જીલ્લો : આણંદ


જીલ્લો : આણંદ


→ ગીર ગોસાઈએ 9મી સદીમાં આણંદ શહેર વસાવ્યું હતું.


જિલ્લામથક


→ આણંદ



જિલ્લાની સ્થાપના


→૨ ઓક્ટોબર, ૧૯૯૭ ના રોજ ખેડા જીલ્લામાંથી આણંદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.


ક્ષેત્રફળ


→૨૯૪૧ ચો. કિમી.



સ્થાન અને સીમા


→ પૂર્વ : વડોદરા જિલ્લો

→ પશ્ચિમ : અમદાવાદ જિલ્લો

→ ઉત્તર : ખેડા જિલ્લો

→ દક્ષિણ: ખંભાતનો અખાત અને ભરૂચ જિલ્લો


તાલુકાઓ: 8


  1. આણંદ

  2. બોરસદ

  3. ખંભાત

  4. પેટલાદ

  5. સોજીત્રા

  6. ઉમરેઠ

  7. તારાપુર

  8. આંકલાવ





વાહનનો RTO રજીસ્ટ્રેશન નંબર


→GJ-૨૩



નદીઓ


→ મહી નદી જે આણંદ અને વડોદરા જીલ્લાની સરહદ બનાવે છે.
→ શેઢી નદી
→ સાબરમતી નદી જે આણંદ અને અમદવાદ જીલ્લાની સરહદ બનાવે છે.



બંદર


→ ખંભાત



રાષ્ટ્રીય ધોરી માર્ગ


  • ૪૮ નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અને નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર ૧ આ જીલ્લામાંથી પસાર થાય છે.



  • વાવ


    → જ્ઞાનવાળી વાવ જે ખંભાતમાં આવેલી છે.
    → મોગરી વાવ જે આણંદમાં આવેલી છે.
    → ભદ્રકાળી વાવ જે ઉમરેઠમાં આવેલી છે.



    કુંડ


    → રામનાથ કુંડ જે પેટલાદમાં આવેલો છે.



    તળાવ


    → વેરાઈ માતાનું તળાવ (લોટિયા)જે આણંદમાં આવેલી છે.
    → નારેશ્વર તળાવ જે ખંભાત માં આવેલી છે.



    ઉધોગ


    → બીડી ઉધોગ, ડેરી ઉધોગ અને અકીક



    મુખ્ય પાક


    → તમાકુ, કેળાં, શેરડી, બાજરી, રાઈ,ચીકુ, બટાકા.......







    જોવાલાયક સ્થળો


    → આણંદ : અમુલ ડેરી
    → ધુવારણ : ગુજરાતનું સૌથી મોટું તાપવિધુત મથક
    → બોચાસણ : સ્વામિનારાયણ સંપ્રદાય નું મંદિર
    → બોરસદ : મહાકાળેશ્વરનું શિવાલય, બહુચરાજી મંદિર, ફૂલ માતાનું મંદિર
    → ખંભળોજ : નિરધારોની માતા
    → વડતાલ :લક્ષ્મીનારાયણની ભવ્ય મૂર્તિ
    → સારસા : સતકેવલ મંદિર



    સંશોધન કેન્દ્રો


    → નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન : બોરીયાવી

    → ટોબેકો રિસર્ચ સ્ટેશન : ધર્મજ

    → રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ : આણંદ

    → બીડી, તમાકુ સંશોધન કેન્દ્ર : આણંદ

    → પોલ્ટ્રી કોમ્પ્લેક્સ : આણંદ

    → લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન : આણંદ

    → શાકભાજી સંશોધન કેન્દ્ર : આણંદ

    → ઘાસ - ચારા સંશોધન કેન્દ્ર : આણંદ









    મહત્વના સ્થળો




    વલ્લભ વિદ્યાનગર


    → વલ્લભ વિદ્યાનગર "વિદ્યાનગરી" તરીકે જાણીતું છે.

