Ad Code

Responsive Advertisement

Solanki Vansh : Kumarpal (1143 -1174) | સોલંકી વંશ : કુમારપાળ ( 1143 – 1174)


કુમારપાળ ( 1143 – 1174)



રાજયાભિષેક :
કુમારપાળ સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ સમયે માળવામાં હતો અને ત્યારબાદ કૃષ્ણદેવના સૈન્યના સહાયથી તેમજ હેમચંદ્રાચાર્ય અને મંત્રી ઉદયનના સહયોગથી પાટણની ગાદી પર આવ્યો.

કુમારપાળ એ ભીમદેવની રાણી બકુલાદેવીનો વંશજ હતો.
શાસનકાળ : ઈ. સ 1143 થી ઈ. સ. 1174
→ કુમારપાળના અન્ય નામ :
ગુજરાતનો અશોક, ઉમાપતિવરલબ્ધપ્રસાદ, પરમમાહેશ્વર, ઉત્તમ શ્રાવક, પરમહર્ત , વિચાર ચતુર્મુખ
રાજ્યવિસ્તાર :
સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદેપુર (માળવા)વગેરે પ્રદેશો
મૃત્યુ : ઈ. સ. 1173 માં હેમચંદ્રાચાર્ય સ્વર્ગવાસ થયા ત્યારબાદ 6 મહિના પછી કુમારપાળ મૃત્યુ પામ્યો હતો.




ધાર્મિક કાર્યો



→ કુળધર્મ અનુસાર કુમારપાળ શૈવધર્મી હતો.
→ ઈ. સ . 1160 માં કુમારપાળે જૈન ધર્મણો અંગીકાર કર્યો હતો.
→ સમગ્ર રાજયમાં પશુ હિંસા, દારૂ, નશીલા પદાર્થો પર પ્રતિબંધ મૂક્યો.
→ જેનો પુત્રના હોય તે પરિવારના પુરુષ વ્યક્તિનું મૃત્યુ થતા તે પરિવારની સંપતિ રાજકોષમાં જતી હતી. આ ધનને અપુત્રીકા ધન (રૂદતિવિત / રડતીનું ધન) કહેવામાં આવતું હતું.




યુદ્ધવિજયો




શાકંભરી પર વિજય



→ આબુના સામંત વિક્રમસિંહની મદદથી અર્ણોરાજને હરાવ્યો.
→ ચૌહાણ રાજા અર્ણોરાજ સાથે યુદ્ધ કરી વિજેતા થયો.
→ શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ કુમારપાળનું સુપ્રસિદ્ધ પરાક્રમ હતું. અર્ણોરાજની પુત્રી “જલ્હણા” સાથે લગ્ન કર્યા .
→ કુમારપાળે પોતાની બહેન “દેવળદેવી”ને અર્ણોરાજ સાથે પરણાવી.




માળવા પર વિજય



→ બલ્લાલને મારીને આખા માળવાને તાબે કર્યું હતું.




કોંકણ પર વિજય



→ રાજા મલ્લિકાર્જુન પર આક્રમણ કરી તેની સેનાએ મલ્લિકાર્જુનનો વધ કર્યો હતો.
→ આ આક્રમણની આગેવાની મંત્રી આંબડે કરી હતી.





→ અજમેર પર બે વાર ચડાઈ કરી હતી : ઈ. સ 1145 અને ઈ. સ 1150




સ્થાપત્ય



→ સોમનાથ મંદિરમાં સમારકામ કરાવ્યું.
→ કુમારલેશ્વરનું શિવમંદિર : પાટણમાં કુમારલેશ્વરનું શિવમંદિર બંધાવ્યું હતું.
→ પાશ્વરનાથનું મંદિર : પ્રભાસપાટણમાં પાશ્વરનાથનું મંદિર બંધાવ્યું હતું.
→ અજિતનાથનું જૈન દેરાસર : અરવલ્લી પર્વતમાળામાં આવેલા તારંગા ડુંગર પર એક જ પત્થરમાંથી જૈન તીર્થકર અજિતનાથની મૂર્તિ સ્થાપિત કરી.
→ ગીરનારમાં પગથિયાંનું નિર્માણ
→ પાટણ, દેવપત્તન , જાલોરમાં જિનાલયો
→ શેત્રુંજય અને ગિરનારમાં જૈન મંદિર
→ 1440 વિહારો (જૈન સંતો માટે રહેવા માટે)




