Ad Code

Responsive Advertisement

મુખ્યમંત્રી : શ્રી બાબુભાઈ પટેલ


  • શ્રી બાબુભાઈ પટેલ નો જન્મ ૯ ફેબ્રુઆરી, ૧૯૧૧ ના રોજ નડિયાદમાં થયો હતો.

  • શ્રી બાબુભાઈ પટેલ ફેબ્રુઆરી, ૧૯૩૭ માં મુંબઈ રાજ્યની ધારાસભામાં ચુંટાયા.

  • શ્રી બાબુભાઈ પટેલ ઈ.સ. ૧૯૪૦ અને ૧૯૪૨ માં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કારાવાસ થયો હતો.

  • શ્રી બાબુભાઈ પટેલ ઈ.સ. ૧૯૪૬ માં બીજી વાર ધારાસભ્ય બની મુંબઈ રાજ્યના મુખ્યમંત્રીના સંસદીય સચિવ બન્યા.




  • ઈ.સ. ૧૯૫૨મા તેઓ જાહેર બાંધકામ અને વાહનવ્યવહાર ખાતાના નાયાબમંત્રી બન્યા.

  • ઈ.સ. ૧૯૫૬ માં આયોજન, વિકાસ અને વીજળી ખાતાના મંત્રી બન્યા.

  • ઈ.સ. ૧૯૭૧ માં નાણામંત્રી બન્યાં.

  • ૧૮ જુન, ૧૯૭૫ ના રોજ ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.

  • ગરીબી દુર કરવા શ્રી બાબુભાઈ પટેલ એ ગુજરાત રાજ્યમાં અંત્યોદય યોજના શરૂ કરી.

  • ૧૨ માર્ચ, ૧૯૭૬ ના રોજ શ્રી બાબુભાઈ પટેલ એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

  • ૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ બાબુભાઈ પટેલ ગુજરાતના બીજી વાર મુખ્યમંત્રી બન્યા.

  • ગ્રામીણ બેંકની શરૂઆત કરવામાં આવી.

  • ૧૨ ઓગાષ્ટ, ૧૯૭૯ના રોજ “મચ્છુ હોનારત” થઈ.

  • ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ના રોજ “મચ્છુ હોનારત” ના પગલે સર્જાયેલી વહીવટી અવ્યવસ્થાને લીધે બાબુભાઈનું મંત્રીમંડળ બરતરફ કરવામાં આવ્યું અને રાજ્યમાં ચોથી વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.