રક્તકણો | RBC | Red Blood Corpuscles | Erythrocytes



રક્તકણો (Red Blood Corpuscles/ Erythrocytes)



→ RBC નું નિર્માણ અસ્થિમજ્જામાં થાય છે. તેનું ભ્રૂણ અવસ્થામાં નિર્માણ યકૃત અને બરોળમાં થાય છે.

→ રુધિરમાં રક્તકણો (RBC)ની સરેરાશ સંખ્યા 50 થી 55 લાખ પ્રતિ ઘનમિલી હોય છે.

→ આયુષ્ય : 120 દિવસ

→ દરરોજ લગભગ 30 લાખ રક્તકણો મૃત્યુ પામે છે. પરંતુ તેનાથી વધારે દરરોજ નવા ઉત્પન થાય છે.

→ કોષરસમાં હિમોગ્લોબીન (Hb) નામનું લાલ રંગનું, લોહતત્વયુક્ત પ્રોટીન હોય છે. લોહતત્વને કારણે તેનો રંગ લાલ હોય છે. તેનું પ્રમાણ માનવ રકતમાં 12 થી 16 ગ્રામ પ્રતિ 100 મિલી હોય છે.

→ રક્તકણમાં કોષકેન્દ્ર અને કણાભસૂત્ર હોતા નથી. પરંતુ ઊંટ અને લામાનાં RBC માં કોષકેન્દ્ર હોય છે.

→ હિમોગ્લોબીન (Hb) ફેફ્સામાંથી ઑક્સીજન ગ્રહણ કરીને ફેફસાં સુધી પહોચાડે છે.

→ રક્તકણો બરોળમાં મૃત્યુ પામે છે માટે બરોળને RBC (રક્તકણો)નું સ્મશાનઘર કહે છે.



→ રક્તકણોનું પ્રમાણ ઓછું થઈ જાય તો એનિમિયા (પાંડુરોગ) નામનો રોગ થાય છે. આ રોગમાં શરીર ફિક્કું પડી જાય છે.

→ બરોળને માનવ શરીરનું બ્લડ બેન્ક પણ કહે છે.

→ રક્તકણો (RBC)નું પ્રમાણ હિમોસાઈટોમીટર દ્વારા માપવામાં આવે છે.


Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments