Ad Code

Responsive Advertisement

Mughal Emperor : Babur | મુઘલ વંશ : બાબર


બાબર (ઇ.સ. 1526- 1530)

→ ભારતમાં મુઘલ વંશનો સ્થાપક

→ મૂળ આરબ નામ : ઝહીરુદ્દીન મુહંમદ બાબર

→ જન્મ : 14 ફેબ્રુઆરી 1483, અંદિજાન, ફરઘાના, મધ્ય એશિયા

→ પિતા : ઉમર શેખ મીર્ઝા (તિમૂરલંગના ચોથા વંશજ અને ફરઘાનાના શાસક હતા.)

→ માતા : કુતલુગ નિગારખાન બેગમ

→ ઉપનામ : બાબર અર્થાત્ સિંહનું ઉપનામ તેને તેના નાના (માતાના પિતા) યૂનુસખાને આપ્યું હતું.

→ પિતૃવંશ : તૈમુરનો વંશજ

→ માતૃવંશ : ચંગેઝખાંનો વંશજ

→ શાસન : 12 વર્ષની ઉંમરે ફરઘાનાની ગાદીએ બેઠો.

→ ઉપાધિ : 1507 માં કાબૂલની જીત બાદ બાદશાહની ઉપાધિ

→ બાબર તેની ઉદારતા માટે “કલન્દર” તરીકે જાણીતો બન્યો.

→ અવસાન : 26 ડિસેમ્બર, 1530

→ બાબર એક સફળ સેનાપતિ, લેખક, કવિ તથા વિવેચક હતો.




→ આત્મકથા : તેણે તુર્કી ભાષામાં લખાયેલી પોતાની આત્મકથા “તુઝૂક – એ – બાબરી” ની રચના કરી. (જેનો ફારસી અનુવાદ “બાબરનામા” કહેવાય છે.)

→ બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિપ્રેમી અને લેખક હતો.

→ બાબરે મુબૈયાન નામની કાવ્યશૈલીની શોધ કરી હતી.

→ પુત્ર : હુમાયું

→ પુત્રી : ગુલબદન બેગમ કે જેણે હુમાયુનામાની રચના કરી હતી.

→ સર્વપ્રથમ અકબરના સમયમાં તેનો ફારસી અનુવાદ પાયંદાખાંએ કર્યો હતો.

→ મૃત્યુ : 26 ડિસેમ્બર 1530, આગ્રા ખાતે બાબરનું મૃત્યુ થયું. પહેલા તેને આરામબાગ અને ત્યાર બાદ કાબુલમાં તેણે પસંદ કરેલી જગ્યાએ દફનાવાયો હતો.

→ બાબરે આગ્રામાં ભૂમિતિના આધારે નૂરે અફઘાન નામક બગીચો તૈયાર કરાવ્યો હતો. જેને “આરામબાગ” કહેવામાં આવે છે.


કાબુલમાં સત્તા કર્યા બાદ બાબરે (ઈ.સ. 1518-19) ભારત પર ચડાઈ કરીને સિયાલકોટ, દીપલૂર પર અધિકાર પ્રાપ્ત કર્યો.

ભારત પર સર્વપ્રથમ આક્રમણ



→ જાન્યુઆરી 1519થી શરૂ કરી ભારત પર પાંચ આક્રમણો કર્યાં.

→ શરૂઆતનાં ચાર આક્રમણોમાં તેણે બેજોરનો કિલ્લો, સિયાલકોટ, સૈયદપુર, લાહોર અને દિપાલપુર કબજે કર્યાં હતાં.

→ ભારત પર સર્વપ્રથમ આક્રમણ ઈ.સ. 1519 માં બેજોર પર યુસૂફ જાતી વિરુદ્ધ કર્યું હતું.

→ ભારત પર ચડાઈ કરીને સિયાલકોટ, દીપાલપુર પર ધિકાર પ્રાપ્ત કર્યો અહીંથી બાબરને દોલતખાન લોદી (પંજાબના હકિમ) અને આલમર્ખાં (ઈબ્રાહિમના કાકા) એ ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

→ છેલ્લા આક્રમણમાં તેણે પોતાના 12,000ના સૈન્ય સાથે પાણીપતના મેદાનમાં દિલ્હીના અફઘાન સુલતાન ઇબ્રાહીમ લોદીની એક લાખની સેનાને 21 એપ્રિલ 1526ના રોજ હરાવીને નિર્ણાયક વિજય મેળવ્યો.

→ આ વિજય માટે બાબરનું શિસ્તબદ્ધ સૈન્ય, તોપખાનું અને વ્યૂહરચના જવાબદાર હતાં.

→ બાબરે દિલ્હીમાં મુઘલવંશ સ્થાપ્યો. તેનાથી અફઘાન સત્તા નાબૂદ થઈ અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો.



બાબરે લડેલા મુખ્ય યુદ્ધ



→ પાણીપતનું પ્રથમ યુદ્ધ , ખાનવાનું યુદ્ધ, ચંદેરી યુદ્ધ , ગોગ્રાનું યુદ્ધ, ઘાઘરાનું યુદ્ધ


પાણીપતનું પ્રથમ યુદ્ધ



→ સમય : 21 એપ્રિલ, 1526

→ આ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું.

→ દિલ્હી સલ્તનતના શાસક હિબ્રાહિમ લોદી સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોદીને પરાજ્ય આપી બાબરે ભારતમાં મુઘલ શાસનની શરૂઆત કરી.

→ આ યુદ્ધ માં બાબરની જીત થઈ હતી અને ઇબ્રાહિમ લોદી માર્યો ગયો.

→ બાબરે આ યુદ્ધમાં તુલૂગમાં યુદ્ધ પદ્ધતિ અને તોપખાનાનો ઉપયોગ કર્યો હતો.

→ આ યુદ્ધમાં પહેલી વાર તોપનો ઉપયોગ થયો હતો.

→ ઉસ્તાદ અલી કુલી ને મુસ્તફા, બાબરના તોપચી હતા.



ખાનવાનું યુદ્ધ



→ સમય : 16 માર્ચ, 1527

→ આ યુદ્ધ બાબર અને મેવાડના રાજપુતોના સંઘનું નેતૃત્વ કરનાર રાણાસાંગા વચ્ચે થયું હતું.

→ બાબરે ખાનવા મુકામે યુદ્ધ કરી રાણાસાંગા ને હરાવ્યો.

→ યુદ્ધમાં વિજય બાદ બાબરે ગાઝિની ઉપાધિ ધારણ કરી હતી.

→ ખાનવાના યુદ્ધ બાદ બાબરે ચંદેરી તરફ નજર કરી.


ચંદેરીનું યુદ્ધ



→ ચંદેરીમાં મેદનીરાયનું શાસન હતું.

→ સમય : 29 જાન્યુઆરી, 1528

→ આ યુદ્ધ બાબર અને ચંદેરીના મેદનીરાય વચ્ચે થયું હતું.

→ જેમાં મેદીનીરાયનું મૃત્યુ થયું હતું. તેણે આ યુદ્ધમાં જેહાદ ઘોષિત કરી હતી.

અહમદશાહને ચંદેરીનો કિલ્લો સોંપીને બાબર આગ્રા પરત ફર્યો.


આ સમયે અફઘાનોએ બિહારમાં પોતાની સત્તા જમાવી. તેને લખનૌ, શમ્સબાદ અને કનોજનો કબજો લીધો.

ગોગ્રાનું યુદ્ધ



→ બાબરે ગોગ્રાના યુદ્ધથી રાજપુતો પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો.

ગોગ્રાનું યુદ્ધ બાદ તેનો રાજ્યવિસ્તાર પશ્વિમે કાબુલથી પૂર્વે ધામસ નદી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી ફેલાયો.

ઘાઘરાનું યુદ્ધ



→ સમય : 6 મે , 1529

→ આ યુદ્ધમાં બાબરે ઘાઘરા કિનારે (બિહાર) અફઘાનોને પરાજિત કર્યા હતા.

→ આ યુદ્ધ બાબરે લડેલી છેલ્લું યુદ્ધ હતું.






Post a Comment

0 Comments