જખૌ
    →માંડવી
    → મુંદ્રા
    → તૃણા


    પાક

    → આ જિલ્લામાં બાજરી, જુવાર, ઈસબગુલ, મેઢી આવળ વગેરેના પાક થાય છે.
    → ગુજરાતમાં ખારેક અને ખજૂર (ખલેલા)ના ઉત્પાદનમાં કચ્છ પ્રથમ સ્થાને છે.


    સંશોધન કેન્દ્ર

    → એગ્રિકલ્ચર રિસર્ચ સ્ટેશન, ભચાઉ

    → ડેટ પામ રિસર્ચ સ્ટેશન, મુંદ્રા (સમગ્ર દેશનું એકમાત્ર ખારેક સંશોધન કેન્દ્ર)


    ઉચ્ચ પ્રદેશો

    → કચ્છનો ડુંગરાળ પ્રદેશ ત્રણ વિભાગમાં વહેચાયેલો છે. ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર.




    સિંચાઈ યોજના

    રુદ્રમાતા ડેમ ખારી નદી પર ખાવડા નજીક આવેલો છે. તા. ભૂજ

    ખેંગાર સાગર ડેમ ભૂખી નદી પર આવેલો છે. તા. મુંદ્રા

    વિજયસાગર ડેમ રૂકમાવતી નદી પર આવેલો છે. તા. માંડવી

    ભૂખી ડેમ ભૂખી નદી પર આવેલો છે. તા. નખત્રાણા

    ફતેહગઢ ડેમ માલણ નદી પર આવેલો છે. તા. રાપર


    વિદ્યુતમથક

    → કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં પાનન્ધ્રો ગામ નજીક કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન આવેલું છે.

    → આ પાવર સ્ટેશનમાં કુલ 290 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 70 મેગાવોટના બે એકમો અને 75 મેગાવોટના બે એકમો છે.


    અભયારણ્ય

    → ગુજરાતનાં એક જ જીલ્લામાં સૌથી વધુ અભ્યારણ્ય કચ્છ જીલ્લામાં આવેલા છે. જેની સંખ્યા 4 છે.
    → વિસ્તારની દ્રષ્ટી એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય જે રાપર તાલુકામાં આવેલું છે.
    ઘોરાડ પક્ષી અભયારણ્ય (કચ્છ અભયારણ્ય) જે અબડાસા તાલુકામાં આવેલું છે.
    → વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાત રાજ્યનું સૌથી નાનું અભયારણ્ય કચ્છ અભયારણ્ય જે અબડાસા તાલુકામાં આવેલું છે.
    નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય જે લખપત તાલુકામાં આવેલું છે.
    ઘૂડખર અભયારણ્ય જે રાપર તાલુકામાં આવેલું છે.


    ડેરી ઉદ્યોગ

    → સરહદ ડેરી (તા. અંજાર)
    → માધાપર ડેરી (તા. ભૂજ)


    ખનીજ ઉદ્યોગ

    → લિગ્નાઇટ, બેંન્ટોનાઇટ અને ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં કચ્છ ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
    → ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે મળી આવે છે.
    → ચિરોડી, ફાયર કલે, મુલતાની માટી વગેરે ખનીજો મળી આવે છે.


    ઉદ્યોગો

    → અંજારમાં છરી, ચપ્પાં, સુડી વગેરે બનાવવાનો ઉદ્યોગ છે.
    → કંડલા ખાતે ઇફકો ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ-IFFCO)નું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. (બીજું કારખાનું ગાંધીનગરના કલોલ ખાતે અને ત્રીજું સુરતનાં હજીરા ખાતે આવેલું છે.)
    → કચ્છમાં રાખદાની, પાનદાની, ફૂલદાની વગેરે બનાવવાનો ઉધોગો વિકસ્યો છે.
    → પાન્ધ્રો અને કંડલામાં થર્મલ વિધુતમથક છે.
    → ભુજ સોના- ચાંદીના કલાત્મક આભૂષણો માટે જાણીતું છે.
    → ભુજ, માંડવી અને અંજારમાં ચુંદડી, સાફા, ચાદર, રૂમાલ વગેરે પર રંગતી કરવામાં આવે છે.
    → માંડવીના મોચી અને ખાવડાના મતવા કોમના લોકો મોચી ભરત કરે છે.


