Ad Code

રવિશંકર મહારાજ | રવિશંકર વ્યાસ | Ravishankar Maharaj |

રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ

→ જન્મ : 25 ફેબ્રુઆરી 1884,(વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશ) રઢુ, તા. માતર, જિ. ખેડા

→ અવસાન : 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ

→ ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક

→ આખું નામ : રવિશંકર શિવરામ વ્યાસ.

→ પિતા : શિવરામ

→ માતા : નાથીબા

→ જીવનસાથી : સૂરજબા

→ અભ્યાસ : પ્રાથમિક - છ ધોરણ

→ હુલામણું નામ : રવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી, મુઠ્ઠી ઊંચેરો માનવી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે



→ તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન.

→ તેઓ ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ભોજન અને સાદાઈથી રહેવું એ તેમનો જીવનમંત્ર હતો.

→ રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં.

→ તેઓ આર્યસમાજથી પ્રભાવિત થાય હતા. તથા વર્ષ ૧૯૧૫માં ગાંધીજી સાથે તેમની મુલાકાત થઈ હતી અને ત્યારથી તેઓ સ્વતંત્રતા અને સામાજિક પ્રવૃત્તિમાં જોડાયા હતા.

→ તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.

→ મહારાજ પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા.

→ તેમણે ગુજરાતમાં નરહરિ પરિખ તેમજ મોહનલાલ પંડ્યાના સહયોગથી ભારતના સ્વતંત્ર સંગ્રામનું આયોજન કર્યું હતું.

→ ૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી.

→ ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી.

→ ૧૯૨૮માં થયેલા બારડોલી સ્ત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો અને વર્ષ 1930માં દાંડીકૂચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

→ ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો.

→ વર્ષ 1941 અને વર્ષ 1946માં અમદાવાદમા હુલ્લડો ફાટી નીકળ્યા ત્યારે રચનાત્મક ભાગ ભજવી લોકોને સમજાવી ભાઈચારો સ્થાપવાના પ્રયત્નો કર્યા હતા.

→ વર્ષ 1942માં ભારત છોડો ચળવળ દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો.

→ 1947થી 1952 સુધી મહારાજે મહેસાણા જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.

→ તેમણે વડોદરામાં ફતેહરાવ અનાથાશ્રમમાં છોકરાઓને દાખલ કરાવવા માટે મોટી રકમનો ફાળો એકઠો કરી લોકસેવાની શરૂઆત કરી હતી.

→ તેમણે વર્ષ 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. તેઓ પોતાનું મકાન, જમીન રાષ્ટ્રસેવામાં આપવા માંગતા હતા પરંતુ તેમના પત્ની સહમત ન થતાં, તેમણે મિલકત પરના બહદા હક છોડી પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું હતું.

→ તેમણે ખેડા જિલ્લાના ચરોતરની બહારવટે ચઢેલી ઠાકરડા કોમને સન્માર્ગે વાળી સુધારણાની પ્રવૃત્તિ કરી હતી.

→ તેમણે બારૈયા કોમને સુધારવા માટે પ્રયત્નો કર્યા. આ કારણોસર ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા કહ્યા હતા.

→ (બનાસકાંઠા જીલ્લામાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે) રાત-દિવસ ખૂબ પરિશ્રમ કરીને રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાઓમાં 48 કૂવા અને 51 બોરિંગ કરાવી એ પ્રદેશની પાણીની સમસ્યા કંઈક હળવી કરી. તેથી બનાસકાંઠાના લોકો મહારાજને ‘બોરિંગવાળા મહારાજ’ તરીકે ઓળખવા લાગ્યા !

→ 1952માં મહારાજે ચીનનો પ્રવાસ કર્યો.

→ તા. 14-12-52ના રોજ મહારાજ વિનોબાજીને ઉત્તર પ્રદેશના ચાંડિલ ગામે મળ્યા.

→ તેઓએ વિનોબા ભાવે સાથે ભૂદાન અને સર્વોદય યોજનાનુ પાયાનું કામ કરી ગુજરાતમાં ભૂદાન પ્રવૃત્તિની શરૂઆત કરી હતી.

→ ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા.

→ આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી.

→ પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

→ 1955ના એપ્રિલની 13મીએ વીરમગામથી એમણે પદયાત્રા શરૂ કરી. જે પ્રવૃત્તિ હાથમાં લે એ અત્યંત વફાદારીથી પોતાનાં મન, બુદ્ધિ અને શરીર – ત્રણેયને પૂરાં કામે લગાડીને કરવાની મહારાજની રીત.

