લખપત | Lakhpat


લખપત

લખપત તાલુકાનું મુખ્ય મથક 'દયાપર' છે.

→ અહીં કચ્છના રાજ કુટુંબના કુળદેવી આશાપુરા માતાનું પુરાતનકાળનું મંદિર આવેલું છે. આ તીર્થ સ્થળને 'માતાના મઢ' તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળેથી ગૂગળ પ્રાપ્ત થાય છે.

→ નાસા અને વાડિયા ઈન્સ્ટિટયુટ ઓફ હિમાલયન જિઓલોજીના સંશોધનના આધાર પર જાહેર કરવામાં આવ્યું છે કે મંગળગ્રહની જમીનને મળતા આવતા અવશેષ વિશ્વમાં સૌપ્રથમ લખપત તાલુકામાં માતાના મઢના વિસ્તાર માથી મળ્યા છે. અહીં સફેદ, આછા પીળા અને લાલરંગના ખડકો આવેલા છે. બ્રહ્માંડની ઉત્પતિ સમયે ગ્રહોની વચ્ચે થયેલા ધર્ષણથી ઉદ્દભવેલા વોલ્કેનિક ગેસ, એસિડિક હાઈડ્રોથર્મલ, વાલ્કેનિક એશના મિશ્રણથી આવા ખડકોનું નિર્માણ થયું છે. અહીં મિનેમાઈટ - નેટ્રો એલ્યુનાઈટ ધરાવતા કેલિશયમનો ભંડાર આવેલો છે.

→ લખપત તાલુકામાં કાળી (45 કિમી.), ઘોડાવડ (42 કિમી.) અને નારા (30 કિમી.) નદીઓ આવેલી છે. મઢની ટેકરીઓમાંથી નીકળતી કાળી નદી પર સનાધ્રા પાસે બંધ છે. આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.

નારાયણ સરોવર લખપત તાલુકામાં આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે. શ્રીમદ્ ભગવત ગીતામાં જણાવ્યાં અનુસાર ભારતના અડસઠ તીર્થોના પાંચ પવિત્ર સરોવરો (બિંદુ સરોવર, પંપા સરોવર, માનસરોવર, પુષ્કર સરોવર, નારાયણ સરોવર)માં તેનો સમાવેશ થાય છે.

→ નારાયણ સરોવરને ઈ.સ. 1981માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

→ અહીં લક્ષ્મીનારાયણ, ત્રિકમજી, ગોવર્ધનનાથ, કલ્યાણરાય, આદિનારાયણ જેવા મંદિરો પણ આવેલા છે.

→ કોટેશ્વરમાં કોટેશ્વરનું સુપ્રસિદ્ધ પ્રાચીન શિવ મંદિર આવેલું છે. અહીં વનવાસ દરમિયાન પાંડવો આવ્યા હતા અને ભીમે એક કુંડની રચના કરી હતી તેવી લોકવાયકા છે.


લોકવાયકા
→ લોકવાયકા મુજબ રાવણે તપસ્યા કરતા શિવજીએ તેને શિવલિંગના સ્વરૂપે એક વરદાન આપ્યું હતું પરંતુ રાવણે ધમંડમાં મૂળ શિવલિંગને જમીન પર મૂકી દીધું જે કોટેશ્વરની જમીન પર પડયુ રાવણની બેદરકારીના સ્વરૂપેઆ શિવલિંગના અસંખ્ય લિંગો સર્જાયા જેમાંથી રાવણ મૂળ શિવલિંગને સમજી ન શક્યો અને બીજુ લિંગ ઉઠાવી ચાલ્યો ગયો. જ્યાં મૂળ લિંગ રહી ગયુ ત્યાં કોટેશ્વર મહાદેવનું મંદીર બન્યું હોવાની વાયકા છે.


→ ગુરૂનાનકની યાદમાં બંધાવેલું શીખોનું ગુરૂદ્વારા લખપતમાં આવેલું છે.

→ લખપત તાલુકામાં સિયોત ગામે પાંચ શૈલ ગુફા આવેલી છે. આ ગુફા બૌદ્ધ અને શૈવ ધર્મ સાથે સંકળાયેલી છે જે 'કોટેશ્વર બોદ્ધ ગુફા' તરીકે પણ ઓળખાય છે.

→ કચ્છના ઈતિહાસમાં આ ગુફાનો ઉલ્લલેખ 'ખાપરા કોડિયાની ગુફા' તરીકે થયો છે. જેને કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે.કા.શાસ્ત્રી) દ્વારા શોધવામાં આવી હતી.

→ નોંધ : ખાપરા કોડિયાની ગુફા લખપત ઉપરાંત જૂનાગઢના ઉપરકોટમાં પણ આવેલી છે.

→ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખાટિયા ગામે કરાયેલા ઉત્ખનન દરમિયાન 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે.

→ કેરળની યુનિવર્સિટીના ભૂસંશોધકો દ્વારા 45 દિવસ સુધી કરાયેલા ઉત્ખનન દરમિયાન 250 થી વધુ હાડપિંજરો મળી આવ્યા છે.

→ અહીંથી મળેલા શબનું મસ્તક પૂર્વ દિશા તરફ અને પશ્ચિમ દિશામાં તેના પગની બાજુમાં પુરાતત્વવિદોને માટીના વાસણો તથા અન્ય કળાકૃતિઓ જેમાં શંખચૂડી, પથ્થર અને માટીના બનાવેલા મોતી, માટીના ઘડા, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ, ગ્લાસ, અનાજ દળવાના પથ્થરના સાધનોનો સમાવેશ થાય છે.

→ આ સાઈટ કચ્છના સુરકોટડાના ધાણેટીથી મળી આવે છે. તેમજ આ સાઈટ હડપ્પીય સાઈટથી પણ જૂની હોવાનું નિષ્ણાતોનું માનવું છે.


→ ઉમરસર, પાનન્ધ્રો અને લેફરી ખાતે લિગ્નાઇટની ખાણો છે.

→ પાનન્ધ્રો ખાતે લિગ્નાઇટ-આધારિત વીજમથક સ્થાપવામાં આવેલું છે.

Post a Comment

0 Comments