Ad Code

Responsive Advertisement

કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojana)



ગુજરાતનાં ખેડૂતો માટે 24 ઓક્ટોબર, 2020 ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી ગુજરાત સરકારની "કિસાન સૂર્યોદય યોજના" નો વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને સિંચાઇ માટે રાત્રિના સમયને બદલે હવે દિવસના સમય દરમિયાન જ વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત સરકાર ધ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને હવે સરવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીમા વીજ પુરવઠો ઉરો પાડવામાં આવશે.

ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ એમ ત્રણ જિલ્લાના 1055 ગામોમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 2023 સુધીમાં આ યોજના હેઠળ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રૂપિયા 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે.

Post a Comment

0 Comments