    → સરદાર વલ્લભભાઇ પટેલના માર્ગદર્શંનથી વ્યવસાયે ઇજનેર એવા શ્રી ભાઈલાલ પટેલના અથાગ પ્રયત્નોથી આ સહર વિદ્યાધામ તરીકે વિકાસ પામ્યું છે.

    → ગુજરાતની સૌપ્રથમ એન્જીનિયરીંગ કોલેજ અહી સ્થપાઈ હતી.

    → સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ વલ્લભ વિદ્યાનગરમાં આવેલું છે.

    → ઈ.સ. 1955 વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી.



    લૂણેજ


    → ઈ.સ. 1958માં ગુજરાતમાં સૌપ્રથમ લૂણેજ ખાતેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવ્યો હતો.

    → લૂણેજથી ધુવારણ તાપવિદ્યુત મથકને ગેસ પૂરો પાડવામાં આવે છે.


    ઉમરેઠ


    → અગાઉના સમયમાં ઉમરેઠ જૈન સંસ્કૃતિનું તીર્થસ્થળ ગણાતું હતું.

    → ઉમરેઠના અસ્ત્રા જાણીતા છે.





    ધુવારણ


    → ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુત મથક (થર્મલ પાવરસ્ટેશન ) ધુવારણમાં આવેલું છે.

    → આ તાપ વિદ્યુત મથકની સ્થાપના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાના સમય દરમિયાન થઈ હતી.



    કરમસદ


    → સરદાર વલ્લભભાઇ પટેલનું મૂળવતન અને કર્મભૂમિ છે.



    ખ્ંભોળજ


    → ખ્ંભોળજ માં ખ્રિસ્તી ધરમનું તીર્થસ્થાન "નિરાધારાઓની માતાનું મંદિર" આવેલ છે.



    અડાસ


    → ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે જાણીતું છે.

    → 18 ઓગષ્ટ 1942ના રોજ હિન્દ - છોડો ચળવળ દરમિયાયન બ્રિટિશ સરકારના પોલીસ ગોળીબારમાં પાંચ નિર્દોષ યુવાનો શહીદ થયા હતા. તેમનો "સ્મૃતિસ્તંભ" આવેલો છે.



    બોરસદ


    → બોરસદ તાલુકામાં બહારવટિયાઓને પકડવામાં નિષ્ફળ ગયેલી સરકારે ત્યાં મૂકેલી વધારાની પોલીસનો ખર્ચ વસૂલ કરવા લોકો ઉપર નાખેલા વધારાના કર સામે ઈ.સ. 1923 માં બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.

    → રવિશંકર મહારાજની જન્મભૂમિ આવેલી છે.

    → બોરસદમાં મહકાળેશ્વરનું શિવાલય, ફૂલમાતા મંદિર, બહુચરાજી માતાનું મંદિર, તોરણમાતા મંદિર અને નારાયણ દેવાનું મંદિર આવેલું છે.



    ખંભાત


    → ખંભાત એક ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર અને જાણીતું પ્રાચીન સમયનું બંદર છે.

    → ખંભાતનું પ્રાચીન નામ : સ્તંભતીર્થ કે સ્તંભપુર

    → ખંભાતને "દુનિયાનું વસ્ત્ર" પણ કહેતા હતા.

    → ખંભાતની કોતરણીવાળી જુમા મસ્જિદ પ્રસિદ્ધ છે.

    → ખંભાતના સુતરફેણી, હલવાસન અને તાળા માટે પ્રખ્યાત છે.

    → ખંભાતમાં અકીક પોલીસ કરવાનો ઉદ્યોગ વિકસેલો છે.

    → ખંભાતને અકીકને GI Tag પણ મળ્યો છે.

    → રજની પારેખ આર્ટ્સ કોલેજ અને આર્કિયોલોજી મ્યુઝિયમ ખંભાતમાં આવેલા છે.

