Ad Code

Responsive Advertisement

અકબરના નવ રત્ન





અકબરના નવ રત્નો




બિરબલ



→ રાજપૂત સરદાર, જેને રાજા તેમજ કવિપ્રિયની ઉપાધિ પ્રદાન કરી હતી.

→ તેઓ પોતાના વાક્ચાતુર્ય તેમજ વાક્પટુતા માટે પંકાયેલા હતા.

→ યુસુફ્ઝઈ કાબિલા પર આક્રમણ દરમિયાન યુદ્ધમાં લડતી વખતે બિરબલનું નિધન થયું હતું.


ટોડરમલ



→ ટોડરમલ પહેલાં શેરશાહની સેવામાં હતા, શેરશાહના નિધન બાદ ઈ.સ. 1573 માં અકબરની સેનામાં આવી ગયા હતા.

→ અકબરે ટોડમરલને નાણાં મંત્રી બનાવ્યા હતા.

→ અકબરે ટોડમરલને રાજાની ઉપાધિ પ્રદાન કરી હતી.


અબુલ ફઝલ



→ ફારસીના વિદ્વાન અને પ્રસિદ્ધ ઈતિહાસકાર હતા.

→ અબુલ ફઝલ શેખ મુબારકના પુત્ર તેમજ અકબરના દરબારી શાયર ફૈજીના નાના ભાઈ હતા.

→ અબુલ ફઝલે આઈન-એ- અકબરી અને અકબરનામા નામના બે ગ્રંથોની રચના કરી હતી.


માનસિંહ



→ અકબરના શાસનકાળનો સૌથી પ્રસિદ્ધ સેનાપતિ હતો.


હમીમ હુમામ



→ તેઓ શાહી પાઠશાળાના પ્રમુખ હતા.


અબ્દુર્રહીમ ખાન – એ – ખાના



→ મૂળ નામ : અબ્દુર્રહીમ

→ તેઓ અકબરના સંરક્ષક બૈરમખાંન ના પુત્ર હતા.

→ ઉપાધિ : ખાન –એ- ખાના

→ તેઓ કવિ અને સેનાપતિ હતા.


મુલ્લા દો પ્યાજા



→ પોતાની વાક્પટુતા માટે પ્રસિદ્ધ હતા.

→ ડુંગળી (પ્યાજ) ખૂબ જ પસંદ હોવાથી તેમને “મુલ્લા દો પ્યાજા” નામ આપવામાં આવ્યું હતું.


ફૈજી



→ તેમણે ગણિતના પુસ્તક “લીલાવતી” નો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.

→ તેઓ અબુલ ફજલના મોટા ભાઈ હતા.


તાનસેન



→ મૂળ ગ્વાલિયરના હતા.

→ પ્રસિદ્ધ સંગીતકાર હતા.

→ તાનસેન દિપક રાગ માટે જાણીતા હતા.




Post a Comment

0 Comments