Ad Code

Responsive Advertisement

જીલ્લો : વડોદરા



જીલ્લો : વડોદરા





પ્રાચીન નામ



→ વટ પટ્ટક

→ વટપુર


જીલ્લામથક



→ વડોદરા

જીલ્લાની રચના



→ ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે વડોદરા જીલ્લાની રચના કરવામાં આવી હતી.

જીલ્લાની સીમા



→ પૂર્વ : છોટા ઉદેપુર જીલ્લો : More inforamation : Clik Here
→ પશ્વિમ : આણંદ જીલ્લો : More inforamation : Clik Here
→ ઉત્તર : ખેડા અને પંચમહાલ જીલ્લો
→ દક્ષિણ : નર્મદા અને ભરૂચ જીલ્લો

ક્ષેત્રફળ



→ ૪૩૧૨ ચો.કિ.મી.

તાલુકાઓ



  1. વડોદરા

  2. સાવલી

  3. વાઘોડિયા

  4. પાદરા

  5. કરજણ

  6. ડભોઇ

  7. ડેસર



નદીઓ



→ વિશ્વામિત્રી

→ ઢાઢર

→ ઓરસંગ

→ હિરણ

→ ગોમા

→ મેસરી

→ ભૂખી

→ ભારાજ

→ મહી








નદીકિનારે વસેલાં શહેર



→ વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે.

→ ચાંદોદ, નારેશ્વર, માલસર જે નર્મદા નદીનાં કિનારે વસેલાં છે.




સિંચાઈ યોજના



→ વડોદરા નજીક આજવામાં વિશ્વામિત્રી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, તે વડોદરા શહેરને પાણી પૂરું પાડે છે.





ડેરી ઉદ્યોગ



→ બરોડા ડેરી


પાક



→ મગફળી, કપાસ, બાજરી, જુવાર, ડાંગર, ઘઉં વગેરે પાક થાય છે.


ખનીજ



→ ચૂનાનો પથ્થર અને કેલ્સાઇટ મળી આવે છે.


ઉદ્યોગો



→ ગરમ કપડાનો ઉદ્યોગ વિકસ્યો છે.

→ બાજવા : ઈ.સ. ૧૯૬૨માં રસાયણિક ખાતર બનાવવાનું એશિયાનું સહકારી ધોરણે ચાલતું સૌથી મોટું કારખાનું "ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એંડ કેમિકલ્સ" (જી.એસ.એફ.સી.) ની સ્થાપના કરવામાં આવી હતી.

→ ઈ.સ. ૧૯૬૫માં કોયલીમાં ખનીજ તેલ શુધ્ધિકરણની રિફાયનરી સ્થાપવામાં આવી હતી.

→ ઈ.સ. ૧૯૬૯માં ભારતમાં સૌપ્રથમ "ઇન્ડિયન પેટ્રોકેમીકલ્સ કોર્પોરેશન લીમીટેડ" (આઈ.પી.સી.એલ.) ની સ્થાપના કરવામાં આવી હતી.

→ વડોદરામાં એલેમ્બિક નું દવા બનાવવાનું નું કારખાનું છે.

→ વાઘોડિયામાં "ગુજરાત સાઈકલ્સ લીમીટેડ" નું સાઇકલ બનાવવાનું કારખાનું છે.


રાષ્ટ્રીય ધોરી માર્ગ



→ ૪૮ (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે. નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર ૧ વડોદરાને અમદાવાદથી જોડે છે.

વાવ



→ નવલખી વાવ



તળાવ



→ વડોદરા : આજવા તળાવ, સૂરસાગર તળાવ, મહમદ તળાવ, તરસાળી તળાવ, ધોબી તળાવ

→ ડભોઈ : વઢવાણા તળાવ



મ્યુઝિયમ



→ મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી - રાજ્ય કક્ષાનું સૌથી મોટું મ્યુઝિયમ

→ મહારાજા ફતેહસિંહરાવ - કલાવિષયક મ્યઝિયમ

→ મેડિકલ કોલેજ

→ એમ .એસ યુનિવર્સિટી - પુરાતત્વ વિષયક મ્યુઝિયમ

→ હેલ્થ


મહેલ





→ ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે.

