Ad Code

Dr . Shanti Swaroop Bhatnagar | ડૉ . શાંતિ સ્વરૂપ ભટનાગર

ડૉ . શાંતિ સ્વરૂપ ભટનાગર
ડૉ . શાંતિ સ્વરૂપ ભટનાગર

→ જન્મ : 21 ફેબ્રુઆરી, 1894 (બ્રિટિશ, ભારત)

→ અવસાન : 1 જાન્યુઆરી 1955 (નવી દિલ્હી)

→ પ્રખ્યાત વૈજ્ઞાનિક અને રસાયણશાસ્ત્રી


→ ડો. ભટનાગર એકી સાથે અનેક હોદ્દાઓની જવાબદારી સંભાળતા હતા જેવા કે, કાઉન્શિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના નિયામક, ભારત સરકારના વૈજ્ઞાનિક સંશોધન વિભાગના સચિવ, પરમાણુ ઉર્જા પંચના સચિવ અને યુનિવર્સિટી અનુદાન પંચના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા હતાં.

→ કાઉન્શિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના પ્રથમ ડિરેકટર હતાં.

→ તેમને સંશોધન પ્રયોગશાળાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

→ વિજ્ઞાન-સંશોધન માટે પૈસા મેળવવામાં અને તેને સુયોગ્ય રીતે ખર્ચવામાં તેમજ સુવિધાઓ ઊભી કરવામાં તેમણે ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો.

→ CSIRને ભારતમાં સંશોધન પ્રયોગશાળાઓની માતૃસંસ્થા તરીકે ઓળખવામાં આવે છે.

→ તેમની સ્મૃતિમાં વિજ્ઞાન ક્ષેત્રે CSIR દ્વારા પ્રતિવર્ષ 1958થી શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવે છે.


ડૉ . શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિશે

→ શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાનક્ષેત્રે ભારતનું મોટામાં મોટું પારિતોષિક સન્માન છે.

→ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજેતાને ₹5 લાખની રકમ એનાયત કરવામાં આવે છે.

→ આ પુરસ્કાર કુલ 7 શ્રેણીઓ અંતર્ગત એનાયત કરવામાં આવે છે.

  1. બાયોલોજીકલ સાયન્સ
  2. કેમિકલ સાયન્સ
  3. પૃથ્વી, વાતાવરણ, મહાસાગર અને ગ્રહ વિજ્ઞાન
  4. એન્જિનીયરીંગ સાયન્સ
  5. મેથેમેટિકલ સાયન્સ
  6. મેડિકલ સાયન્સ અને
  7. ફિઝીકલ સાયન્સ
Website : https://ssbprize.gov.in/
→ ભારત સરકારે વર્ષ 1994માં તેમની 100મી જન્મજયંતિ નિમિતે ટપાલ ટિકિટ બહાર પાડી હતી.


પુરસ્કાર

→ ભારત સરકાર દ્વારા તેમને વર્ષ 1954માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ આ ઉપરાંત તેમને વર્ષ 1936માં OBE એવોર્ડ, વર્ષ 1941માં Knight Bachelor

→ વર્ષ 1943માં Fellow Of The Royel Society ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments