વિશ્વ ક્ષય દિવસ | World TB Day | World Tuberculosis Day |24 March

વિશ્વ ક્ષય દિવસ
વિશ્વ ક્ષય દિવસ | World TB Day

→ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 24 માર્ચના રોજ 'વિશ્વ ક્ષય દિવસ'નું આયોજન કરવામાં આવે છે.

→ વર્ષ-1882માં ડો.રોબર્ટ કોયે ક્ષયરોગ એટલે કે ટયુબરક્લોસિસ(ટીબી)ના જીવાણુઓ – બેક્ટેરિયાની તા.24મી માર્ચના રોજ ઓળખ કરી તેની સ્મૃતિમાં અને આ રોગની અસરો તેમજ સારવાર માટે લોકોને માહિતગાર કરવા તા. 24મી માર્ચ,1982થી દર વર્ષે આ દિવસે વિશ્વ ટીબી દિવસ – વિશ્વ ક્ષય રોગ નિવારણ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.

→ ક્ષય રોગથી પીડાતા લોકોને મફત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો, ક્ષય અંગે જનજાગૃતિ લાવવાનો અને આરોગ્ય કર્મયારીઓને પ્રોત્સાહિત કરવાનો છે.

→ આ રોગ માયકોબેકટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેકટેરિયાથી થાય છે. આ એક હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે. જ્યારે રોગી ખાંસી ખાય, છીંક ખાય કે થૂંકે ત્યારે આ રોગના બેકટેરિયા ફેલાય છે. તેને પ્રાચીન કાળમાં યહુમા તરીકે ઓળખવામાં આવતો હતો.

→ ક્ષય રોગને TB (Tuberculosis) તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ ક્ષય રોગ ફેફસાને લગતો રોગ છે. પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુકસાન પહોંચાડે છે.

→ આ રોગના દર્દીમાં લાંબા સમય સુધી ખાંસી, કફ, ગળામાંથી લોહી પડવું, તાવ, વજનમાં ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મળે છે.

→ ક્ષય રોગ ન થાય તે માટે BCG (Bacille Calmette-Guerin)ની રસી મૂકવામાં આવે છે. BCG રસીની શોધ ગ્યુરીન કાલમેટે કરી હતી.

→ National Institute for Research in Tuberculosis-NIRT ચેન્નાઈ (તમિલનાડુ), National Tuberculosis Institute બેંગ્લોર (કર્ણાટક) અને National Institute of TB and Respiratory Diseases દિલ્હી ખાતે આવેલ છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 1962માં રાષ્ટ્રીય ક્ષય રોગ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેના અંતર્ગત જિલ્લા સ્તર પર જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.

→ BCG, or bacille Calmette-Guerin(બસિલસ કાલ્મેટ ગ્યુરીન)

→ 1993માં 172 દેશોના 85 ટકા શિશુઓને બીસીજીની રસી અપાઈ હતી. આ ક્ષય રોગ માટેની સૌ પ્રથમ રસી હતી.

→ ભારત સરકાર દ્વારા વર્ષ 1997માં રિવાઇઝડ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. પાછળથી તેનું નામ બદલીને નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે.

→ ભારત સરકાર દ્વારા વર્ષ 2012માં ટીબીને નોટિકાઈબલ રોગ જાહેર કરવામાં આવ્યો હતો.

→ વિશ્વ ક્ષય દિવસ WHO દ્વારા ઉજવાતા 11 વૈશ્વિક સ્વાસ્થ્ય અભિયાનમાનું એક છે.

→ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય નીતિ-2017માં ભારતમાંથી વર્ષ 2025 સુધીમાં ક્ષયની નાબુદી કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જયારે સમગ્ર વિશ્વમાં ક્ષય નાબૂદીની સમય સીમા વર્ષ 2030 નિર્ધારિત કરવામાં આવી છે.

→ ક્ષય રોગના દર્દીઓને પોષણ સંબંધી સહાય આપવા માટે એપ્રિલ, 2018માં નિક્ષય પોષણ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના મુજબ ક્ષયના દર્દીઓને ઉપચાર માટે દર મહિને 500 રૂપિયા આપવામાં આવતા હતાં.

→ ભારતમાં વર્ષ 2019માં ક્ષય નાબૂદી માટે 'TB Harega Desh Jeetega' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

→ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા DR-TB (Drug Resistant- DATION TB) દર્દીઓને માનસિક-સામાજિક સલાહ માટે સક્ષમ પરિયોજના શરૂ કરવામાં આવી છે.



વિશ્વ ક્ષય દિવસ : Theme

→ 2025ની થીમ : "Yes! We can End TB: Commit, Invest, Deiver"

→ 2024ની થીમ : ON Yes! We can end TB!

→ 2023ની થીમ : Yes! We can end TB!


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments