Ad Code

Responsive Advertisement

રાણકી વાવ (રાણીની વાવ) | Ranki Vav | Rani ni Vav


રાણકી વાવ (રાણીની વાવ)

→ રાણકી વાવ પાટણ જિલ્લામાં આવેલી છે.

→ રાણકી વાવ નું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ ઈ.સ. 1063 કરાવ્યું હતું.


→ રાણીની વાવને ભારતમાં બધી જ વાવોની રાણી કહેવામાં આવે છે.

→ આ વાવ 11 મી સદીનું સ્થાપત્ય ગણવામાં આવે છે.

→ રાણકી વાવને સૌપ્રથમ કજેન્સ અને બર્ગેસ એ શોધી હતી.

→ આ વાવનું ઉત્ખનન ઈ.સ. 1980માં ભારતીય પુરાતત્વખાતા દ્વારા કરવામાં આવ્યું હતું.

→ રાણકી વાવમાં કુલ 7 માળ છે. તેમજ વાવ જયા પ્રકારની છે.

→ આ વાવ મારૂ ગુર્જરા સ્થાપત્ય શૈલીમાં બનેલી છે.


→ સરસ્વતી નદીના તટે બનેલી આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે.

→ રાણકી વાવને યુનેસ્કો દ્વારા 22 જૂન 2014 ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

→ ભારતમાં કુલ 40 સાઈટ છે જેને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે તેમાંથી રાણકી વાવનો ક્રમ 31 મો છે.


→ રાણકી વાવને વર્ષ 2016 માં Cleanest Iconic Place નો એવોર્ડ મળ્યો હતો.

→ ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.




→ રાણકી વાવનો ઉલ્લેખ જૈન મુનિ મારૂંગા સૂરી દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં પણ જોવા મળે છે.

→ રાણકી વાવનું મુખ્ય વિષયવસ્તુ દશાવતારના શિલ્પ છે.

→ Travels in western India નામના ગ્રંથમાં જેમ્સ ટોડે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો છે.


Post a Comment

0 Comments