Ad Code

Responsive Advertisement

Jahangir | જહાંગીર (1605 – 1627)

જહાંગીર (1605 – 1627)
જહાંગીર (1605 – 1627)

જહાંગીર (1605 – 1627)



→ જન્મ: 30 ઓગષ્ટ , 1569 (ફતેહપુરસિક્રી)

→ મૂળનામ : સલીમ

→ સલિમના જન્મ પછી અકબરે પગપાળા ચાલીને અજમેર ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તિની દરગાહ યાત્રા કરી.

→ પિતા: અકબર

→ માતા : હરખાબાઈ (મરિયમ ઉજજમાની) આમેર (જ્યપુર) ના રાજા ભારમાલના પુત્રી

→ પુત્રો : ખુશરો, પરવેઝ, ખુર્રમ, શહરયાર, જહાંદર

→ પુત્રી : સુલ્તાન – ઉન – નિસ્સા, દોલત – ઊન – નિસ્સા

→ રાજયાભિષેક : અકબરના આસન બાદ 3 નવેમ્બર, 1605 ના રોજ આગ્રાના કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો.

→ આત્મકથા : ફારસી ભાષામાં ‘તુઝુકે જહાંગીરી’

→ ઉપાધિ : નુરૂદ્દીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝી

→ પ્રયાગમાં શાહની ઉપાધિ ધારણ કરી.


લગ્ન જીવન :



→ જહાંગીરે કાબુલ પર આક્રમણ કર્યું

→ 13 ફેબ્રુઆરી, 1585 ના રોજ જહાંગીરે આમેરના રાજા ભગવાનદાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા.

→ ઈ.સ. 1587 ના રોજ બીજાં લગ્ન ઉદયસિંહની પુત્રી જગતગોસાઈ (જોધાબાઈ) સાથે થયાં.

→ તેણે મહેરૂનિસ્સા સાથે લગન કર્યા. જહાંગીરે તેને નુરજહાની ઉપાધિ આપી હતી.





શિક્ષણ



→ જહાંગીરના મુખ્ય શિક્ષક બૈરમખાંના પુત્ર અબ્દુર્રહિમ ખાન-એ- ખાના હતા.

→ જહાંગીરે પોતાના પુસ્તક તુજુક – એ- જહાંગીરી (ફારસી ભાષામાં) માં 12 અધ્યાદેશોનો ઉલ્લેખ કર્યો છે.

→ જેને આઈન – એ – જહાંગીરી પણ કહેવામા આવે છે.




નિધન



→ 28 ઓક્ટોબર, 1627 ના રોજ ભીમવાર નામની જગ્યાએ થયું હતું. તેને લાહોરમાં દફનાવવામાં આવ્યો હતો.

→ જ્યાં નુરજહાં એક મકબરા (શાહદરા, લાહોર) નું નિર્માણ કરાવ્યું હતું.




  • કયા મુઘલ બાદશાહે ગુજરાતમાં નક્ષત્ર સિક્કાઓ પડાવ્યા ?
    → જહાંગીરે

  • અમદાવાદને 'ગર્દાબાદ' (ધૂળિયું શહેર) તરીકે કોણે ઓળખાવ્યું હતું ?
    → જહાંગીર

  • → WhatsApp Group Click

    → Facebbok Page Click

    Post a Comment

    0 Comments