Ad Code

Responsive Advertisement

જિલ્લો : અમદાવાદ | Ahmedabad



જિલ્લામથક:
→ અમદાવાદ

અમદાવાદ શહેરની સ્થાપના:

→ 26 ફેબ્રુઆરી , 1411 ના રોજ સુલતાન અહમદશાહે કરી હતી.

જિલ્લાની રચના:
→ 1 લી મે ,1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.

સ્થાન અને સીમા



→ પૂર્વ : ખેડા અને આણંદ જિલ્લો
→ પશ્વિમ : સુરેન્દ્રનગર જિલ્લો
→ ઉત્તર : મહેસાણા અને ગાંધીનગર જિલ્લો
→ દક્ષિણ : ખંભાતનો અખાત, ભાવનગર અને બોટાદ જિલ્લો


ક્ષેત્રફળ:
→ ૭૧૭૦ ચો. કિમી.

તાલુકાઓ (10) :
  1. અમદાવાદ સિટી ( ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, અસારવા, મણીનગર, નારોલ)

  2. દસક્રોઈ

  3. દેત્રોજ:રામપુરા

  4. માંડલ

  5. વિરમગામ

  6. સાણંદ

  7. બાવળા

  8. ધોળકા

  9. ધંધુકા

  10. ધોલેરા



વિશેષતા



→ અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર છે.

→ અમદાવાદ શહેર ભારતનું માંચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું હતું.

→ અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે.

→ અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.

→ અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન આવેલું છે.

→ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના અમદાવાદમાં ઈ.સ. 1961 માં રણછોડલાલ છોટાલાલ રેંટીયાવાળાએ કરી હતી.

→ અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ "સિવિલ હોસ્પિટલ" આવેલી છે.

→ યહુદીઓનું એકમાત્ર તીર્થધામ "સિનેગોગ" અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.

→ ઈ.સ. 1948 માં અમદાવાદમાં "આકાશવાણી કેન્દ્રની" શરૂઆત કરી.

→ 4 ઓક્ટોબર, 1965 ના રોજ "વિવિધ ભારતી" ની શરૂઆત કરી.

→ અમદાવાદ શહેરના પ્રથમ મેયર "ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ" હતા.

→ ગુજરાતનું સૌપ્રથમ "થ્રીડી થીયેટર" અમદાવાદમાં "સાયન્સ સીટી" ખાતે શરૂ થયું હતું.

→ ઈ.સ. 1887 માં ગુજરાતની સૌપ્રથમ કોલેજ "ગુજરાત કોલેજ" અમદાવાદમાં શરુ કરવામાં આવી.

→ અમદાવાદ શહેર ને ૧૨ દરવાજા છે.

→ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ અમદાવાદમાં આવેલો "દરિયાખાનનો ઘુમ્મટ" છે.



વાહનનો RTO રજીસ્ટ્રેશન નંબર:
→ GJ-1
→ GJ-27



નદીઓ:
→ સાબરમતી,ભોગાવો,ભાદર,મેશ્વો,ખારી,ચંદ્રભાગા નદી જે સાબરમતી આશ્રમ પાસે આવેલી છે.

નદીકિનારે વસેલાં શહેર:
→ કુહા: મેશ્વો નદી
→ ધંધુકા: ભાદર નદી
→ અમદાવાદ:સાબરમતી નદી



બંદરો:
→ ધોલેરા બંદર
→વિઠ્ઠલ બંદર


હવાઈમથક:
→ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક


સિંચાઈ યોજના :
→ સાબરમતી નદી પર અમદાવાદમાં વાસણા ખાતે આડબંધ બાંધવામાં આવેલો છે

પાક:
→ ધોળકામાં જામફળની વાડીઓ આવેલી છે.

→ ભાલ પ્રદેશના ભાલીયા, ચાસિયા અને દાઉદખાની ઘઉં પ્રખ્યાત છે.

→ જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા વગેરે પાક લેવામાં આવે છે.









અભ્યારણ્ય અને સરોવર:
→ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય જે સાણંદ તાલુકામાં આવેલું છે.{જે અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે જિલ્લાઓના ભૂમિ પર આવેલું છે.

ઉદ્યોગો:
→ સુતરાઉ કાપડનો ઉધોગ

→ વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઈપોનુંઉત્પાદન

→ સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો પ્લાન્ટ આવેલો છે.


વિધુતમથક:
→ સાબરમતી (અમદાવાદ)

રાષ્ટ્રીય ધોરી માર્ગ :
નેશનલ એક્સપ્રેસ નંબર 1 અમદાવાદ અને વડોદરા ને જોડે છે. અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 47, 48 અને 147 (નવા) અમદાવાદ જીલ્લામાંથી પસાર થાય છે.

વાવ :
→ અમદાવાદ: દાદા હરિની વાવ , અસારવા, અમદાવાદ

તળાવ :
→ અમદાવાદ: ચાંદલોડિયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા તળાવ, નરોડા તળાવ

→ ધોળકા: મલાવ તળાવ

→ વિરમગામ: મુનસર તળાવ અને ગંગાસર તળાવ


સરોવર :
  • સાણંદ: નળ સરોવર

  • મહેલ :
    → મોતી શાહી મહેલ
    → શાહીબાગ, અમદાવાદ

    જોવાલાયક સ્થળો



    → કાંકરીયા તળાવ - મણીનગર – અમદાવાદ

    → કોચરબ આશ્રમ

    → ગણેશપુરા

    → ગાંધી આશ્રમ - સાબરમતી - અમદાવાદ

    → જામા મસ્જિદ

    → ઝુલતા મિનારા

    → દાદા હરીર વાવ(પગથિયા કૂવો) - અસારવા - અમદાવાદ

    → ધોળકા

    → નળસરોવર

    → બાદશાહ કોઈ હજીર

    → લાંભા

    → લોથલ

    → વિરમગામ

    → વૌઠા

    → સીદી સૈયદની જાળી

    → સ્વામિનારાયણ મંદિર - કાલુપુર – અમદાવાદ

    → હઠીસિંહ જૈન મંદિર - દિલ્હી દરવાજા.............વગેરે......

    ઉત્સવો અને લોકમેળા



    → કાંકરિયા કાર્નિવલ (દર વર્ષે 15 થી 31 ડિસેમ્બર)

    → આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (દર વર્ષે 13 થી 15 જાન્યુઆરી)

    → શાહઆલમ અને સરખેજનો મેળ

    → વૌઠાનો મેળો(ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. આ મેળામાં ગધેડાની લે-વેચ થાય છે.તેને ગર્દભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે.)

    → સ્થળ: વૌઠા ખાતે સાત નદીઓના સંગમ સ્થાન પર ધોળકા તાલુકામાં ભરાય છે.

    → સમય:કાર્તિક પૂર્ણિમા (કારતક અગીયારસીથી કારતક પૂનમ)

    → સાત નદીઓના નામ : સાબરમતી, હાથમતી, વાત્રક, ખરી, મેશ્વો, માઝમ અને શેઢી.