કુમારપાળની શાસન વ્યવસ્થા



→ મહાઅમાત્ય : વાગ્ભટ (મંત્રી ઉદયનનો પુત્ર) અને કુમારસિંહ
→ દંડનાયક : ચાહડ
→ સચિવ : વલ્ભ
→ કોષાધ્યક્ષ : કપર્દી
→ પુરોહિત : આગિમ, સર્વદેવ
→ જૈન ધર્મ સ્થાપનાનો અધ્યક્ષ : અભયકુમાર
→ મહામોહુર્તિક : રુદ્ર
→ મંત્રી : આંબડ
→ લાટનો અધિકારી : આમ્રભટ્ટ
→ ચિત્તોડનો દંડનાયક : સજ્જન
→ નકુલનો દંડનાયક : વૈજલદેવ
→ ગોદ્રહક (ગોધરા) નો સામંત : વાપનદેવ
→ કિશડુનો રાજા (સામંત) : સોમેશ્વર
→ નડ્ડુલનો રાજા (સામંત) : આલ્હણદેવ
→ આબુના સામંત :વિક્રમસિંહ





→ શાસકની દ્રષ્ટિએ કુમારપાળનો સમય એટલે ગુજરાતનો પ્રથમ સુવર્ણ યુગ જ્યારે વસ્તુપાળ અને તેજપાળનો સમય ગુજરાતનો દ્વિતીય સુવર્ણ યુગ.
→ કુમારપાળ અપુત્ર મૃત્યુ પામ્યા. આથી તેના નાનાભાઇ મહિપાળણો પુત્ર અજયપાળ સોલંકી વંશનો રાજા બન્યો.
→ કુમારપાળ વિશે શ્રીરત્નમણીરાવ જોટે લખે છે કે – આખા વિશ્વમાં હિંદ (ભારત) સૌથી વધુ અહિંસક છે અને તેમાંય ગુજરાતી સૌથી વધુ અહિંસક છે. જેનો પૂરેપૂરો શ્રેય કુમારપાળના સંસ્કારી શાસનને જાય છે.



Also Read



  1. મૂળરાજ સોલંકી → Read/view
  2. ચામુંડરાજ સોલંકી → Read/view
  3. વલ્લભરાજ સોલંકી → Read/view
  4. દુર્લભરાજ સોલંકી → Read/view
  5. ભીમદેવ - 1 → Read/view
  6. કર્ણદેવ સોલંકી → Read/view
  7. સિદ્ધરાજ જયસિંહ → Read/view
  8. અજયપાળ → Read/view
  9. મૂળરાજ – 2 → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view


Question & Answer



  1. કયા રાજાએ અપુત્રિકા ધનનો ત્યાગ કરાવ્યો હતો?
    → કુમારપાળ

  2. ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું?
    → સજ્જન મંત્રી

  3. અહિંસાવાદી રાજા, જેના કારણે સમગ્ર હિંદ અહિંસક બન્યુ છે. એ કોણ હતા?
    → કુમારપાળ

  4. ગિરનાર પરના પગથિયાં કોણે બંધાવ્યાં હતાં?
    → કુમારપાળ

  5. ગુજરાતમાં સૌથી વધુ વિહારો કોણે બંધાવ્યાં હતાં?
    → કુમારપાળ

  6. રૂઠી રાણીનું માળીયું નો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો?
    → કુમારપાળે

  7. તારંગામાં અજીતનાથનું દેરાસર અને પ્રભાસપાટણમાં પાર્શ્વનાથ મંદિર કયા રાજવીના સમયમાં નિર્માણ કરવામાં આવ્યું હતું?
    → કુમારપાળ

  8. કયા સોલંકી રાજવીના સમયમાં માંસ, દારૂ અને પશુબલી પર પ્રતિબંધ મૂકાયો હતો?
    → કુમારપાળ

  9. કુમારપાળ ચરિતની રચના કોણે કરી ?
    → હેમચંદ્રાચાર્ય

  10. કુમારપાળના રાજપંડિત કોણ હતા?
    → હેમચંદ્રાચાર્ય

  11. રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયો ગ્રંથ લખ્યો છે ?
    → ગણ દર્પણ

  12. 'નાટયદર્પણ' ના રચયિતા ગુણચંદ્રસૂરિ કોના શિષ્ય હતાં?
    → હેમચંદ્રાચાર્ય

  13. કુમારપાળના ઉત્તરાધિકારી કોણ હતાં?
    → અજયપાળ (કુમારપાળનો ભત્રિજો)

  14. ગુજરાતનો અશોક કયા રાજાને કહેવામાં આવે છે?
    → કુમારપાળ

  15. કુમારપાળને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું ?
    → પરમાર્હત

  16. કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કયો ધર્મ સ્વીકાર્યો?
    → જૈન

  17. કુમારપાળના સમયમાં લાટના અધિકારી કોણ હતા?
    → આમ્રભટ્ટ

  18. કુમારપાળના મહાઅમાત્યો કોણ હતા?
    → વાગ્ભટ્ટ,કુમાર સિંહ

Post a Comment

0 Comments