Article -112 | Budget |વાર્ષિક નાણાંકીય પત્રક


વાર્ષિક નાણાંકીય પત્રક

→ અનુચ્છેદ -112 : રાષ્ટ્રપતિ દરેક નાણાંકીય વર્ષ માટે સંસદના બંને ગૃહોની સમક્ષ ભારત સરકારની તે વર્ષ માટેની અંદાજિત આવક અને ખર્ચનું પત્રક રજૂ કરાવશે જેને વાર્ષિક નાણાંકીય પત્રક જે બજેટ કહેવાય છે.

→ બંધારણમાં “બજેટ” શબ્દનો ક્યાય ઉલ્લેખ નથી.

→ વાર્ષિક નાણાંકીય પત્રકમાં ભારતની સંચિતનિધિ (સ્થાયી ભંડોળ/ એકત્રિત ભંડોળ) ખાતે ઉધારેલ ખર્ચ અને અન્ય ખર્ચની રકમને અલગ અલગ દર્શવાવમાં આવે છે.

→ બજેટ લગભગ ફેબ્રુયારીના અંતમાં લોકસભામાં રજૂ કરવામાં આવે છે.

→ બજેટ એ નાણાંખરડા અને નાણાંકીય ખરડાનું મિશ્ર સ્વરૂપ છે.

→ બજેટ એક નાણાંકીય વર્ષ (1 એપ્રિલ થી 31 માર્ચ) માટે રજૂ કરવામાં આવે છે.

→ રેલ્વે બજેટ રેલેવેમંત્રી દ્વારા અલગથી રજુ કરવામાં આવે છે. તેનો સામાન્ય બજેટમાં સમાવેશ થતો નથી.

→ 1921માં એડવર્થ કમિટીની ભલામણથી રેલ્વે બજેટ સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું છે.




અનુચ્છેદ -112 મુજબ ભારતના બંધારણમાં બજેટની નીચે મુજબની જોગવાઇઓ

→ રાષ્ટ્રપતિ દરેક નાણાંકીય વર્ષમાં બંને ગૃહોમાં રજુ કરાવશે. બજેટ માત્ર લોકસભામાં રજુ થાય છે. પછી રાજયસભામાં માત્ર સહમતી માટે મોકલાય છે.

→ રાષ્ટ્રપતિ મંજૂરી વિના કોઈ અનુદાનની માંગણી થઈ શકતી નથી.

→ ઉધારેલ ખર્ચ સિવાય સંસદની મંજૂરી વિના સંચિતનિધિ (સ્થાયી ભંડોળ/ એકત્રિત ભંડોળ) માંથી નાણાં ઉપાડી શકાતા નથી.

→ રાજ્યસભા તેમાં કોઈ સુધારો કે તેનો અસ્વીકાર કરી શકશે નહીં. 14 દિવસમાં રાજયસભાએ તેને પરત મોકલવાનો રહેશે. લોકસભા રાજયસભાની ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકશે.

→ રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી વગર કર સંબંધી કોઈ પણ ખરડો લોકસભામાં રજૂ કરી શકશે નહીં.

→ સંસદ કોઈ કારણે સમાપ્ત કરી શકે છે અને ઘટાડી શકે છે પણ વધારો કરી શકતી નથી.




બજેટ પસાર કરવાની પ્રક્રિયા

→ ભારતમાં બજેટ નિર્માણનું કાર્ય નાણાંમંત્રાલયને સોંપવામાં આવ્યું છે.

→ ભારતના નાણાં મંત્રી દ્વારા લોસભામાં બજેટ રજૂ કરવું.

→ લોકસભામાં બજેટ પર સામાન્ય ચર્ચા થાય છે.

→ વિભાગીય સમિતિઓ દ્વારા વિવિધ વિભાગોની અનુદાન માંગણીઓની ચકાસણી.

→ લોકસભામાં અનુદાન માંગણીઓ ઉપર મતદાન થાય છે.

→ વિનિયોગ ખરડો પસાર થવો.

→ રાષ્ટ્રપતિની મંજૂરી.



→ ભારતમાં બજેટ પદ્ધતિની શરૂઆત ભારતના પ્રથમ વાઈસરૉય લોર્ડ કેનિંગના કાર્યકાળમાં થઈ.

→ સૌ પ્રથમ જેન્સ વિલ્સન દ્વારા 18 ફેબ્રુઆરી 1860ના રોજ વાઈસરોયની પરિષદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. આથી “જેમ્સ વિલ્સન”ને ભારતીય બજેટ પદ્ધતિનો પિતા કહેવામા આવે છે.


Post a Comment

0 Comments