Ad Code

Responsive Advertisement

મુખ્યમંત્રી : શ્રી માધવસિંહ સોલંકી



  • શ્રી માધવસિંહ સોલંકી નો જન્મ ૩૦ જુલાઈ, ૧૯૨૮ ના રોજ પીલુદરા ગામમાં થયો હતો જે ભરૂચ જીલ્લ્લના જંબુસર તાલુકામાં આવેલું છે.

  • તેઓ ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ ર્રજ્યની વિધાનસભામાં ચુંટાયા હતાં.

  • ઈ.સ. ૧૯૬૦માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.




  • ઈ.સ. ૧૯૭૫માં ગુજરાત રાજ્યના કોંગ્રેસ ના પ્રમુખ બન્યા.


  • ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬થી ૧૧ એપ્રિલ,૧૯૭૭

  • તેઓ ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

  • ૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.


  • ૬ જુન,૧૯૮૦ થી ૬ જુલાઈ, ૧૯૮૫

  • શ્રી માધવસિંહ સોલંકી ૬ જુન, ૧૯૮૦ના રોજ ગુજરાતના બીજી વાર મુખુમંત્રી બન્યા.

  • તેમના સમયમાં ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઈ, પછાત વર્ગોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી હતી.

  • ભરૂચ ખાતે ગુજરાત નર્મદા ફર્ટીલાઈઝર નામના ખાતરના કારખાનાનો પ્રારંભ થયો.

  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે “મધ્યાહન ભોજન યોજના” શરુ કરવામાં આવી.

  • ગુજરાત વિધાનસભામાં પાંચ વર્ષનો શાસનકાળ પૂર્ણ કનાર પ્રથમ મુખ્યમંત્રી શી માધવસિંહ સોલંકીને ત્રીજી વાર ગુજરતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

  • ૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ શ્રી માધવસિંહ સોલંકી એ મુખ્યમત્રી પદેથી રાજીનામું આપ્યું.


  • ૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ થી ૩ માર્ચ, ૧૯૯૦

  • અમરસિંહ ચૌધરીએ રાજીનામું આપતાં ૧૦ ડિસેમ્બર,૧૯૮૯ ના રોજ માધવસિંહ સોલંકી ત્રીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

  • ફેબ્રુઆરી, ૧૯૯૦માં આઠમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને ૧૮૨ માંથી ૩૩ બેઠકો મળતા શ્રી માધવસિંહ સોલંકી એ ૩ માર્ચ, ૧૯૯૦ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.



  • _______________________***********_______________________