→ ચૈતન્ય મહાપ્રભુએ જનતાજનાર્દનના સેવકનાં ત્રણ લક્ષણ બતાવ્યાં છે : तृणादपि सुनीचने – તે પોતાને તણખલાથી પણ તુચ્છ સમજે, એટલે કે એ નમ્ર હોય. तरोखि सहिष्णुना – તે વૃક્ષ જેવો સહનશીલ હોય. અર્થાત્ પોતે કષ્ટ વેઠીને બીજાને સુખ આપે, अमानिना मानदेन – તે કોઈની પાસે માનની અપેક્ષા ન રાખે, પણ બીજાને માન આપે. આ ત્રણેય લક્ષણ મહારાજમાં ઉત્કૃષ્ટ સ્વરૂપે ચરિતાર્થ થયાં હતાં.

→ મહારાજની જન્મશતાબ્દી પ્રસંગે ‘મૂઠી ઊંચેરા માનવી’ ગ્રંથ દ્વારા ગુજરાત ને દેશના લોકોએ મહારાજનો ખૂબ ખૂબ મહિમા ગાયો.

→ વિનોબાજીએ એમને ‘તુકારામની કોટિના સંત ને કારુણ્યમૂર્તિ’ કહ્યા, તો સ્વામી આનંદે ‘પુણ્યના પર્વત સમા મૂઠી ઊંચેરા માનવી’; કાકાસાહેબે ‘અનાસક્ત પ્રેમમૂર્તિ’ કહ્યા તો કવિ ઉમાશંકરે ‘ઊર્ધ્વ માનુષ’; મુનિ સંતબાલજીએ તેમને ‘ગુજરાતના મહર્ષિ’ કહ્યા તો દાદા ધર્માધિકારીએ ‘અધ્યાત્મવીર’; વિમલાતાઈ ઠકારે ‘ગુજરાતનો નંદાદીપ’ કહ્યા, તો પાંડુરંગ આઠવલે શાસ્ત્રીએ ‘જટાજૂટ’; સરદાર વલ્લભભાઈએ તો બારડોલી સત્યાગ્રહ વખતે જ એમની ઓળખાણ ‘એક પવિત્ર ઋષિ’ તરીકે આપી હતી.

→ તેમની સ્મૃતિમાં સરસવણી ખાતે પ્રાથમિક શાળા, પ્રતિમા અને સ્મૃતિભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

→ ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

→ ગુજરાત સરકારના સામાજિક ન્યાય વિભાગ દ્વારા રાજયમાં વિકસતી જાતિઓ માટેની વિવિધ કલ્યાણકરી યોજના અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવનાર વ્યક્તિને રવિશંકર મહારાજ એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે. આ એવોર્ડ અંતર્ગત 1 લાખ રૂપિયાની ધનરાશી આપવામાં આવે છે.

→ મહારાજે એમના સમૃદ્ધ સ્વાનુભવના પરિપાક રૂપે સહજ-સરળ ભાષાશૈલીમાં કેટલાંક પુસ્તકો પણ આપ્યાં છે. ‘સત્યાગ્રહનો વિજય’ (1939), ‘શિક્ષણ અને સંસ્કૃતિ’ (1948), ‘પર્વમહિમા’ (1950), ‘લગ્નવિધિ’ (1953) ‘મારો ચીનનો પ્રવાસ’ (1954) અને ‘ગીતા બોધવાણી’ (1984). ‘મહારાજની વાતો’(1972)માં તેમની કેટલીક પ્રેરણાત્મક અનુભવવાણી ઝીલીને રજૂ કરવામાં આવી છે.

→ તેઓએ વર્ષ 1975ની કટોકટીનો વિરોધ કર્યો હતો.
→ ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેમણે ગુજરાત રાજ્યનું ઉદગાટન કર્યું હતું.

→ શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના સામાજિક કાર્યકાળ દરમિયાન શ્રી રવિશંકર મહારાજ સાથના તેમના અનુભવોને આધારે "માણસાઈના દિવા" નામનું પુસ્તક લખ્યું છે. તેમજ પન્નાલાલ પટેલે "જેને જીવી જાણ્યું" નામની નવલકથા લખી હતી. આ ઉપરાંત તેમના જીવન આધારિત રચનાઓમાં મહરાજની વાતો, વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહરાજ વગેરેનો સમાવેશ થાય છે.

→ તેમના લોકહિતના કર્યો અને નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓના કારણે લોકોએ તેમને મહારાજ અને સ્વામી આનંદે મૂઠી ઊચેરાં માનવીનું બિરુદ આપ્યું હતું.

→ તેમની 138મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા તેમના જીવન ઉપર લખાયેલ "લોકરૂષિ" પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે.

પંડિત રવિશંકર મહારાજ
  • "ઘસાઈને ઉજળા થઈએ, બીજાને ખપમાં આવીએ"
  • "ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, ભેગું કરીને જીવે તે શહેરનીસંસ્કૃતિ"
  • → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments