Ad Code

Responsive Advertisement

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) | Akbar (Jalal-ud-din Muhammad Akbar)





અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર)



→ જન્મ : 15 ઓક્ટોબર, 1542

→ જન્મસ્થળ : અમરકોટ (કિલ્લા) ના રાણા વિરસાલના મહેલમાં

→ મૂળ નામ : બદર્-ઉદ્-દીન (હુમાયૂંએ જલાલુદ્દીન મુહમ્મદ અકબર નામ રાખ્યું.)

→ પિતા : નસિરૂદ્દીન હુમાયુ

→ માતા : હમીદાબાનો બેગમ

→ ધાત્રિમતા : માહમ આનગા

→ રાજ્યાભિષેક : 14 ફેબ્રુઆરી, 1556 ના રોજ માત્ર 14 વર્ષની ઉંમરે અકબરને બાદશાહ જાહેર કરવામાં આવ્યો.

→ હુમાયુના નિધન બાદ પંજાબના ગુરદાસપુર જિલ્લાની નજીક આવેલા કલનૌર નામના સ્થળે રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

→ શાહી ગ્રંથાલય : આગ્રા

→ સામ્રાજ્ય વિસ્તાર : કાબુલ- કંદહારથી લઈને દક્ષિણમાં નર્મદા અને પૂર્વમાં બ્રહ્મપુત્રા નદી સુધીનો વિસ્તાર

→ અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયૂંએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્વાનો મુલ્લા ઇસામુદ્દીન ઇબ્રાહિમ, મૌલાના અબુલ કાદિર, મીર અબ્દુલ લતીફ વગેરેની નિયુક્તિ કરી. પરંતુ અકબરને અભ્યાસ કરતાં ઘોડેસવારી, તલવારબાજી, ખેલકૂદ વગેરેમાં વિશેષ રસ હોવાથી તેનું અક્ષરજ્ઞાન આગળ વધી શક્યું નહિ.


બૈરમખાં



→ અકબરે તેને પોતાના વકીલ (વઝીર) તરીકે નિયુક્ત કર્યો હતો.

→ તેને ખાન – એ- ખાનાની પદવી પ્રદાન કરી હતી.

→ અકબરે બૈરમખાંને મક્કા જતાં રહેવાનો આદેશ આપ્યો.

→ મક્કા જતી વખતે પાટણ (ગુજરાત) મુકામે મુબારકખાં નામે એક અફઘાનીએ બૈરમખાંની હત્યા કરી.













અન્ય માહિતી



→ અકબરને શિક્ષણ અને સાહિત્યની માફક કલા અને સ્થાપત્યમાં પણ ઘણો રસ હતો. તેણે સંત સલીમ ચિસ્તીના માનમાં આગ્રા પાસે ફતેહપુર-સિક્રી નામે નવું શહેર વસાવ્યું. આ શહેરનો બુલંદ દરવાજો ભારતમાં સૌથી ઊંચો અને વિશ્ર્વમાં સૌથી મોટા દરવાજાઓમાંનો એક ગણાય છે. આ શહેરનાં અન્ય બાંધકામોમાં જામા મસ્જિદ, રાણી જોધાબાઈનો મહેલ, બિરબલનો મહેલ, દીવાને ખાસ, ઇબાદતખાના (પ્રાર્થનાગૃહ) વગેરે ખૂબ જાણીતાં છે. આમાંનાં મોટાભાગના બાંધકામો હિંદુ શૈલીનાં છે.

→ અકબરે જાતદેખરેખ નીચે બંધાવેલ આગ્રા અને લાહોરના કિલ્લા પણ નોંધપાત્ર છે. અબુલફઝલે ‘આઇને અકબરી’માં નોંધ કર્યા મુજબ અકબર ચિત્રકલાને ઈશ્ર્વરને ઓળખવાની કલા માનતો. તેણે વિખ્યાત ઈરાની ચિત્રકાર અબ્દુસ્સમદની રાહબરી નીચે ચિત્રશાળા શરૃ કરી. તેમાં હિંદુ-મુસ્લિમ મળીને 100 ઉપરાંત ચિત્રકારો હતા, જેમાં મોટાભાગના હિંદુઓ હતા. મુસ્લિમોમાં અબ્દુસ્સમદ, મીર સૈયદઅલી તથા ફરુખ બેગ, જ્યારે હિંદુઓમાં દસવન્ત, બસવન, તારાચંદ, જગન્નાથ, ભીમ ગુજરાતી વગેરે મુખ્ય ચિત્રકારો હતા.