    → ખંભાત પાસે "નગરા" નામનું જૂના ખંડેરો ધરાવતું જર્જરિત નાગર છે.

    → ખંભાતથી 5 km દૂર વહોરાઓનું મોટું યાત્રાધામ "કાકાની કબર" આવેલી છે.

    → ખંભાતના દરિયાનું દર્શન સૌપ્રથમવાર મુઘલ બાદશાહ અકબરે કર્યું હતું ત્યારબાદ જહાંગીરે કર્યું હતું. ઉપરાંત મુઘલ બાદશાહ જહાંગીર અને ઇટાલિયન પ્રવાસી માર્કોપોલો ઇબ્નબરતૂતા ખંભાતના દરિયાનું દર્શન કર્યું હતું.







    બોચાસણ


    → બોચાસણનું નામ "બચુશ્વેર મહાદેવ" ના નામથી પડ્યું છે.

    → સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPS સંસ્થાનું વડુમથક છે.

    → BAPS નું પૂરું નામ : બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા છે.



    વિશેષતા


    → ગુજરાતની સૌપ્રથમ એન્જીનીયરીંગ કોલેજની સ્થાપના વલ્લભવિદ્યાનગરમાં થઈ હતી. (બિરલા વિશ્વકર્મા વિદ્યાલય)

    → વાસદની તુવેર દાળ પ્રખ્યાત છે.

    → સાબરમતી નદી આણંદ અને અમદાવાદ જિલ્લાની સરહદ બનાવે છે.

    → મહિ નદી આણંદ અને ખેડા જિલ્લાની સરહદ બનાવે છે.

    → ગુજરાતની સૌથી ઓછી નદી આણંદ જીલ્લામાં આવેલી છે.

    → ગુજરાતમાં સૂયાથી વધુ તળાવો દ્વારા સિંચાઈ આણંદ અને ખેડા જીલ્લામાં થાય છે.

    → આણંદમાં 14 ડિસેમ્બર, 1946 ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંધ ની સ્થાપના કરી હતી.

    → આ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંધ આગળ જતાં 1955 થી અમુલ તરીકે જાણીતું બન્યું.

    → "શ્વેતક્રાંતિ" ના પિતા ગણાતા ડો. વર્ગીસ કુરિયન ઇ.સ. 1949 થી આણંદની અમુલ ડેરી સાથે જોડાયા અને આજીવન અમૂલ ડેરી સાથે જોડાયેલા હતા.

    → આણંદને શ્વેતક્રાંતિના મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે.

    → આણંદમાં આવેલ અમૂલ ડેરીના વિકાસમાં યુનિસેફનો ફાળો અગત્યનો છે.

    → આણંદમાં રિપ્રોડ્કટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ આવેલું છે.

    → ગુજરાત સ્ટેટ કો -ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GUJCOMASOL)દ્વારા અમૂલનું માર્કેટિંગ કરવામાં આવે છે.

    → આણંદમાં પોલ્ટ્રી કોમ્પલેક્સ અને લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન જેવી સંસ્થા આવેલી છે.

    → વર્ષ 2009 માં આણંદમાં "આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી"ની સ્થાપના કરવામાં આવી હતી.

    → આણંદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેંટ (IRMA) નું વડુમથક આવેલું છે.

    → નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની સ્થાપના ઇ.સ. 1965માં થઈ હતી અને પ્રથમ અધ્યક્ષ : ડો. વર્ગીસ કુરિયન હતા.

    → નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની સ્થાપના ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં થઈ હતી.

    → આણંદ માંથી ગુપ્ત વંશના રાજા કુમાર ગુપ્તના સિક્કાઓ મળી આવ્યા છે.

    → આણંદમાં Water and Land Management Institute (WALMI) નું વડુમથક આવેલું છે.

    → આણંદમ વર્ષ 2016માં વહેરાખાડી ગામે મહીસાગર વનની સ્થાપના કરવામાં આવી હતી.