Ad Code

જિલ્લો : અમદાવાદ | Ahmedabad

જિલ્લો : અમદાવાદ
જિલ્લો : અમદાવાદ

→ હિંદુ-જૈન-ઈસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સાબરમતી નદીના કિનારે આવેલ સૂફી સંતોની ભૂમિ અમદાવાદ શહેર

→ ભારતના પૂર્વનું માન્ચેસ્ટર અને બોસ્ટન તરીકે ઓળખાતા અમદાવાદનું મૂળ નામ અહેમદાબાદ હતું.

→ અબુલ ફઝલે અમદાવાદને દુનિયાના બજાર તરીકે ઓળખાવ્યું હતું.

→ અમદાવાદને કાઈટ કેપિટલ ઓક વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે


ઈતિહાસ

→ અમદાવાદનો મૂળ પાયો ખાંટ રાજા આશાભીલ દ્વારા ટીબો ગામમાં નંખાયો હતો ત્યારે આ ગામ આશાભીલના નામ પરથી આશાવલ અથવા આશાવલી તરીકે ઓળખાતું હતું.

→ સોલંકી વંશના રાજા કર્ણદેવે આશાભીલને હરાવી પોતાના નામ પરથી સાબરમતી નદીના કાંઠે કર્ણાવતી શહેર વસાવ્યું અને ત્યાં કર્ણમુકતેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

→ ઈ.સ.1411માં નાસીરુદ્દીન અહમદશાહએ અહેમદાબાદ (અમદાવાદ) શહેરને સ્થાપવાનું નક્કી કર્યું.

→ અહમદશાહના આધ્યાત્મિક ગુરુ શેખ અહમદ ખટુગંજ બક્ષની સલાહથી ચાર અહમદો (એક પણ નમાઝ છોડી ના હોય તેવા વ્યક્તિ)ના હાથે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની પહેલી ઈંટ મૂકીને (માણેકબુરજ ખાતે) શહેરનું નિર્માણ કર્યું.

→ અમદાવાદના નિર્માણ સમયે સૌપ્રથમ ભદ્રનો કિલ્લો બંધાયો.

→ જુલાઇ,2017માં અમદાવાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન મેળવનાર ભારતનું પ્રથમ શહેર તેમજ ગુજરાતનું ત્રીજું હેરિટેજ સ્થળ છે.

→ આ હેરિટેજ સિટીમાં કોટ વિસ્તારની અંદરના સ્થળો કાલુપુર સ્વામિનારાયણ મંદિર, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, પોળ અને કાષ્ઠ હવેલીનો સમાવેશ થયેલ છે.


આધુનિક અમદાવાદ

→ બ્રિટિશકાળ દરમિયાન અમદાવાદ મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક હતું.

→ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 18 માં અધિવેશન (1902) અને અધિવેશન 37માં અધિવેશન (1921)નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.

→ 1 મે, 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન થયું હતું. તે દરમિયાન ગુજરાત વિધાનસભાની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ભરાતી હતી.



જિલ્લામથક:
→ અમદાવાદ

અમદાવાદ શહેરની સ્થાપના:

→ 26 ફેબ્રુઆરી , 1411 ના રોજ સુલતાન અહમદશાહે કરી હતી.

જિલ્લાની રચના:
→ 1 લી મે ,1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.


સ્થાન અને સીમા

→ પૂર્વ : ખેડા અને આણંદ જિલ્લો
→ પશ્વિમ : સુરેન્દ્રનગર જિલ્લો
→ ઉત્તર : મહેસાણા અને ગાંધીનગર જિલ્લો
→ દક્ષિણ : ખંભાતનો અખાત, ભાવનગર અને બોટાદ જિલ્લો


ક્ષેત્રફળ:
→ ૭૧૭૦ ચો. કિમી.

તાલુકાઓ (10) :
  1. અમદાવાદ સિટી (ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, અસારવા, મણીનગર, નારોલ)
  2. દસક્રોઈ
  3. દેત્રોજ:રામપુરા
  4. માંડલ
  5. વિરમગામ
  6. સાણંદ
  7. બાવળા
  8. ધોળકા
  9. ધંધુકા
  10. ધોલેરા




વાહનનો RTO રજીસ્ટ્રેશન નંબર:
→ GJ-1
→ GJ-27



નદીઓ:
→ સાબરમતી,ભોગાવો,ભાદર,મેશ્વો,ખારી,ચંદ્રભાગા નદી જે સાબરમતી આશ્રમ પાસે આવેલી છે.

નદીકિનારે વસેલાં શહેર:
→ કુહા: મેશ્વો નદી
→ ધંધુકા: ભાદર નદી
→ અમદાવાદ:સાબરમતી નદી



બંદરો:
→ ધોલેરા બંદર
→વિઠ્ઠલ બંદર


હવાઈમથક:
→ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક


સિંચાઈ યોજના :
→ સાબરમતી નદી પર અમદાવાદમાં વાસણા ખાતે આડબંધ બાંધવામાં આવેલો છે

પાક:
→ ધોળકામાં જામફળની વાડીઓ આવેલી છે.