→ પ્રતાપવિલાસ પેલેસ

→ નજરબાગ પેલેસ

→ મકરપુરા પેલેસ


મહત્વના ગ્રંથાલય અને લાઈબ્રેરી



→ હંસા મહેતા ગ્રંથાલય

→ જયસિંહરાવ ગ્રંથાલય

→ સેંટ્રલ લાઈબ્રેરી

→ પ્રાચ્ય વિદ્યામંદિર

→ શ્રી મુક્તિકમળ મોહન જ્ઞાનભંડાર



મહત્વના સ્થળો




કાયાવરોહણ



→ કાયાવરોહણનું પ્રાચીન નામ : કારવણ

→ પશુપત સંપ્રદાયના અને શિવના અવતાર એવા ભગવાન લકુલીશનું મંદિર આવેલું છે.

→ પશુપત સંપ્રદાયના અને શિવના અવતાર એવા ભગવાન લકુલીશને શિવના 28માં અવતાર માનવમાં આવે છે.

→ શ્રી કૃપાલનંદજી સ્વામીએ આ મંદિરનો પુન:રુદ્ધાર કર્યો છે.


ચાંદોદ



→ "દક્ષિણ ગુજરાતના કાશી" તરીકે ઓળખાતું કરનાળી પૌરાણિક અને પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે.

→ નર્મદા નદીના કિનારે આવેલું ચાંદોદ પિતૃઓની શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે.





→ અહીં, નર્મદા, ઓરસંગ અને કરજણ નદીઓનો સંગમ થાય છે.

→ ચાંદોદમાં કુબેરેશ્વરની મંદિર, કરનાળી મહાદેવનું મંદિર, દક્ષિણામુર્તિ તેમજ ગણપતિ, ગાયત્રી હાટકેશ્વર, ગરુડેશ્વર જેવાં મંદિરો દર્શનીય છે.

→ ગુજરાતી ભાષાના ઉત્તમ ઊર્મિકાવી દયારામનો જન્મ ચાંદોદમાં થયો હતો.


ડભોઈ



→ ડભોઈનું પ્રાચીન નામ : દર્ભવતી

→ અહીં આવેલો ડભોઈનો કિલ્લો જાણીતો છે.

→ ડભોઈનો કિલ્લાનો આકાર સ્વસ્તિક જેવો છે.

→ વિશલદેવ વાઘેલાના સમયમાં આ કિલ્લો બંધાયો હતો.



→ ડભોઇના કિલ્લાનો નાશ ઉલુઘખાને કર્યો હતો.

→ કિલ્લાનો મુખ્ય શિલ્પી - હીરાધર અને દેવી શિલ્પી હતા.

→ પૂર્વ દરવાજો : હીરા ભાગોળ (હીરા નામના સલાટના નામ પરથી)

→ પશ્વિમ : વડોદરિ ભાગોળ

→ ઉત્તરે : મહુડી ભાગોળ

→ દક્ષિણ : નાંદોરી ભાગોળ

→ હીરાએ તેની પ્રેમિકાની યાદમાં બંધવેલું તેન તળાવ તેમજ નાગેશ્વર તળાવ અને બીબીની બગિ જાણીતી છે.

→ કવિ દયારામની કર્મભૂમિ


નારેશ્વર



→ અહીં નર્મદા કિનારે શ્રી રંગઅવધૂત મહારાજનો આશ્રમ આવેલો છે.


કોયલી



→ ઈ.સ. ૧૯૬૫માં કોયલીમાં ખનીજ તેલ શુધ્ધિકરણની રિફાયનરી સ્થાપવામાં આવી હતી.

