દેસલપર | Desalpar


દેસલપર



→ કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કાંઠે આવેલા દેસલપરમાં કાલ -1અ માં પ્રારંભિક હડપ્પીયન સંસ્કૃતિનાં અને કાલ -1આ માં ઉત્તર હડપ્પીયન સંસ્કૃતિનાં અવશેષ મળ્યા છે.

→ કાલ -1અ ના સ્તરમાં હડપ્પીયન લાલ અને બદામી મૃતપાત્રોની સાથે કેટલાક બીજા પ્રકારના મૃતપાત્રો મળ્યા છે.

→ અહીં, નદી કાંઠા ઉપર પૂર- રોધક આડશ તરીકે પથ્થરની જાડી દીવાલ બંધાઈ હતી.

→ અહીં, કાચી ઈંટોના મકાન, મુદ્રા અને મુદ્રાંક તેમજ સિંધુ – તોલા મળ્યા છે. જે સૂચવે છે કે આ મહત્વનું વેપારી કેન્દ્ર હતું.









→ તાંબાના ઓજારો તથા વિવિધ પદાર્થોના મણકા પ્રાપ્ત થયા છે.

→ કાલ સ્તર પ્રમાણે સમયગાળો ઈ.સ. પૂર્વે 2000 થી 1600 નો છે.

→ પ્રારંભિક હડપ્પીયન નગરનો ઈ.સ. પૂર્વે 1950 ના અરસામાં પૂરે નાશ કર્યો હતો.

→ થોડા સમયમાં ત્યાં ફરી વસાહત થઈ. ત્યાં ક્ષીયમાણ હડપ્પીયન સંસ્કૃતિ પાંગરી.

→ ઈ.સ. પૂર્વે 1600 માં બીજા પૂરે આ વસાહતનો નાશ કર્યો.










Post a Comment

0 Comments