ડેન્ગ્યુ | Dangue


ડેન્ગ્યુ

→ ડેન્ગ્યુ વાઈરસથી ફેલાતો રોગ છે જે માદા એડિસ ઈજિપ્ત મચ્છર કરડવાથી સામાન્ય તાવથી આ રોગની શરૂઆત થાય છે.

→ અન્ય નામ : બ્રેક બોન ફીવર, હાડકાં તોડ તાવ

→ ભારતમાં વર્ષ 1945માં ડેન્ગ્યુ વાઈરસ તરીકે ઓળખાયો હતો.

→ આ રોગનો સૌપ્રથમ કેસ વર્ષ 1956માં તમિલનાડુના વેલ્લોર જીલ્લામાં જોવા મળ્યો હતો.

→ વર્ષ 1963માં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર (DHF)નો પ્રથમ કેસ ભારતમાં કલકત્તામાં જોવા મળ્યો હતો.

→ ડેન્ગ્યુ સિન્ડ્રોમ, હેંરેજિક તાવ જેમાં આખા શરીરના અવયોમાં રક્તસ્ત્રાવ થાય એને ડેન્ગ્યુ સિન્ડ્રોમ કહે છે.


→ ડેન્ગ્યુ સારવાર માટે India Fights Dangue મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે.

→ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 16મેના રોજ ઊજવવામાં આવે છે.

→ જુલાઇ મહિનાને ડેન્ગ્યુ મહિનો તરીકે ઊજવવામાં આવે છે.

→ ડેન્ગ્યુમાં મૃત્યુનું કારણ હાઈડ્રોવોલીક શોક છે.


→ વાઇરસ : અર્બોવાઈરસ ફ્લેવી વાઈરસ

→ વાઇરસના પ્રકાર

  1. સીરો (DENV) ટાઈપ – 1
  2. સીરો (DENV) ટાઈપ – 2
  3. સીરો (DENV) ટાઈપ – 3
  4. સીરો (DENV) ટાઈપ – 4



ફેલાવો

→ માદા એડિસ ઈજિપ્ત મચ્છર કરડવાથી માનવ શરીરમાં ડેન્ગ્યુ વાઈરસ દાખલ થાય છે.

→ ફિમેલ અને ફિયરલેસ બાયટર દિવસ દરમિયાન કરડે છે, આથી તેને ડે બાયટર કહે છે.

→ એડિસ ઈજિપ્ત મચ્છરને સફેદ રંગના પટ્ટા હોવાથી તેને ટાઈગર મોસ્કિયુટો કહે છે.

→ મચ્છરનો રિઝોર્વોયર ચેપ મનુષ્ય અને મચ્છર બંનેમાં ફેલાય છે.

→ મચ્છર શરીરમાંથી લોહી ચૂસે છે અને તે લોહીની સાથે ડેન્ગ્યુ વાઈરસ દાખલ થાય છે.




→ ઉદ્ભવ અવધિ : 3 થી 10 દિવસ




લક્ષણો

→ યકૃત પર સોજો આવે

→ સામાન્ય તાવમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે. તાવ 5 દિવસ સુધી રહે છે, ઠંડી સાથે 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી તાવ આવે છે. આથી આને બ્રેક બોન ફીવર કહે છે.

→ અસહ્ય માથાનો દુખાવો થાય છે.

→ સ્નાયુઓમાં તેમજ સાંધાનો દુખાવો, આંખના પોપચમાં દુખાવો થાય છે.

→ ત્રાકકણો (પ્લેટલેટ)ની સંખ્યા ઘટી જાય છે.

→ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર પ્લેટલેટઘટાડો થવો, લીવર મોટું થવું, હિમોગ્લોબિન પ્રમાણ વધવું.

→ ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ શરીરમાં પાણી ઓછું થવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે.

→ લોહી પરિભ્રમણની નિષ્ફળતાને લઈને દર્દી ખૂબ ઝડપથી બેભાનપણાની સ્થિતિમાં જતો રહે છે, તે 12 – 14 કલાકમાં મૃત્યુ પામે છે.

→ પ્લાઝમા લીકેજ અને અસાધારણ રીતે લોહી બહાર આવવું.

→ હિમેટ્રોકીટ વેલ્યુમાં વધારો થાય છે. (લાલ રક્ત કોશિકાઓ અને શરીરની પેશીઓમાં ઑક્સીજનની ટકાવારી ઊંચી હોય છે.)




