→ તેઓ શૂરવીર સરદાર, ગોરીલ્લા (છાપામાર) યુદ્ધનીતિના કુશળ ઘડવૈયા અને રાષ્ટ્રનિર્માતા હતાં.
→ તેમણે મરાઠાઓમાં દેશભક્તિ, સાહસ, આત્મવિશ્વાસ, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રગટ કરી હતી.
→ શિવાજીએ વર્ષ 1653 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્વરાજ્યની સ્થાપના કરી અને પોતાની જાગીરમાં પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.
→ શિવાજીની રાષ્ટ્રભક્તિથી પ્રસન્ન થઈને ગોવલકર સાવંતે તેમને એક તલવાર ભેટ આપી હતી. શિવાજીએ આ તલવારનું નામ ભવાની તલવાર રાખ્યું હતું. આ તલવાર ઇંગ્લેન્ડના ઈન્ડિયન મ્યુઝિયમમાં હયાત છે.
→ 6 જુન, 1674ના રોજ શિવાજીએ રાયગઢના કિલ્લામાં શ્રી વિશ્વેશ્વર ગંગાધર પાસે તેમનો રાજ્યાભિષેક કરાવી શાસ્ત્રીય વિધિ પ્રમાણે છત્રપતિ નામની ઉપાધિ ધારણ કરી હતી. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રીય ધ્વજ તરીકે ભગવો ધ્વજ લહેરાવ્યો હતો.
→ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતાં.
→ શિવાજીએ ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવાનું વ્રત લીધું હતું અને હિન્દુત્વ-ધર્મોદ્ધારક ની ઉપાધિ મેળવી હતી.
→ તેમના મંત્રીમંડળમાં આઠ પ્રધાનો હતા તેથી તેમનું મંત્રીમંડળ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતું હતું.
→ છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ તોરણગઢનો કિલ્લો જીત્યો હતો. ત્યારબાદ તેમણે સિંહગઢ, ચાકન, કોંકણ, રોહિડા, પૂરંદર, બારામતી, સૂયા, તિકોના અને લોહગઢના કિલ્લાઓ જીત્યા હતાં.
પુરંદરની સંધિ
→ બીજાપુરના સુલતાન આદિલશાહે પોતાના સેનાપતિ અફઝલ ખાનને વર્ષ 1655માં શિવાજીને પરાજીત કરવા માટે મોકલ્યો ત્યારે શિવાજીએ અફઝલ ખાનને યુદ્ધમાં પરાજિત કરી મારી નાંખ્યો હતો. આ ઉપરાંત મુઘલ સમ્રાટ ઔરંગઝેબે સાઇસ્તખાનને શિવાજી પર આક્રમણ કરવા મોકલ્યા પરંતુ શિવાજીએ પૂનેમાં લા મહલ પર હુમલો કરી સાઇસ્તખાનને ભગાડયા હતા.
→ વર્ષ 1665માં શિવાજી અને ઔરંગઝેબના સેનાપતિ રાજા જયસિંહ વચ્ચે પુરંદરની સંધિ થઈ હતી, આ સંધિ મુજબ શિવાજી ઔરંગઝેબને મળવા આગ્રા ગયા ત્યારે તેમને કેદ કરીને જયપુર ભવનમાં રખાયા હતાં, પરંતુ શિવાજી ચતુરાઇથી કેદમાંથી ભાગી ગયા હતાં.
→ શિવાજીએ વર્ષ 1664 અને વર્ષ 1670માં એમ બે વાર મુઘલ સામ્રાજ્યના સમૃદ્ધ સુરત બંદરને લૂંટયું હતું.
→ શિવાજીએ ભારતમાં સૌપ્રથમ નૌકાદળની સ્થાપના કરી હતી.
→ શિવાજીએ માતા જીજાબાઈના કહેવાથી મુઘલ તાબા હેઠળના દક્ષિણના નાક સમાન સિંહગઢનો કિલ્લો જીત્યો હતો પણ કિલ્લેદાર ઉદયભાણની તલવારના ઘા થી શિવાજીના સરદાર તાનાજીનું મૃત્યુ થયું હતું ત્યારે શિવાજીએ ગઢ આલા પરંતુ સિંહ ગેલા જગપ્રસિદ્ધ ઉક્તિ ઉચ્ચારી હતી.
→ શિવાજીની કરપ્રણાલીમાં મુખ્ય ચોથ અને સરદેશમુખી નો સમાવેશ થતો હતો.
→ મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2016માં શિવાજીની યાદમાં અરબ સાગરમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. જેની ઊંચાઈ 212 મીટર હશે.
