→ લાલ કે ગુલાબી રંગના અને પ્રાય: હાથે ઘડેલા મૃતપાત્ર પ્રાપ્ત થયા છે.
→ અહીંયાથી મોટું સ્નાનાગાર મળ્યું છે.
→ અહીંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે.
→ અહીં ઘરેણાં બનાવવાની દુકાનોની મોટી હાર પણ મળી આવી છે.
→ અહીંથી વિવિધ ઓજારો બનવવાનાં સાધબો મળ્યા છે.
→ મળતા અવશેષો સૂચવે છે કે ધોળાવીરા એ વેપાર –વાણિજ્યનું મોટું કેન્દ્ર હોવું જોઈએ.
→ અહીં શંખ,ધાતુની બંગડીઓ, મણકા, વીંટીઓ, સોનાનાં ઘરેણાં, વિવિધ પ્રકારના મણકા, તાંબાની ભઠ્ઠી, ઓજારો બનવવાનાં ઉપકરણો વગેરે પ્રાપ્ત થયાં છે.
→ ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરનાં “સાઈનબોર્ડ”ને વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે.
→ અહીંથી હડપ્પીયન લિપિ જેવી લિપિનાં લખાણ પણ મળ્યા છે, જે વિશ્વની પ્રાચીન લિપિમાં સ્થાન પામ્યા છે.
→ ઉત્ખનન દરમિયાન ધોળાવીરામાં અવનવા ભાવો વ્યક્ત કરતાં મુખવટાઑ મળી આવ્યા છે. જે બતાવે છે કે ધોળાવીરામાં નાટ્યકલા હતી. આમ, નાટ્યકલા ભારત ગ્રીસ અને રોમન કરતાં ઘણાં વર્ષો આગળ હતું.
→ ભૂકંપ પછી મકાનની બંધની ચોરસ કે લંબચોરણની બદલે ગોળબાનવવામાં આવતા.
→ ધોળાવીરામાંથી પોલીશદર સફેદ પાષાણખંડ મળ્યા છે.
→ અહિયાં કૃત્રિમ ડેમ બાનવવામાં આવેલો છે.
→ ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિનાં નયા નગરોની જેમ સમાંતરભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે.
નગરનું પતન
→ આ વસાહતનો સમય ઈ.સ. પૂર્વે 2500 થી 1900 સુધીનો માનવામાં આવે છે.
→ કચ્છમાં મળેલું હડપ્પીયન સંસ્કૃતિનું આ નગરનું પાટણ કોઈક કુદરતી ઉપદ્રવને લીધે થયું હોય એવું માનવામાં આવે છે.
અન્ય તથ્યો
→ ઇસરો એ સેટેલાઇટની મદદથી ધોળાવીરા થી 24 કિલોમીટર દૂરની મચ્છીબેટ બોર્ડર આઉટપોસ્ટ પાસે મીઠાના અગરની નીચે આવેલા “મરુડા ટક્કર” નામની ટેકરીઓમાંથી 15000 વર્ષ જૂના નગરની શોધ કરી છે.
→ તે પાકિસ્તાનથી માત્ર 12 કિલોમીટર જેટલી દૂર છે.
→ સૌપ્રથમ શોધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા એ ઈ.સ. 1997માં કરેલી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