Ad Code

Responsive Advertisement

Kutch no Dariya Kinaro | કચ્છનો દરિયાકિનારો

→ કચ્છનો દરિયાકિનારો આશરે 406 km જેટલી લંબાઇ ધરાવે છે.
→ કચ્છની પશ્વિમ બાજુએ આરબ સાગર અને દક્ષિણે કચ્છનો અખાત આવેલો છે.
→ કચ્છનો દરિયાકિનારો મોટા ભાગે સીધો છે.
→ કચ્છના દરિયાકિનારાનો પ્રદેશ "કંઠીના મેદાન" તરીકે ઓળખાય છે.
→ કચ્છના દરિયાકિનારે રેતીના ઢુવા જોવા મળે છે.
→ કચ્છના દરિયાકિનારાના મુખ્યત્વે ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે.

કોરીનાળથી પશ્વિમના ભાગ સુધી

કોટેશ્વરથી જખૌ સુધી

જખૌ થી માંડવી સુધી

માંડવી થી કંડલા બંદર સુધી

કોરીનાળથી પશ્વિમના ભાગ સુધી


→ પશ્વિમમાં આવેલી સિંધુ નદીનું મુખ એટ્લે "કોરીનાળ".

→ સિંધુ નદી ગુજરાતની લુપ્ત નદી છે.

→ કોરીનાળથી પશ્વિમ દિશાનો વિસ્તાર કાદવકીચડ વાળો ભાગ છે. જે "સિરક્રિક" તરીકે ઓળખાય છે.

કોટેશ્વરથી જખૌ સુધી


→ આ વિસ્તારનો દરિયાકિનારો કાદવકીચડ વાળો છે.

→ આ વિસ્તારનો દરિયાકિનારો 10 થી 13 km જેટલો પહોળાઈ ધરાવે છે.

→ કોટેશ્વર ખાતે ભગવાન શિવનું શિવમંદિર આવેલૂ છે.

→ જખૌ એ જૈન પંચતીર્થમાનું (જખૌ, માંડવી, સુથરી, તેરા, કોઠારા) એક તીર્થ છે.

જખૌ થી માંડવી સુધી


→ આ વિસ્તારનો દરિયાકિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે.

→ જખૌ ની ખાડીમાં નાના- નાના બેટ આવેલા છે.

→ આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ લગૂન સરોવરની રચના થાય છે.

→ લગૂન : દરિયાકિનારા પર રેતીના નિમ્ન તટ દ્વારા સમુદ્રથી અલગ થયેલા ખારા પાણીના ક્ષેત્રને લગૂન કહે છે.

→ આ વિસ્તારનો દરિયાકિનારો ખંડિય છાંજલીના ઊચકવવાના કારણે બન્યો છે.

→ સૂથરીથી માંડવી વચ્ચેનો કિનારોરેતાળ, સીધો અને ચુનાયુક્ત લાંબી ટેકરીઓનો બનેલો છે.

→ અહીં માંડવીમાં એશિયાનું સૂયાથી પહેલું વિન્ડ ફાર્મ આવેલુ છે.

→ માંડવી વિન્ડફાર્મ આધારિત બંદર છે.

માંડવી થી કંડલા બંદર સુધી


→ આ ભાગનો દરિયાકિનારો અખાતના પાણીથી આવતી ભરતી અને ઓટના કારણે કાદવકીચડ વાળો છે.

→ કંડલાનીઓ આસપાસના વિસ્તારમાં મેંગ્રોવના (ચેરના)જંગલો આવેલા છે.

→આ વિસ્તારમાં દરિયાકિનારાના ભાગમાં રેતીના ઢુવા જોવા મળે છે.

Post a Comment

0 Comments