Ad Code

Responsive Advertisement

અકબરના યુદ્ધ (વિજયો ) | Akbar's War



અકબરના વિજયો




પાણીપતનું બીજું યુદ્ધ



→ ઈ.સ. 1556 માં પાણીપતના બીજા યુદ્ધમાં અકબર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું.

→ આ યુદ્ધમાં અકબરનો વિજય થયો.


આમેર પર સત્તા



→ ઈ.સ. 1562 માં આમેરના રાજા ભારમાલની પુત્રી હરખાબાઈ સાથે લગ્ન કર્યા.

→ રાજા ભારમાલના પુત્ર ભગવાનદાસ અને માનસિંહને પોતાના દરબારમાં રાખ્યા.

→ આમેરનો રાજા રાણા ઉદયસિંહને બદલે અકબરની આધીનતામાં આવી ગયો.


ત્રિયા-શાસનનાં વર્ષો



→ બૈરમખાનના પતન બાદના અકબરના શાસનનાં બે વર્ષો (1560-62) ત્રિયા-શાસનનાં વર્ષો ગણાય છે, કારણ કે આ સમય દરમિયાન અકબરની દૂધમાતા માહમ આંગા મુખ્ય કર્તાહર્તા હતી. માહમ આંગાના વિરોધી, પરંતુ અકબરના ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા શમ્સુદ્દીનની અકબરે મંત્રી તરીકે નિમણૂક કરતાં માહમ આંગાના પુત્ર આદમખાને શમ્સુદ્દીનની હત્યા કરી. આથી અકબરે આદમખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકાવીને મારી નખાવ્યો (મે, 1562). આના આઘાતથી માહમ આંગા જૂન, 1562માં અવસાન પામતાં અકબર સર્વોપરી શાસક બન્યો.



મેવાડ પર આક્રમણ



→ ઐતિહાસિક ર્દષ્ટિએ અકબરનું સૌથી મહત્વનું યુદ્ધ મેવાડના મહારાણા પ્રતાપસિંહ સામે હલદીઘાટીનું (1576) હતું.

→ મેવાડની સ્વાધીનતા માટે મહારાણા પ્રતાપ અને તેના સૈનિકો રાજા માનસિંહની સરદારી નીચેના વિશાળ મુઘલ સૈન્ય સામે અપ્રતિમ વીરતાથી લડ્યા, પરંતુ આખરે મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડ્યો.

→ જયમલ રાઠોડને પોતાના મુખ્ય અધિકારી બનાવી પોતાના બીજા નેતા તરીકે રણમલ પટ્ટા સિસોદિયાને પોતાના લશ્કરનું સુકાન સોંપ્યું. બાદશાહ અકબર પણ શૂરવીર જ્યમલ અને રણમલ પટ્ટાના શૌર્યથી પ્રભાવીત થયા . તને આગ્રાની બહાર આ બંને શૂરવીરોની હાથીઓ પર સવાર કરેલી મૂર્તિઓ બનાવડાવી સ્મારકસ્વરૂપે સ્થાપિત કરી.

→ કર્નલ ટૉડે હલદીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે. ત્યારબાદ મહારાણા પ્રતાપ અનેક મુશ્કેલીઓ વચ્ચે સ્વતંત્રતા માટે જીવનના અંત (1597) સુધી અકબર સામે લડતા રહ્યા અને ચિતોડ સિવાયનો મેવાડનો ઘણોખરો મુલક મુઘલો પાસેથી ફરી કબજે કર્યો. તેમના અવસાન બાદ તેમના પુત્ર અમરસિંહે ચિતોડ સહિતનો બાકીનો પ્રદેશ પણ મુઘલો પાસેથી પુન: તાબે કર્યો.



કાલિંજર ગઢ



→ બુંદેલખંડ (રેવાના રાજાનું કાલિંજર ગઢ) પણ જીતી લેવામાં આવ્યું. આ જ સમયે ફતેહપુરસિક્રીમાં અકબરને એક પુત્ર થયો જેનું નામ સલિમ (જહાંગીર) રાખવામા આવ્યું.

→ તે સ્થળ શુભ માનીને ત્યાં તેણે પોતાની રાજધાની દિલ્હીને બદલે ફતેહપુરસિક્રી બનાવી.

→ અકબરે 1562થી 1601 સુધીમાં અનુક્રમે માળવા, જબલપુર પાસેનું ગોંદવાના, રણથંભોર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, મેવાડ, બંગાળ, કાબુલ, કાશ્મીર, સિંધ, કંદહાર, અહમદનગર તથા અસીરગઢ તાબે કર્યાં. તેમાં ગોંદવાનાની વીર રાણી દુર્ગાવતી તથા તેના બહાદુર પુત્ર વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી (1564). અકબરે ફક્ત 9 દિવસમાં 965 કિમી.ની અંતર કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી દીધું (1573). આનાથી મુઘલ સામ્રાજ્યને બંદરનો લાભ મળતાં તેના વેપાર-વાણિજ્યનો વિકાસ થયો.




→ અકબરનાં બીજાં બે નોંધપાત્ર યુદ્ધો દખ્ખણમાં અહમદનગર તથા અસીરગઢ સામેનાં હતાં. અહમદનગરની વહીવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખૂબ જ વીરતાપૂર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણને નિષ્ફળ બનાવ્યું (1595-96), પરંતુ ત્યારબાદ અકબરના પોતાના સેનાનીપદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર અંતિમ આક્રમણ કર્યું (1600), ત્યારે આંતરિક ખટપટમાં ચાંદબીબીની હત્યા થઈ, જેથી મુઘલોએ અહમદનગર જીતી લીધું અને તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખૂબ મજબૂત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની અધીનતા સ્વીકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરતાં અકબરે કિલ્લાને ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામાં નિષ્ફળ જતાં કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવી કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવીથી અસીરગઢનો કિલ્લો જીત્યો (1601).




Post a Comment

0 Comments