પોર્ટુગીઝો (ફિરંગી) | Portuguese (firangi)
પોર્ટુગીઝો (ફિરંગી)
→ ભારતમાં આવનાર વાસ્કો-દ- ગામા સૌપ્રથમ પોર્ટુગીઝ હતો.
→ ઈ.સ. 1498માં પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળેલો વાસ્કો-દ- ગામા 17મે, 1498ના રોજ ભારતના પશ્વિમ કિનારે કાલિકટ (કેરળ) બંદરે આવ્યો હતો.
→ વાસ્કો-દ- ગામા એક ગુજરાતી ખલાસી “અહમદ ઈબ્ન મજીદ” ની સહાયથી ભારત પહોચવામાં સફળ થયો હતો.
→ કાલિકટમાં રાજા સામુદ્રીક (ઝામોરિન) રાજય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરીમસાલાનો વેપાર કરવાની સંમતિ આપી.
→ પોર્ટુગીઝોએ ઈ.સ. 1503માં કોચીન (ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ કિલ્લો) અને ઈ.સ. 1505માં કન્નુરમાં કિલ્લા બાંધ્યા.
→ પેડ્રો અલ્બ્રેજ ક્રેબાલ ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ હતો.
→ 31 ડિસેમ્બર, 1500 ના રોજ ભારત આવ્યો હતો.
ફ્રાન્સિસ્કો – ડી – અલ્મેડા (ઈ.સ.. 1505 - ઈ.સ. 1509)
→ પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર : ઈ.સ. 1505માં પોર્ટુગલે પોતાના વાઈસરૉય ફ્રાન્સિસ્કો – ડી – અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો હતો.
→ તેણે ભારતમાં શાંત જળની નીતિ અપનાવી હતી.
અલ્ફાન્ઝો – ડી – આલ્બુકર્કે
→ બીજો પોર્ટુગીઝ ગવર્નર : વાઈસરૉય અલ્ફાન્ઝો – ડી – આલ્બુકર્કે ગોવા સહિત કેટલાંક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
→ કોચીનને પોતાનું વડુમથક બનાવ્યું.
→ બીજાપુરના શાસક યૂસુફ આદિલશાહ પાસેથી ગોવા જીત્યું. પોર્ટુગીઝ શક્તિશાળી નૌકાસત્તા બન્યા.
→ તેની સાથે પ્રસિદ્ધ સંત ફ્રાન્સિકો ઝેવિયર ભારત આવ્યો હતો.
→ તેમણે સેનમાથા (મદ્રાસ), હુગલી (બંગાળ) અને દીવ (કાઠીયાવાડ)માં પોર્ટુગીઝ વસાહતોની સ્થાપના કરી.
→ તેણે કોચીનમાં એક કિલ્લો બંધાવ્યો.
→ ઈ.સ. 1530માં તેણે કોચીનની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની બનાવી.
→ ગુજરાતનાં સુલતાન મહમુદ બેગડાના અવસાન બાદ ગુજરાતનાં કિનારા પર પોર્ટુગીઝોનો પ્રભાવ વધ્યો હતો.
→ મુઘલ બાદશાહ હુમાયુંની વિરુદ્ધ લડવામાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે પોર્ટુગીઝોની મદદ લીધી હતી તેથી દીવ અને દમણ પર પોર્ટુગીઝોનું વર્ચસ્વ સ્થપાયું.
→ ગોવાના ગવર્નર નીનુ – ડી – કુન્હા દ્વારા ષડયંત્રથી બહાદુરશાહને જહાજ પર બોલાવી તેની હત્યા કરવામાં આવી.
→ ઈ.સ. 1534 – વસઈ
→ ઈ.સ. 1535 – દીવ
→ ઈ.સ. 1559 – દમણ
→ પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ એન બીજાપુરના સુલતાનોએ હરાવ્યા.
→ પોર્ટુગીઝોએ ગોવામાં મોટી સંખ્યામાં હિંદુઓનું ધર્મ – પરીવર્તન કરી ખ્રિસ્તી બનાવ્યા હતા.
→ ઈ.સ. 1616 પછી અંગ્રેજોનો વેપાર શરૂ થતાં પોર્ટુગીઝોનો ગુજરાતમાં વર્ચસ્વ ઓછું થવા લાગ્યું.
→ પોર્ટુગીઝો ભારતમાં સૌ પ્રથમ આવ્યા હતા અને ઈ.સ. 1961માં ગોવા છોડીને સૌથી છેલ્લે ગયા હતા.
→ ઈ.સ. 1556 માં ભારતનું પહેલું પ્રિંટિંગપ્રેસ પોર્ટુગીઝોએ ગોવામાં સ્થાપિત કર્યું.
→ પોર્ટુગીઝોએ કાર્ટઝ – આર્મેડા કાફલા પદ્ધતિ પર જહાજોના અરબ સાગરમાં પ્રવેશ સામે નિયંત્રણ કર્યું હતું.
→ પોર્ટુગીઝો પાસે હોકાયંત્ર હોવાથી સમુદ્ર પર વર્ચસ્વ ધરાવતા હતા.
→ તેઓ ભારતમાંથી મરીમસાલા યુરોપમાં લઈ જતાં, વળતાં મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. તેમ તેઓ “સાગરના સ્વામી” ગણાતા હતા.
→ ગોથિક સાહિત્યકલાને પ્રચલનમાં મૂકી.
→ પોર્ટુગીઝોના આગમનથી અનાનસ, પપૈયું, દૂધી, બટાકા અને તમાકુની ભારતને દેન છે.
→ કર્તાઝ એ પોર્ટુગીઝો દ્વારા વેપારીઓને અપાયેલો પરવાનો છે.
→ ભારતમાં પોર્ટુગીઝોએ સૌથી વધુ નફો કાલી મિર્ચના વેપારમાં કર્યો હતો.
0 Comments