Ad Code

પશુ આહાર (Animal Feed)

પશુ આહાર (Animal Feed)
પશુ આહાર (Animal Feed)

→ પશુ આહારમાં રહેલા પોષક તત્વો : કાર્બોદિત પદાર્થો, ચરબી, નત્રલ પદાર્થો પ્રોટીન, ખનીજ દ્રવ્યો, પ્રજીવકો (વિટામિન)

→ પશુપાલનમાં 70 થી 75% ખર્ચ પશુઓના ખોરાક પાછળ થાય છે.

→ ગાય ભેંસ, ઘેટાં વગેરે પાલતુ પશુઓ વાગોળતા પ્રાણીઓ હોવાથી તેમને મુખ્ય આહાર ઘાસચારો છે.

→ પશુઓને વર્ષ દરમિયાન લીલો ચારો વધુ પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

→ લીલા ચારોમાંથી 'વિટામીન-A' કેરોટીનના રૂપમાં મળે છે. તે પશુઓની શારીરિક વૃદ્ધિ, દુધ ઉત્પાદન તેમજ પ્રજનન માટે ખુબ જરૂરી છે.

→ પુખ્ત પશુને પ્રતિદિન 20 થી 25 કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઈએ જેમાથી 12 થી 15 કિ.ગ્રા. કઠોળ વર્ગનો અને 8 થી 10 કિ.ગ્રા. ધાન્ય વર્ગનો લીલો ચારો આપવો જોઈએ.

→ આહારના મુખ્ય બે પ્રકારો છે.
  1. ઘાસચારો
  2. ખાણદાણ



ઘાસચારો

→ ઘાસચારામાં લીલો ઘાસચારો અને સુકા ઘાસચારાનો સમાવેશ થાય છે.

ઘાસચારામાં 18% રેસા હોય છે.

→ સુકા ચારામાં રેસા વધારે અને પોષક તત્વો ઓછા હોવાથી તેને વધારે પ્રમાણમાં આપવું પડે છે.

→ પશુઓને તેના વજનના 2.5% જેટલો સુકો ખોરાક આપવો જરૂરી છે.

→ સુકા ચારાની સરખામણીમાં લીલો ચારો પશુને વધુ ભાવે છે અને સારી રીતે પચે તેવો હોય છે.

→ લીલા ચારાના બે પ્રકારના હોય છે.
  1. ધાન્ય વર્ગ (શક્તિસભર હોય છે): જુવાર, મકાઈ, ઓટ, ગીનીઘાસ, નેપીયર ઘાસ, પેરાઘાસ
  2. કઠોળ વર્ગ (પ્રોટીનસભર હોય છે): રજકો, બરસીમ, વાલ, વટાણા, ચોળા, ગુવાર વગેરે

→ કઠોળ ચારામાં પ્રોટીન અને ચુના(કેલ્શિયમ)નું પ્રમાણ વધારે હોય છે.

→ એકલો કઠોળ ચારો ખાવાથી પશુને આફરો ચડવાની શકયતા હોવાથી ધાન્યવર્ગનો મિશ્ર ચારો ખવડાવવો જોઈએ.

→ લીલી કુણી કાચી જુવારમાં 'હાઈડ્રો સાઈલાઈડ એસિડ (HCM)' નામનું ઝેર હોય છે જે ખાવાથી જાનવરને મિણો ચડે છે તેથી જુવારને ફુલ આવ્યા પછી કાપીને ખવડાવવી જોઈએ.

→ ડાંગરના પુરીયામાં ઓક્ઝેલેટ તત્વ હોય છે.

→ લીલાચારામાં 70% થી 80% પાણી હોય છે એટલે 100 કિ.ગ્રા. લીલા ચારામાં 20% થી 30% જેટલું સૂકું દ્રવ્ય (ડ્રાયમેટર) પશુને મળે છે તેથી 1 કિગ્રા સુકાચારાની અવેજીમાં 3 થી 5 કિ.ગ્રા. લીલોચારો આપવો જોઈએ.

→ દૂધમાં 87 % પાણી હોય છે.

→ ઓટ એ શિયાળુ ધાન્ય વર્ગનો પાક છે.

→ આયોડિનની ખામીથી વાછરાડા વાળ વિનાના જન્મે છે.


સાયલેજ (લીલા ચારાનું અથાણું)

→ સાયલેજ બનાવવાની શરૂઆત 19 મી સદીમાં મધ્યમાં થઈ.

→ પશુને અપાતા કુલ ચારામાંથી ત્રીજા ભાગનો ચારો લીલો હોવો જરૂરી છે. પરંતુ ચોમાસા પહેલા પિયતની વ્યવસ્થાના અભાવે તે મળવું મુશ્કેલ થઈ શકે છે.

