Ad Code

Responsive Advertisement

Vanraj Chavda (વનરાજ ચાવડા)


વનરાજ ચાવડા




જન્મ : નાગભટ્ટ -૨ જાના રાજ્યકાળ દરમિયાન ઈ.સ. 796માં થયો હતો.

પિતાનું નામ : જયશિખરી ચાવડા

માતાનું નામ : રૂપસુંદરી

મામા : શુરપાળ

ઉપનામ : "ચાપોત્કટ"(કનોજના રાજાની તિજોરી લૂંટવાથી)

પુત્ર : યોગરાજ ચાવડા

રાજધાની : અણહિલપુર પાટણ
→ જૈન મુની શીલગુણસુરીએ ભવિષ્યવાણી કરતાં કહ્યું કે તેઓ રાજા બનશે તથા જૈન ધર્મ ને મદદ કરશે.

શિક્ષા : મામા શુરપાળ એ ઘોડેસવાર તથા યુદ્ધ કળાની તાલીમ અને શીલગુણસુરીએ રાજધર્મનો બોધપાઠ શીખવ્યો હતો.

→ વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ, ચાંપો વાણિયો અને મામા શુરપાળ ની મદદથી કનોજના શાશક રાજા ભુવડને હરાવી તેમના પિતા (જયશિખરી ચાવડા)નું રાજ પાછું લીધું.





→ વનરાજ ચાવડાએ જંગલમાં શૂરભૂમિ પસંદ કરી ત્યાં અણહિલ્લ પાટક નામે નવું નગર વસાવ્યું અને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો.

→ વનરાજ ચાવડાનો રજ્યાભિષેક 50 વર્ષની ઉંમરે કાકર (હાલ બનાસકાંઠા જિલ્લો) ગામની માનેલી બહેન શ્રી દેવીના હાથે થયો હતો.

→ તેનો રાજયાભિષેક વિક્ર્મ સંવત 802ને બદલે શાક સવંત 802 (ઈ.સ. 880) માં થયેલ ગણીએ તો કનોજના ભૂવડ પ્રતિહાર નરેશ મિહિરભોજ હોઈ શકે.

→ અણહિલપુર પાટણમાં ઈ.સ. 746 માં ચાવડાવંશ ની સ્થાપના કરી.

→ ચાંપા વાણિયા (વણિક જામ્બ : ધનુર્વિદ્યામાં પારંગત))ની યાદમાં પાવાગઢ ની તળેટીમાં "ચાંપાનેર" નગર વસાવ્યું હતું. તથા તેને પોતાનો મહામાત્ય (મહામંત્રી) બનાવ્યો હતો.

→ ચાંપાનેર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામા આવેલું છે. તથા યુનેસ્કો ધ્વારા ઇ.સ. 2004 માં ગુજરાતની પ્રથમ વર્લ્ર્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો.

→ અણહિલ ભરવાડ ની યાદમાં "અણહિલપુર પાટણ" નગર વસાવ્યું હતું.

→ પાટણ ખાતે કાથેશ્વરી માતાનુ મંદિર તથા પાશ્વરનાથનું જૈન દેરાસર બંધાવ્યું.

→ પંચાસરા પાશ્વરનાથ મંદિરમાં વનરાજ ચાવડા અને શીલગુણસુરી ની પ્રતિમા આવેલી છે.

→ વેપારી નિન્નયે પાટણમાં ઋષદેવનું મંદિર બંધાવ્યું.

મહીપતરામ રૂપરામ નીલકંઠે ઈ. સ. 1881 માં વનરાજ ચાવડા નામની નવલકથા લખી.

→ ચાવડા વંશનું વહીવટીતંત્ર મૈત્રક કાળ જેવુ હતું.

→ આ સમયમાં આઠમી સદીમાં ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ગાંધાર પ્રદેશ (ભરૂચ) માં સ્થપાઈ હતી.

→ વનરાજ ચાવડા પછી તેના પુત્ર યોગરાજ ચાવડા શાસનમાં આવે છે.

Post a Comment

0 Comments