→ અબુલફઝલના કથન મુજબ અકબરે સંગીતને પણ ખૂબ પ્રાધાન્ય આપેલું. તે પોતે સંગીતનો સારો એવો જાણકાર હતો. તેની રાજસભામાં 36 સંગીતકારોમાં તાનસેન, બાબા રામદાસ, બૈજુ બાવરા, સૂરદાસ, બાજ બહાદુર (માળવાનો ભૂતપૂર્વ શાસક), લાલ કલાવંત વગેરે મુખ્ય હતા.

→ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને સહિષ્ણુ હતી. તે પ્રત્યેક ધર્મમાં રહેલ મૂળ સત્ય શોધી કાઢવા ઇચ્છતો હતો અને એ રીતે તે રાજ્યમાં રહેતી જુદી જુદી કોમો (ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ) વચ્ચે રાજકીય, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપિત કરવા માગતો હતો. આ આશયથી અકબરે ફતેહપુર-સિક્રીમાં ‘ઇબાદતખાના’(પ્રાર્થનાગૃહ)ની સ્થાપના કરી (1575) તથા તેમાં ધાર્મિક ચર્ચા કરવા માટે તેણે જુદા જુદા ધર્મોના પંડિતોને નિમંત્ર્યા, જેમાં હિંદુ ધર્મના પુરુષોત્તમ અને દેવી તથા પુષ્ટિમાર્ગના વૈષ્ણવાચાર્ય વિઠ્ઠલનાથજી, મુસ્લિમ ધર્મના શેખ અબ્દુલ્લા અને અબ્દુલનબી (કટ્ટર સુન્ની) તથા અબુલફઝલ અને ફૈઝી (ઉદારમતવાદી), જૈન ધર્મના હીરવિજયસૂરિ, ભાનુચંદ્ર તથા શાંતિચંદ્ર; પારસી ધર્મના દસ્તુરજી મેહરજી રાણા, શીખ ધર્મના ગુરુ રામદાસ તથા ગોવામાંથી ખ્રિસ્તી ધર્મના રુડોલ્ફ એક્વાવીવા, એન્ટની મોન્સરેટ અને ફ્રાન્સિસ હેનરી ક્વેઝ મુખ્ય હતા.

→ સાત વર્ષ (1575-1582) સુધી ધાર્મિક ચર્ચા-વિચારણાને અંતે અકબરે પ્રત્યેક ધર્મના મૂળ સિદ્ધાંતોને આવરી લેતો ‘તોહીદે ઇલાહી’ (દીને ઇલાહી-એકેશ્વરવાદી) નામે નવો ધર્મ સ્થાપ્યો (1582). દીને ઇલાહીના નિયમો સાદા અને સરળ હતા. તેનું સભ્યપદ પણ મરજિયાત હતું.

→ દીને ઇલાહી દ્વારા પરસ્પર ઝઘડતા વિવિધ સંપ્રદાયોમાં ધાર્મિક સમન્વય સાધીને અકબર દેશની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપિત કરવા ઇચ્છતો હતો.

→ દીને ઇલાહી તેની સહિષ્ણુ અને સમન્વયકારી નીતિનો પ્રતીક હતો.

→ દીને ઇલાહીના સિદ્ધાંતો મુખ્યત્વે પોતાના યુગથી ખૂબ આગળ હોઈને અકબરના અવસાન (1605) સાથે તેનો અંત આવ્યો.

→ અકબરના જીવન પરથી ફિલ્મ અને ટી.વી.સીરિયલો પણ બની છે. ભારતમાં સૌથી પહેલો અકબરનો રોલ પૃથ્વીરાજ કપૂરે 1960માં બનેલી ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં ભજવ્યો હતો.

→ 1979ની ‘મીરા’ ફિલ્મમાં અકબરનું પાત્ર રજૂ થયું હતું.

→ 2008માં બનેલી ‘જોધા અકબર’ ફિલ્મમાં રીતિક રોશને અકબરનું પાત્ર ભજવ્યું હતું.

→ 1990ના દશકામાં ઝી ટીવીમાં અકબર-બિરબલની વાર્તાઓ પરથી ધારાવાહિક શ્રેણી રજૂ થઈ હતી.

→ દૂરદર્શનમાં પણ 90ના દાયકામાં ‘અકબર ધ ગ્રેટ’ ધારાવાહિક શ્રેણી બની હતી.

→ 2013-2015 દરમિયાન ઝી ટીવીમાં ‘જોધા અકબર’ નામથી ટીવી સિરીઝ રજૂ થઈ હતી.




Post a Comment

0 Comments