Ad Code

Responsive Advertisement

વિશ્વનો સૌથી મોટા મંદિર રોપવે ( The world's largest temple rope-way)



ગુજરાતનાં જુનાગઢ ખાતે વિશ્વના સૌથી મોટા મંદિર રોપવે ની શરૂઆત 24 ઓક્ટોબર 2020ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી ધ્વારા નવી દિલ્હી ખાતેથી ઇ-લોકાર્પણ કરાવ્યુ છે.

આ રોપવેની લંબાઇ 2320 મીટર અને ઊંચાઈ 900 મીટર છે.

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભવનાથની તળેટીથી અંબાજીની ચોટી વચ્ચે આ રોપવેની શરૂઆત કરવામાં આવી છે.

ભવનાથની તળેટીથી અંબાજીની ચોટી વચ્ચે નું અંતર રોપવેની મદદથી 7.30 થી 8.00 મિનિટમાં કાપી શકશે.

આ રોપવેમાં 25 કેબિન હશે જેમાં પ્રત્યેક કેબિનમાં 8 વ્યક્તિઓની બેસવાની ક્ષમતા હશે.

આ રોપવે એક કલાકમાં 1000 વ્યકતીઓના વહનની ક્ષમતા ધરાવે છે.

શિલાન્યાસ કોણે કર્યો હતો ?: ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી ધ્વારા 1 મે 2007 ના રોજ

બાંધકામની શરૂઆત ક્યારે થઈ હતી ? : સપ્ટેમ્બર 2018 માં થયો હતો.

બનાવવાનો ખર્ચ : રૂપિયા 130 કરોડ

કઈ કંપની ધ્વારા બનવાવમાં આવ્યું? : ઉષા બ્રેકો લિમિટેડ

* ગિરનાર રોપવે વિશ્વનો સૌથી મોટો મંદિર રોપવે છે. ઉપરાંત તે એશિયાનો સૌથી લાંબો રોપવે પણ છે.

Post a Comment

0 Comments