જીલ્લો : નર્મદા



    જીલ્લામથક :
    રાજપીપળા

    જીલ્લાની રચના :
    2 ઓક્ટોબર , 1997ના રોજ ભરૂચ જીલ્લામાંથી નર્મદા જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ :મહારાષ્ટ્ર રાજ્ય
    પશ્ચિમ : ભરૂચ જીલ્લો
    ઉત્તરે : વડોદરા અને છોટાઉદેપુર જીલ્લો
    દક્ષિણ :તાપી અને સુરત જીલ્લો

    ક્ષેત્રફળ :
    2755 ચો.કિ.મી.

    તાલુકાઓ :
    રાજપીપળા (નાંદોદ), તિલકવાડા, દેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર

    વિશેષતા :
    "સરદાર સરોવર યોજના" આ જીલ્લામાં છે.
    "સ્ટેચ્યુ ઓફ યુનિટી" તરીકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થાપવાની યોજના છે.
    રાજપીપળાની ટેકરીઓમાંથી અકીકનો પથ્થર મળી આવે છે.
    નર્મદા નદી "રેવા" કે "મૈકલ કન્યા" તરીકે પણ ઓળખાય છે.
    રાજપીપળા ઈમારતી લાકડાના વેપારનું કેન્દ્ર છે.