સિંકંદર લોદી (ઇ.સ. 1489 - ઇ.સ. 1517) | Sikandar Lodi (1489 AD - 1517 AD)



સિંકંદર લોદી (ઇ.સ. 1489 - ઇ.સ. 1517





→ મૂળનામ : નિઝામશાહ

→ શાસક તરીકે : બહલોલ ના મોત બાદ તેનો પુત્ર નિઝામશાહ, સુલતાન સિકંદરશાહના નામે 17 જુલાઇ, 1489 ના રોજ દિલ્હીનો શાસક બન્યો હતો.

→ ઉપનામ : “કુરકે ફિરોજ શાહી"

→ મંત્રી : મિયા ભૂઆ

→ રાજધાની : આગ્રા શહેર વસાવી તેને રાજધાનીનું નગર બનાવ્યું.







→ અહીં તેણે બાદલગઢના કિલ્લાનું નિર્માણ કરાવ્યુ હતું.

→ ઇ.સ. 1506 માં આગ્રા સિકંદર લોદીની રાજધાની બન્યું હતું.

→ નાગોરનું જ્વાલામુખી મંદિર તોડ્યું.

→ તે ગુજરાતના મહમુદ બેગડા અને રાજસ્થાનના રાણા સાંગાનો સમકાલીન હતો.

→ અજમેર, છંદેરી અને બિહાર જીત્યું.







સાહિત્ય





→ સિકંદર લોદી ગુલરૂખી નામે ફારસીમાં કવિતાઓ લખતો હતો.

→ તેણે સંગીત પર “લિજ્જત – એ - સિકંદરી” નામના ગ્રંથની રચના કરી હતી.

→ તેના સમયમાં ગાયન વિદ્યાના એક શ્રેષ્ઠ લિજ્જત –એ- સિકંદશાહીની રચના થઈ હતી.

→ સંસ્કૃતના આયુર્વેદિક ગ્રંથનું તેણે ફારસી “ફરહંદ - એ- સિકંદરી” તરીકે ભાષાંતર કરાવ્યું.










સુધારા





→ સિકંદરે અનાજ પર જકાત લેવાનું બંધ કર્યું હતું.

→ તેણે બ્રાહ્મણો પાસેથી ફરીવાર જજીયાવેરો લેવાનું શરૂ કર્યું હતું.

→ તેણે તાજિયા પર પ્રતિબંધ મૂક્યો હતો.

→ જમીનના માપ માટે એક વિશિષ્ટ પદ્ધતિ સિકંદર લોદીએ શોધી કાઢી હતી, જેને “સિકંદરી ગજ” કહેવામા આવે છે.

→ આ માપ 30 ઇંચ હતું જે ઘણા લાંબા સમય સુધી અમલમાં રહ્યું.

→ મૃત્યુ : 21 નવેમ્બર, 1517 ના રોજ આગરા ખાતે થયું.







સ્થાપત્ય







બહલોલ લોદીનો મકબરો





→ સિકંદર લોદી દ્વારા દિલ્હીમાં નિર્મિત આ મકબરામાં ત્રણ મેહરાબ અને પાંચ ગુંબજ છે . તેમ જ તે લાલ પથ્થરોમાંથી બનેલો છે.



મોઠની મસ્જિદ





→ સિંકંદર લોદી દ્વારા દિલ્હીમાં બંધાવાયેલી આ મસ્જિદ લોદીઓની સ્થાપત્યકળાનો સુંદર નમૂનો છે.

Post a Comment

0 Comments