શિવાજીના વિજયો
→ શિવાજીના પિતા શાહજીએ તેમને 12 વર્ષની વયે પુનાની જાગીરદારી સોંપી હતી.
→ ઈ.સ. 1646માં શિવાજીએ સૌપ્રથમ તોરલગઢનો કિલ્લો જીત્યો હતો.
→ ઈ.સ. 1647માં કોંકણ અને રાયગઢ કિલ્લા જીત્યા તેમજ પુરંદર, રોહિડા, તિકોના, લોહગઢ વગેરે કિલ્લાઓ જીત્યા હતા.
→ તેમણે માવલાજાતિના લોકોનું સંગઠન બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગેરીલા યુદ્ધ પદ્ધતિ પણ વિકસાવી હતી.
→ શિવાજીના વિજયો અને વધતી જતી સત્તા બિજાપુરની સલ્તનત માટે ખતરારૂપ લાગતા સુલતાન આદિલશાહે અફઝલખાન નામના સેનાપતિને 1200 સૈનિકો સાથે શિવાજીને કેદ કરવા મોકલ્યો હતો. પરંતુ પ્રતાપગઢ પાસેના “પાર' ગામે મુલાકાતમાં શિવાજીએ વાઘનખ અને બખ્તરની મદદથી અફઝલખાન સાથે ભેટતી સમયે સમય સૂચકતા વાપરી અફઝલખાનનો વાથનખથી વધ કર્યો હતો. આ બનાવથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ચોંકી ઉઠયા.
→ તેમણે ઈ.સ. 1656માં સાઈસ્તખાનને શિવાજી પર આક્રમણ કરવા મોકલ્યા પરંતુ શિવાજીએ ઈ.સ. 1663માં પૂણેમાં ‘લાલ મહલ' પર હુમલો કરી સાઈસ્તખાનને ભગાડયા.
→ આ આક્રમણના કારણે મુઘલ સેનાને ઘણું નુકસાન થયું હતું તથા શિવાજીની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો.
→ ઔરંગઝેબે સાઈસ્તાનખાનને નિષ્ફળતા મળવાથી આમેરના મિર્જા રાજા જયસિંહને શિવાજી સાથે લડવા મોકલ્યા હતા. જેમાં જયસિંહની જીત થઈ હતી.
→ તેથી પુરંદરમાં મુઘલોનો વિજય થયો હતો અને રાયગઢમાં પણ ઘેરાબંદી કરી ઈ.સ. 1665માં શિવાજીએ 'પુરંદરની સંધિ' કરી હતી. પુરંદરની આ સંધિ શિવાજી અને જયસિંહ વચ્ચે થઈ હતી.
→ ઈ.સ. 1666 શિવાજી જયસિંહના આશ્વાસન પર ઔરંગઝેબને મળવા આગ્રા આવ્યા, પરંતુ દરબારમાં યોગ્ય સન્માન ન મળવાથી દરબારમાંથી ઉઠી ગયા.
→ ઔરંગઝેબે તેમને કેદ કરી લીધા અને "જયપુર ભવન' આગ્રામાં નજરકેદ રાખ્યા હતા.
→ પરંતુ હોંશિયારીથી શિવાજી ત્યાંથી બહાર નીકળી ગયા હતા.
→ શિવાજીએ ઈ.સ. 1664 અને ઈ.સ. 1670માં મુઘલ સામ્રાજ્યનું સમૃધ્ધ બંદર સૂરત લૂંટ્યું હતું.
→ ઈ.સ. 1670માં શિવાજીએ સિંહગઢનો કિલ્લો મેળવવા માટે કરેલા સંઘર્ષ દરમિયાન તાનાજી માલસુરે નામના સરદાર ગુમાવ્યા હતા. તેમના માટે શિવાજીએ ઉદ્ગાર વ્યકત કરતા કહ્યું હતું કે, 'ગઢ આલા, પણ સિંહ ગેલા.” ત્યાર બાદ કોંડાણાના કિલ્લાનું નામ તાનાજી માલસૂરેના બલિદાનને કારણે સિંહગઢ રાખવામાં આવ્યું હતું.
→ ઈ.સ. 1674માં શિવાજીએ રાયગઢના કિલ્લામાં વિશ્વેશ્વર ગંગાભટ્ટ પાસે રાજ્યાભિષેક કરાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે છત્રપતિ' નામ ધારણ કર્યું.
→ 12 એપ્રિલ, 1680ના રોજ શિવાજીનું મૃત્યું થયું હતું.
0 Comments