→ ભાલ પ્રદેશના ભાલીયા, ચાસિયા અને દાઉદખાની ઘઉં પ્રખ્યાત છે.

→ જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા વગેરે પાક લેવામાં આવે છે.


અભ્યારણ્ય અને સરોવર:
→ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય જે સાણંદ તાલુકામાં આવેલું છે.{જે અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે જિલ્લાઓના ભૂમિ પર આવેલું છે.

ઉદ્યોગો:
→ સુતરાઉ કાપડનો ઉધોગ

→ વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઈપોનુંઉત્પાદન

→ સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો પ્લાન્ટ આવેલો છે.


વિધુતમથક:
→ સાબરમતી (અમદાવાદ)

રાષ્ટ્રીય ધોરી માર્ગ :
નેશનલ એક્સપ્રેસ નંબર 1 અમદાવાદ અને વડોદરા ને જોડે છે. અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 47, 48 અને 147 (નવા) અમદાવાદ જીલ્લામાંથી પસાર થાય છે.

વાવ :
→ અમદાવાદ: દાદા હરિની વાવ , અસારવા, અમદાવાદ

તળાવ :
→ અમદાવાદ: ચાંદલોડિયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા તળાવ, નરોડા તળાવ

→ ધોળકા: મલાવ તળાવ

→ વિરમગામ: મુનસર તળાવ અને ગંગાસર તળાવ


સરોવર :
  • સાણંદ: નળ સરોવર

  • મહેલ :
    → મોતી શાહી મહેલ
    → શાહીબાગ, અમદાવાદ

    જોવાલાયક સ્થળો

    → કાંકરીયા તળાવ - મણીનગર – અમદાવાદ
    → કોચરબ આશ્રમ
    → ગણેશપુરા

    → ગાંધી આશ્રમ - સાબરમતી - અમદાવાદ
    → જામા મસ્જિદ
    → ઝુલતા મિનારા
    → દાદા હરીર વાવ(પગથિયા કૂવો) - અસારવા - અમદાવાદ
    → ધોળકા
    → નળસરોવર
    → બાદશાહ કોઈ હજીર
    → લાંભા
    → લોથલ
    → વિરમગામ
    → વૌઠા
    → સીદી સૈયદની જાળી
    → સ્વામિનારાયણ મંદિર - કાલુપુર – અમદાવાદ
    → હઠીસિંહ જૈન મંદિર - દિલ્હી દરવાજા.............વગેરે......

    ઉત્સવો અને લોકમેળા

    → કાંકરિયા કાર્નિવલ (દર વર્ષે 15 થી 31 ડિસેમ્બર)

    → આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (દર વર્ષે 13 થી 15 જાન્યુઆરી)

    → શાહઆલમ અને સરખેજનો મેળ

    → વૌઠાનો મેળો(ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. આ મેળામાં ગધેડાની લે-વેચ થાય છે.તેને ગર્દભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે.)

    → સ્થળ: વૌઠા ખાતે સાત નદીઓના સંગમ સ્થાન પર ધોળકા તાલુકામાં ભરાય છે.

    → સમય:કાર્તિક પૂર્ણિમા (કારતક અગીયારસીથી કારતક પૂનમ)

    → સાત નદીઓના નામ : સાબરમતી, હાથમતી, વાત્રક, ખરી, મેશ્વો, માઝમ અને શેઢી.


    વિશેષતા

    → અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર છે.

    → અમદાવાદ શહેર ભારતનું માંચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું હતું.

    → અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે.

    → અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.

    → અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન આવેલું છે.

    → ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના અમદાવાદમાં ઈ.સ. 1961 માં રણછોડલાલ છોટાલાલ રેંટીયાવાળાએ કરી હતી.

    → અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ "સિવિલ હોસ્પિટલ" આવેલી છે.

    → યહુદીઓનું એકમાત્ર તીર્થધામ "સિનેગોગ" અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.

    → ઈ.સ. 1948 માં અમદાવાદમાં "આકાશવાણી કેન્દ્રની" શરૂઆત કરી.

    → 4 ઓક્ટોબર, 1965 ના રોજ "વિવિધ ભારતી" ની શરૂઆત કરી.

    → અમદાવાદ શહેરના પ્રથમ મેયર "ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ" હતા.

    → ગુજરાતનું સૌપ્રથમ "થ્રીડી થીયેટર" અમદાવાદમાં "સાયન્સ સીટી" ખાતે શરૂ થયું હતું.

    → ઈ.સ. 1887 માં ગુજરાતની સૌપ્રથમ કોલેજ "ગુજરાત કોલેજ" અમદાવાદમાં શરુ કરવામાં આવી.

    → અમદાવાદ શહેર ને ૧૨ દરવાજા છે.

    → ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ અમદાવાદમાં આવેલો "દરિયાખાનનો ઘુમ્મટ" છે.

    → WhatsApp Group Click

    → Facebbok Page Click