ડેન્ગ્યુ તાવના પ્રકારો અને લક્ષણો

ક્રમ સ્વરૂપ લક્ષણો
1. ડેન્ગ્યુ ક્લાસિકલ ફીવર (DCF) પ્લાઝમા લીકેજ, લોહીની ઊલટી, કાળું સંડાસ, હીમેટોકીટ વેલ્યૂ
2. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (DSS) નાડીના નબળા ધબકારા, BP ઓછું થવું, શરીર ઠંડુ પડવું
3. ડેન્ગ્યુ હેંરેજિક ફીવર (DHF) મગજનો તાવ (સામાન્ય તાવ)


નિદાન

→ IV FLUID ઘનિષ્ટ સારવાર (હેમરેજીકના કેસોમાં)

→ ટૂર્નીકેટ ટેસ્ટ

→ રમ્પલ લીડ ટેસ્ટ

→ ડેન્ગ્યુના નિદાન માટે ત્રણ પદ્ધતિ

  1. IGG જૂનો ચેપ (14 થી 21 દિવસ)
  2. IGM નવો ચેપ (5 થી 7 દિવસ)
  3. માળખાકીય પ્રોટીન – 1 (ટેસ્ટ)


સારવાર

→ પેરસિતમોલ આપવી જોઈએ પરંતુ એસ્પિરિન, આઇબ્રુફેન જેવી દર્દશામક દવા આપવી જોઈએ નહીં.

→ હેમરેજિક ફીવરના કિસ્સામાં યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ હોય શકે છે.

→ આની કોઈ ચોક્કસ સારવાર નથી. કુદરતી રીતે વિટામિન C , PCM, વધુ પ્રમાણમા પ્રવાહી આપવામાં આવે છે.






ડેન્ગ્યુની રસી

→ ડેંગવેક્સીયા વર્ષ 2018માં મેક્સિકોમાં શોધાઈ હતી. (CYT-TDV)



રોકથામ અને નિયંત્રણ

→ સ્થિર બંધિયાર ચોખ્ખા પાણીમાં નાની માત્રામાં પણ ભરાઈ રહેતા હોય તેવા તમામ ઘરો કે બહારની જગ્યાઓમાં આ મચ્છર પેદા થાય છે.

→ એડિસ માદા મચ્છર મુખ્યત્વે મનુષ્યો દ્વારા નિર્મિત વપરાશ વસ્તુઓ જેવી કે પાબી ભરવા માટે બનાવેલ ધાતુના બનેલ ડ્રમ, માટીના વાસણો તેમ જ ઘરમાં પાણીનો સંગ્રહ કરવા બનાવેલ સિમેન્ટ ક્રોક્રીટની અર્ઘ ખુલ્લી ટાંકીઓ, હોજમાં, તૂટી ગયેલા પ્લાસ્ટિકના વાસણો જે ફેંકી દિઘાં હોય, જૂના તૂટી ગયેલા ટાયર્સ, નાળિયેરની છાજલીઓ, વગેરેમાં પાણી ભરાઈ રહે છે તેમાં એડિસ માદા મચ્છરનો ઉપદ્રવ થાય છે. આવી ચીજવસ્તુઓના નાશ કરવો જોઈએ. તેમજ સમયાંતરે અઠવાડિયે એકવાર સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ.

→ માદા મચ્છરો પણ નિયંત્રણ લાવવું ને તેનો નાશ કરવા માટે ગપ્પી (ગંદા પાણીમાં) અને ગંબુશિયા (ચોખ્ખા પાણીમાં) માછલીઓનો ઉછેર અને ઉમેરો કરવો જોઈએ.

જંતુનાશક દવા છંટકાવ (સતત 4 અઠવાડિયા સુધી): ડાયક્લોરો ડ્રાયફિનાઈલ ટ્રાઈક્લોરોઈથેન (DDT), મેલેથીઓન, આલ્ફાસાયપરમેથ્રીન, સિંથેટિક, પાઈરેથ્રમ વગેરે દવાઓનો છંટકાવ કરવો જોઈએ.

→ ફોગિંગ કરવામાં આવે ત્યારે 45 મિનિટ સુધી દરવાજા બંધ રાખવા જોઈએ.



ડેન્ગ્યુ મચ્છરની વિશેષતા

→ આ મચ્છર સળંગ 400 મીટર ઊંચાઈ સુધી ઊડવાની ક્ષમતા ધરાવે છે.

→ એક વખત માદા મચ્છર ચેપી બને તો તે હંમેશા ચેપી જ રહે છે તેને ટ્રાન્સ ઓવેરિયન ટ્રાન્સમિશન કહે છે.

→ એડિસ માદાના ઈંડા પાણી વગર ત્રણ વર્ષ સુધી જીવી શકે છે.


Post a Comment

0 Comments