Ad Code

Responsive Advertisement

જૈન ધર્મનો ઉદભવ અને વિકાસ | Emergence and Development of Jainism



જૈન ધર્મનો ઉદભવ અને વિકાસ







→ મહાવીર સ્વામીએ 42 વર્ષની વયે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું.

→ મહાવીર સ્વામી પહેલાં ત્રેવીસમાં તીર્થકર – પાશ્વર્નાથે ઈ.સ. પૂર્વે 700 ની આસપાસ જૈન ધર્મની વિચારસરણીનો ઉપદેશ લોકોને આપ્યો હતો.

→ મહાવીર સ્વામી પોતાનો ઉપદેશ લોકોને તેમની લોકભાષા અર્ધમાગધીમાં આપ્યો.






→ પ્રાચીન સમયમાં જૈન ધર્મ કલિંગ (હાલનુ ઓડિશામાં) દેશમાં પ્રસર્યો હોય તેમ જણાય છે.

→ ચીની યાત્રાળુ હ્યુ-એન- સ્વાંગે કલિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવસ્થાન કહ્યો છે.

→ બિહારામાં નંદ વંશના આશ્રયે જૈન ધર્મ ફેલાયો.



→ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રાતિએ જૈન ધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.

→ ચંદ્રગુપ્તના શાસનકાળના અંતભાગમાં મગધમાં દુષ્કાળ પડતાં ગણધર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણમાં ગયાં.

→ મગધમાં રહેલા અનુયાયીઓએ ગણધર સ્થૂલીભદ્રની નેતાગીરી નીચે મહાવીર સ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ પુન:રચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભા બોલાવી.



→ આ સમયે દક્ષિણ ભારત ગયેલા અનુયાયીઓમાં મગધ પાછા ફરતાં, બંને તરફની કેટલીક સૈદ્ધાંતિક બાબતો વિશે મતભેદ ઊભા થતાં શ્વેતાંબર અને દિગંબર એમ બે જૈન સંપ્રદાય ઊભા થયા.

→ શ્વેતાંબર : શ્વેત વસ્ત્રોના હિમાયતી સાધુઓને અનુયાયી લોકો.

→ શ્વેતાંબર મૂર્તિપૂજાના હિમાયતી હતા.

→ દિગંબર : દિક = દિશા પરથી અપભ્રંશ શબ્દ દિગ

→ તેઓ માનતા હતા કે જૈન સાધુઓને વસ્ત્ર ધારણ કરવા ન જોઈએ. આગળ જતાં દિગંબરના પણ બે ફાંટા પડી ગયાં (1) વીસપંથી (2) તેરાપંથી











Post a Comment

0 Comments