Ad Code

Responsive Advertisement

ચાવડા વંશ | Chavda Vansh


ચાવડા વંશ





શાસનકાળ



→ પંચાસર : ઈ.સ. 690 થી 696

→ પાટણ : ઈ.સ. 747 થી 942


→ આ વંશનું શાસન પંચાસરમાં હતું અને તેનો રાજા જયશિખરી હતો.

→ ભુવડ નામના રાજાએ પંચાસર ઉપર આક્રમણ કર્યું અને જયશિખરીને મારી નાંખી રાજય પડાવી લીધું.

→ તે સમય દરમિયાન રાજા જયશિખરીની રાણી રૂપસુંદરી સગર્ભા હોવાથી જયશિખરીનો સાળો સુરપાલસિંહ રાણી રૂપસુંદરીને જંગલમાં સલામત સ્થળે લઈ ગયો. જ્યાં જંગલમાં રાણીએ વનરાજને જન્મ આપ્યો.

→ વનરાજનો ઉછેર જૈન અનુશ્રુતિ મુજબ શીલગુણસૂરી નામે જૈન આચાર્ય અને ધર્મારણ્ય માહાત્મયના ત્રિવિધ બ્રાહ્મણોની નિશ્રામાં થયો.

→ વનરાજે પોતાના પિતાએ ગુમાવેલ રાજય પંચાસર એ 50 વર્ષનો થયો ત્યારે પાછું મેળવ્યું અને ચાવડા વંશની સ્થાપના કરી, જેનો સમય લગભગ ઈ.સ. 746નો માનવમાં આવે છે.





→ ચાવડા વંશની સ્થાપનાની સાથે તેણે નવી રાજધાની “અણહિલપુર પાટણ” ને બનાવી હતી.

→ વનરાજે રાજયાભિષેક વખતે કાકર ગામની વણિક શ્રીદેવી પાસે તિલક કરાવ્યુ હતું.

→ વનરાજ ચાવડા પછી પુત્ર યોગરાજ રાજા બન્યો, જે ન્યાયપ્રિય હતો અને તેના પછી યોગરાજનો પુત્ર ક્ષેમરાજ રાજા બન્યો જે લૂંટની વૃત્તિ કરતો હતો જેના કારણે તેમના પિતા યોગરાજથી તે સહન ન થતાં તેમણે દેહત્યાગ કર્યો.

→ આ વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો. જેની હત્યા સોલંકી વંશના સ્થાપક મૂળરાજે કરી હતી.


ચાવડા વંશનું રાજય વિસ્તાર




→ રાષ્ટ્રકૂટાદિ સમકાલીન રાજયોના અભિલેખો પરથી મળતી માહિત મુજબ ચાવડાઓ (ચાપોત્કટો)ની સત્તા હાલના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા જેટલા વિસ્તારમાં સીમિત હોવાનું માલૂમ પડે છે.

→ ચાવડા(ચાપોત્કટો) વંશના કોઈ અભલેખ અને સિક્કા ઉપલબ્ધ નથી.


ચાવડા વંશની વંશાવલી



અણહિલપુર પાટણ
  • અનુશ્રુતિ - A :
    1. વનરાજ → યોગરાજ → રત્નાદિત્ય → વૈરસિંહ → ક્ષેમરાજ → ચામુંડરાજ → આહડ → ભૂભટ

  • અનુશ્રુતિ - B :
    1. વનરાજ → યોગરાજ → રત્નાદિત્ય → ક્ષેમરાજ → ચામુંડરાજ → આહડ → ભૂભટ

  • સંશધિત :
    1. વનરાજ → યોગરાજ → ક્ષેમરાજ → ભૂયડ → વૈરસિંહ → રત્નાદિત્ય →સામંતસિંહ



    ALso Read
  • રાજા જયશિખરી

  • વનરાજ

  • રાજા સામંતસિંહ

  • સોલંકી વંશ

  • Post a Comment

    0 Comments