    રાષ્ટ્રીય ધોરી માર્ગ

    → ૪૧, ૧૪૧ અને ૨૭ રાષ્ટ્રીય ધોરી માર્ગો આ જીલ્લામાંથી પસાર થાય છે.

    હવાઈ મથક

    → રૂદ્રમાતા હવાઈ મથક (તા.ભૂજ)


    રેલવે સ્ટેશન

    → ભૂજ, ગાંધીધામ, ભચાઉ, અંજાર વગેરે


    વાવ

    → દુધિયા વાવ : ભદ્રેશ્વર, તા. મુંદ્રા
    → સેલોર વાવ : મુંદ્રા

    તળાવ અને કુંડ

    → અલીયાસર તળાવ : તા. અબડાસા
    → કુલસર તળાવ જે ભદ્રેશ્વર, તા. મુંદ્રા માં આવેલું છે.
    → ગંગાજી અને જમનાજી કુંડ જે રામપર વેકરા, તા. માંડવીમાં આવેલા છે.
    → ચકાસર તળાવ જે શંખાસર, તા. અંજાર ખાતે આવેલું છે.
    → દેસલપર, રામપુર અને હમીરસર તળાવ જે ભુજમાં આવેલું છે.
    → નારાયણ સરોવર જે કાલીકુંડ ખાતે આવેલું છે.
    → પાંડવ કુંડ અને પાંડવ કુંડ વાવ જે ભદ્રેશ્વર, તા. મુંદ્રા માં આવેલો છે.
    → સીતારામ કુંડ : કોટેશ્વર, તા. લખપત
    → નારાયણ સરોવર : કાલિકુંડ, તા. લખપત

    લોકમેળો

    → કારતક સુદ પુનમનો ગંગાજીનો મિલો જે રામપર વેકરા ખાતે ભરાય છે.
    → ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો.
    જખનો મેળો જે કાકભીઠમાં નખત્રાણા પાસે
    રવેચીનો મેળો જે રાપર ખાતે ભરાય છે.

    જોવાલાયક સ્થળો


    સ્થળનું નામ વર્ણન
    માતાનો મઢ હિન્દુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
    કોટેશ્વર હિન્દુ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર
    નારાયણ સરોવર હિન્દુ તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર
    હાજીપીર મુસ્લિમ ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
    જેસલ-તોરલ સમાધી અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધી
    છતરડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)
    લાખા ફૂલાણીની છતરડી કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી
    સૂર્યમંદિર કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
    પુંઅરો ગઢ નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ
    લખપતનો કિલ્લો શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહેણથી સપાટ બનેલી ભૂમિ
    કંથકોટનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
    તેરાનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
    મણીયારો ગઢ શિલ્પ સ્થાપત્ય
    ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ
    કંથકોટ પુરાતત્વ
    અંધૌ પુરાતત્વ
    આયનામહેલ સંગ્રહાલય, રાજમહેલ-ભુજ
    પ્રાગ મહેલ રાજમહેલ-ભુજ
    વિજયવિલાસ પૅલેસ રાજમહેલ-માંડવી
    વાંઢાય તીર્થધામ
    ધ્રંગ તીર્થધામ, મેકરણદાદાનું મંદિર
    રવેચીમાનું મંદિર રવ તીર્થધામ
    પીંગલેશ્વર મહાદેવ પર્યટન સ્થળ, દરિયાકાંઠો
    જખ બોંતેરા (મોટા યક્ષ) ધાર્મિક સ્થળ
    જખ બોંતેરા (નાના યક્ષ) ધાર્મિક સ્થળ
    પુંઅરેશ્વર મહાદેવ પર્યટન, ધાર્મિક સ્થળ
    બિલેશ્વર મહાદેવ પર્યટન, ધાર્મિક સ્થળ
    ધોંસા પર્યટન, ધાર્મિક સ્થળ
    કાળો ડુંગર ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર
    ધીણોધર ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય
    ઝારાનો ડુંગર ઐતિહાસિક ડુંગર
    મોટું રણ સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર
    નાનું રણ રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન
    ભદ્રેસર જૈનોનું તીર્થધામ , ભામાશાનું જન્મ સ્થળ
    બૌતેર જિનાલય-કોડાય જૈનોનું તીર્થધામ
    કંડલા મહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)
    માંડવી બંદર, પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ
    જખૌ મત્સ્ય બંદર
    મુન્દ્રા ખાનગી બંદર
    અંબેધામ-ગોધરા (તા.માંડવી) તીર્થસ્થળ
    મતિયાદેવ-ગુડથર ધાર્મિક સ્થળ
    ચંદરવો ડુંગર ધાર્મિક સ્થળ
    સચ્ચીદાનંદ મંદિર-અંજાર ધાર્મિક સ્થળ
    લુણીવારા લુણંગદેવ ધાર્મિક સ્થળ
    બગથડા યાત્રાધામ ધાર્મિક સ્થળ
    ખેતાબાપાની છતરડી ધાર્મિક સ્થળ
    ભિખુ ઋષિ-લાખાણી ડુંગર ધાર્મિક સ્થળ
    એકલમાતા રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય
    નનામો ડુંગર ઐતિહાસિક ડુંગર
    રોહાનો કિલ્લો ઐતિહાસિક કિલ્લો
    લાખાજી છતેડી --
    મોટી રુદ્રાણી જાગીર ધાર્મિક સ્થળ
    રુદ્રમાતા ડેમ પ્રાકૃતિક સૌદર્ય
    છારીઢંઢ પ્રાકૃતિક પક્ષી સૌદર્ય
    રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર) ધાર્મિક સ્થળ
    ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ) ધાર્મિક સ્થળ
    ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ ધાર્મિક સ્થળ
    કચ્છ મ્યૂઝિયમ ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય
    વિથૉણ ખેતાબાપા મંદિર/ધાર્મિક, પર્યટન સ્થળ
    નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ‍‍‍(ભુજ) ધાર્મિક સ્થળ
    નિર્વાસીતેશ્વર મંદીર ધાર્મિક સ્થળ, આદિપુર
    કચ્છ સમર્પણ આશ્રમ યોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે
    શિવમસ્તુ સમવસરણ તીર્થ જૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે
    ગાંધી સમાધી રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર
    ક્રાંતિતીર્થ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી
    એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ

    વિશેષતા

    → કર્કવૃત્ત કચ્છ જીલ્લાના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.
    → વિસ્તારનીદ્રષ્ટીએ કચ્છ જીલ્લો ભારતનો સૌથી મોટો જીલ્લો છે.
    → કચ્છ જીલ્લો એ ગુજરાત રાજ્યનો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જીલ્લો છે.
    → ગુજરાત રાજ્યમાં મેન્ગ્રોવ જંગલો ધરાવતો સૌથી મોટો જીલ્લો છે.
    → ગુજરાત રાજ્યનો સૌથી લાંબો દરિયાકિનારો કચ્છ જીલ્લામાં આવેલો છે.
    → ગુજરાતમાં સૌથી વધારે નદીઓ કચ્છ જીલ્લામાં આવેલી છે, નદીઓની સંખ્યા ૯૭.
    → ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝીયમ : કચ્છ મ્યુઝીયમ જે ભુજમાં આવેલું છે.
    → કચ્છ દરિયાકિનારાનો મેદાની પ્રદેશ કંઠીનું મેદાન કહેવાય છે.
    → કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ ને વાગડનું મેદાન કહે છે.
    → ભૂજિયો કિલ્લ (રાવ ગોડજી), ભુજંગનાગનું મંદિર, શરદબાગ પેલેસ, પ્રાગમહાલ, આયના મહેલ (લખપતસિહજી), સ્વામિનારાયણ મંદિર ભુજ માં આવેલ છે.