→ અંકલેશ્વરમાંથી નીકળતા ખનીજ તેલને આ રિફાઈનરીમાં શુદ્ધ કરવામાં આવે છે.


માલસર



→ અહીં પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે.

→ જ્યાં ડોંગરેજી મહારાજે બીલીના વૃક્ષ નીચે બેસીને કથા કરી હતી.


ડભોઈનું યુદ્ધ



→ બાજીરાવ પેશ્વા અને સરસેનાપતિ ત્ર્યબંકરાવ દાભાડે વચ્ચે ઈ.સ. 1731 ની 1 લી એપ્રિલના રોજ ડભોઈ પાસે યુદ્ધ ખેલાયું જે "ડભોઈનું યુદ્ધ" કહેવાયું.

→ આ યુદ્ધમાં ત્ર્યબંકરાવ દાભાડે માર્યા ગયા હતા. .


માંડવી ગેટ



→ વડોદરામાં સુલતાન મુઝફર દ્વારા બંધાવેલ માંડવી ગેટના ચાર બાજુના દરવાજાના નામ નીચે મુજબ છે.

  1. લહેરીપુરા દરવાજા

  2. પાણી દરવાજો

  3. ચાંપાનેરી દરવાજો

  4. બરાનપૂરી દરવાજો



વિશેષતા



→ વડોદરા મહેલોના શહેર તરીકે જાણીતું છે.

→ વડોદરા ગાયકવાડ રાજ્યની રાજધાની હતી.

→ વડોદરા ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રસિદ્ધ છે.

→ વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી પ્રખ્યાત છે.

→ ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો રેગુર પ્રકારની જમીનવાળો પ્રદેશ કાનમ તરીકે ઓળખાય છે.

→ ઈ.સ. ૧૯૩૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ગુજરાત રાજ્યનું સૌપ્રથમ રેડીયો સ્ટેશન શરુ કર્યું હતું.

→ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ ફરજીયાત કર્યું હતું.

→ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી હતી.

→ ગુજરાતનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન વડોદરા છે.

→ વડોદરામાં આવેલા કિર્તિ મંદિરની દીવાલ પર ગીતાનાં દ્રશ્યો ચિત્રિત છે જે નંદલાલ બોઝ દ્વારા દોરવામાં આવ્યા હતા.

→ સૂરસાગર તળાવ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય આવેલું છે.

→ ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન "નિષ્કલંક માતાનું ધામ" આવેલું છે.

→ ન્યાયમંદિર પાસે મુકાયેલી શાહિદ ભગતસિંહનિપરતીમાં ગુજરાતમાં એકમાત્ર પ્રતિમા છે.

→ પશ્વિમ રેલવેમાં સૌપ્રથમ મહિલા ગાર્ડ તરીકે નિયુક્તિ પામનાર વડોદરાના કારેલી બાગની શિપ્રા ઘોષ હતી.

→ પ્રમાનંદે "વીરક્ષેત્ર વડોદરા" એમ ઉલ્લેખ કર્યો હતો.

→ એક સમયનું સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું રાજ્ય પ્રેમાનંદે કરેલું "વીર વડોદરું " એટલે આજનું "મહેલોનું શહેર" અને ગુજરાતની સંસાકરી નગરી છે.

→ વડોદરામાં ઐતિહાસિક ઈમારતો જેવી કે ન્યાયમંદિર અને કીર્તિ મંદિર આવેલી છે.

→ જૂનું વડોદરા ચાર દરવાજા વચ્ચે આવેલું હતું. આ દરવાજા લહેરીપુરા દરવાજા તરીકે જાણીતા છે.

→ ગુજરાતની સૂયાથી મોટી સેંટ્રલ લાઈબ્રેરી વડોદરામાં આવેલી છે.

→ ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેકટરી વડોદરામાં ત્રિભુવનદાસ ગજજરે સ્થાપી હતી.

→ વડોદરાના ગોરજ ખાતે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર આવેલું હતું.