→ લીલાચારાની જરૂરીયાત પુરી પાડવા વર્ષમાં જયારે લીલો ચારો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે ખાસ કરીને ચોમાસામાં સાયલેજ બનાવવામાં આવે છે.

→ સાયલેજનો ખાડો (સાયલો પીટ) 45 દિવસ બાદ ખોલવામાં આવતો હોય છે.

→ સાઈલો પીટ ભરતી વખતે લીલાચારા સાથે મોલાસીસ અને મીઠું ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત પાણીનું પ્રમાણ 65 ટકા હોવું જોઈએ.

→ સાયલેજ જે ખાડામાં કે ટાંકામાં બનાવવામાં આવે છે તેને સાયલો કહે છે જેના પ્રકાર નીચે મુજબ છે.
  1. ટાવર સાયલો : જે જમીનની ઉપર કૉન્કેટ, ધાતુ કે ઈટોથી ચણીને બાંધવામાં આવે છે.
  2. જમીનની સમાંતર સાયલો : જે જમીનમાં ખાડો ખોદીને બનાવવામાં આવે છે.

→ લીલા ઘાસચારામાં નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ પ્રાણવાયું રહિત સ્થિતિમાં આથવણની પ્રક્રિયા થાય છે.

→ લેકટીક એસિડ પુરતા પ્રમાણમાં ઉત્પન્ન થવાથી લીલા ચારાની જાળવણી શકય બને છે.

→ સાયલેજ બનાવવા માટેના મુખ્ય પાકો
  1. ધાન્ય વર્ગ : મકાઈ, ઓટ, જુવાર, બાજરી વગેરે
  2. કઠોળ વર્ગ : રજકો, બરસીમ, ચોળી વગેરે

સારુ સાયલેજ સારી વાસવાળું ભુખરા લીલા રંગનું કે ખાખી પીળાશ પડતુ હોય છે. જેની ખારાશ 4 થી 4.5 pH આંક જેટલી હોય છે.

→ લીલી મકાઈ સાયલેજ માટે શ્રેષ્ઠ છે.

→ ઉત્તમ સાયલેજ પશુઓને રીચિકર હોય છે.

→ સાયલેજ માં લેકટોઝ હોય છે.

→ તેમાં લેકટીક એસીડ 2.5% થી વધુ, એસિટીક એસિડ 0.5 થી 0.8% ની માત્રમાં, બ્યુટેરીક એસિડ 0.1% થી ઓછું અને અમોનિયમ નાઈટ્રોજન 10% થી ઓછું હોય છે.


ખાણદાણ

→ જે ખાદ્ય પદાર્થોમાં રેસાનું પ્રમાણ 18% થી ઓછું અને પોષક તત્વોનું પ્રમાણ ઊંચું હોય તેને ખાણદાણ કહેવામાં આવે છે.

→ વૈજ્ઞાનિક સંવર્ધન પદ્ધતિ અને ઉછેરથી દુધાળા પશુઓનું દુધ વધારવા માટે પશુઓને ખાણદાણ ખવડાવવાની જરૂર પડે છે.

→ ખાણદાણએ પશુઓને પોષક તત્વોની જરૂરીયાત પુરી કરવા માટે અપાતો પુરક આહાર છે.

→ તેમાં અનાજના દાણા તથા તેની આડ પેદાશો અને તેલિબીયાને સમાવેશ થાય છે.

શક્તિદાયક- મેંદાયુક્ત દાણ :

→ અનાજના દાણા અને તેની આડપેદાશો તેમજ તેલીબિયાનો સમાવેશ થાય છે.

→ મોલસિસ (ગોળની રસી) નો સમાવેશ

→ અનાજ : બાજરી, મકાઈ, જુવાર, જવ, ઓટ, ઘઉં, બાવટો વગેરે

→ અનાજની આડ પેદાશો: ઘઉંનું થુલું, ચોખાનું થુલું, મકાઈનું થુલું વગેરે

→ તેલીબીયા : કપાસીયા, સોયાબીન, સુર્યમુખી, કરડી વગેરે

→ અનાજના દાણામાં મેંદાયુક્ત તત્વો - 50-80 ટકા જેટલા હોય છે.

→ અપ્રચલિત ખાણદાણ : દેશી બાવળના પરડા, પરદેશી બાવળીની શીંગો, કુવાડિયાના બીજ, મહુડા ખોળ, સુબાબુલના બીજ, આમલીના બીજ, કેરીનીગોટલી, ગોળની રસી (મોલાસીસ), કોર્નસ્ટીપ લીકર, ઈસબગુલ ગોળા (લાંબી), ટામેટાં વેસ્ટ, પેટ્રો પ્રોટીન, જુવાર, ગેળેટેન અને જુવાર ખોળ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments