Ad Code

Responsive Advertisement

ફિરોજશાહ તુઘલક (ઇ.સ. 1351 - ઇ.સ. 1388) | Firoz Shah Tughlaq (1351 AD - 1388 AD)



ફિરોજશાહ તુઘલક (ઇ.સ. 1351 - ઇ.સ. 1388)



→ રાજયાભિષેક : મુહમ્મદ બાદ તેના પિતરાઇ ભાઈ ફિરોજ તુઘલકનો રાજયાભિષેક કરવામાં આવ્યો.






→ ઉપાધિ : આધુનિક ઈતિહાસકાર એલફિન્સટને તેને સલ્તનત યુગનો અકબર કહ્યો છે.

→ શાસન : ઇ.સ. 1351 થી 1387

→ આત્મકથા : કુતુહત – એ- ફિરોજશાહી (ફારસી) (દિલ્હી નો એકમાત્ર સુલ્તાન જેને પોતાની આત્મકથા લખી)

→ સિક્કા : શશગની

→ અધ્ધા (Half જીતલના 50 %) અને બીપ (પા જીતલના 25%) નામના તાંબા અને ચાંદીના મિશ્રિત સિક્કાનીઉ ચલણ શરૂ કર્યું હતું.



  • મંત્રી

  • → ખાને – જહાં મકબૂલ

  • દરબારી ઈતિહાસકાર

  • → શમ્સે – સિરાઝ – અફિફ

    → ઝિયાઉદ્દીન બરની ( રચના : તારીખ – એ – ફિરોજશાહી, ફતવા – એ- જહાંદારી)







    સ્થાપત્ય



    → ફિરોજશાહે હિસાર, ફિરોજાબાદ, ફિરોજશાહ કોટલા કિલ્લો, ફતેહાબાદની સ્થાપના કરી.

    → ફિરોજશાહ કોટલા કિલ્લામાં એક મોટી જામા મસ્જિદ તેમજ કેટલીક અન્ય ઇમારતો દરગાહ – એ – શાહ આલમ, કાલી મસ્જિદ, બેગમપુરી મસ્જિદ વગેરે આવતી હતી.

    → તેને મુહમ્મદ બિન તુઘલક (જૂના ખાં) ની સ્મૃતિમાં જૌનપુરની સ્થાપના પણ કરી હતી.

    → ફિરોજશાહે તાશ – એ- ઘડિયાળ અને એક જળઘડિયાળનું પણ નિર્માણ કરાવ્યુ હતું.

    → તેણે અશોકના બે સ્તંભોને પણ દિલ્હીમાં મંગાવ્યા હતા. તેમાંથી એક મેરઠ અને એક ટોપરા (પંજાબ) થી લવાયો હતો.





    → ફિરોજશાહ તુઘલકના મકબરાનો ગુંબજ અષ્ટકોણીય ડ્રમ પર આધારિત હોવાથી એક વિશિષ્ટ સ્થાપત્યનો નમૂનો ગણાય છે.

    → ફિરોજશાહ તુઘલકે સૌથી વધુ નહેર બંધાવી હતી.

    → નવા કારખાના શરૂ કર્યા અને તેના માટે ગુલમોની ભરતી કરી . દીવાનો માટેનો આ વિભાગ “દીવાન એ બંદગાહ” બનાવ્યો.

    → તેણે ઓરિસ્સાનું જગન્નાથમંદિર તોડી અને લૂટયું.

    → ફિરોજશાહને સલ્તનતયુગનો અકબર કહેવામાં આવે છે.

    → તેણે ફિરોજશાહ કોટલા કિલ્લો, હિસાર, જોનપુર, ફિરોઝાબાદ, ફતેહાબાદ જેવા શહેરો વિકસાવ્યા.

    → તેણે પોતાના વારસદાર તરીકે નાસીરુદીન મોહંમદ તુઘલકને જાહેર કર્યો.






    ધાર્મિક નીતિ



    → દીવાન એ ખૈરાત / ઇસ્તિયાક

    → નિર્ધન મહિલાઓ અને બાળકોની આર્થિક સહાયતા માટે આ વિભાગની સ્થાપના કરી હતી

    → આ વિભાગ દાનધર્મ અને ધાર્મિક બાબતોને લગતો હતો.


    રોજગાર



    → તેણે બેરોજગાર માટે રોજગાર વિભાગની સ્થાપના કરી હતી.








    કર વ્યવસ્થા



  • ખરાજ

  • → લગાન કે મહેસુલ

    → હિન્દુઓ પરનો જમીનકર

    → ઉત્પાદકતાનો 1/3 થી ½ ભાગ

  • ખુમ્સ

  • → યુદ્ધમાં લૂંટાયેલા માલ પર લાગનારનો કરા હતો.

    → યુદ્ધમાં લૂંટાયેલા ધનનો 1/5 ભાગ ખજાનાનો અને 4/5 ભાગ સૈનિકોનો રહેતો હતો.

  • જજિયો

  • → હિન્દુઓ પર ધાર્મિક કર

    → બ્રાહ્મણો પાસેથી પણ કર વસૂલવામાં આવતો હતો.

  • જકાત

  • → સંપત્તિ પરનો કર

    → આવકનો 2.5 % ભાગ મુસ્લિમો પાસેથી

  • અશ્ર

  • → મુસ્લિમો પરનો જમીન કર

    → ઉત્પાદકતાનો 1/10 ભાગ

    → હક – એ શર્બ

  • સિંચાઇ

  • → જે ઉપજનો 1/10 ભાગ રહેતો હતો

    → ફિરોજશાહ તુઘલકે સરકારી ઋણ માફ કરી દીધું હતું.

  • મહેસૂલ (લગાન)

  • → કુલ પાક ઉત્પાદનનો ½ થી 1/3 ભાગ



    ગુજરાત



  • ફિરોજશાહ તુઘલકના સમયમાં ગુજરાતના સૂબાઓ (ગવર્નર)

  • સૂબો વર્ષ
    નિઝામ –ઉલ - મુલ્ક 1351 – 1362
    ફઝરખાન ફારસી 1362 – 1372
    ઝફરખાન 2 / દરિયાખાન 1372 – 1374
    શમ્સુદ્દીન દામધાની 1374 – 1380
    ફતેહ – ઉલ – મુલ્ક 1380 – 1387


    → સૂબો ફતેહ – ઉલ – મુલ્ક બળવાન થતો જતો હતો. તેથી તેને તાબામાં રાખવા માટે “ઝફરખાન” ને ગુજરાતમાં મોકલવામાં આવ્યો હતો.

    → ફતેહ – ઉલ – મુલ્ક અને ઝફરખાન વચ્ચે યુદ્ધ થયું હતું અને તેમાં ઝ્ફરખાન વિજયી બન્યો.

    → જે મેદાનમાં ઝફરખાનની જીત થઈ ત્યાં તેણે “જીતપુર” નામનું નાગર વસાવ્યું.










    Post a Comment

    0 Comments