Ad Code

આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv

આનંદશંકર ધ્રુવ
આનંદશંકર ધ્રુવ

→ જન્મ : 25 ફેબ્રુઆરી, 1869 (અમદાવાદ)

→ માતા : મણીબા

→ પિતા : બાપુભાઈ

→ ઉપનામ : મુમુક્ષુ, હિંદ-હિતચિંતક

→ બિરુદ : મધુદર્શી સમન્વયકાર, સમર્થ ધર્મચિંતક, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

→ અવસાન : 7 એપ્રિલ, 1942

→ શિક્ષણપ્રેમી અને તત્વચિંતક એવા આચાર્ય આનંદશંકર ધ્રુવ


→ આનંદશંકર ધ્રુવ સફેદ રૂની પૂણી જેવો ડગલો અને ધોતી, માથે નાગર પાઘડીને કપાળે કંકુનો ચાંદલો, જ્ઞાનના તેજથી ચમકતી આંખો તેમની વ્યક્તિગત ઓળખ હતી.

→ તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને શિક્ષણશાસ્ત્રી હતાં. આ ઉપરાંત તેઓ સંસ્કૃતિપ્રેમી, સ્વદેશવત્સલ ધર્મચિંતક પણ હતા.

→ તેમણે વર્ષ 1893માં અમદાવાદની ગુજરાત કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી.

→ વર્ષ 1936માં તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ઉપકુલપતિ પદે રહ્યા હતાં તેમજ BHUએ તેમને ડી. લીટ. (ડૉ. ઓફ લિટરેચર)ની પદવી આપી હતી.

→ તેમણે 'મુમુક્ષુ' અને 'હિંદ-હિતચિંતક' ઉપનામોથી સાહિત્યનું સર્જન કર્યું છે.

→ તેમના સાહિત્ય સર્જનમાં આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, નીતિ શિક્ષણ, કાવ્યતત્વ વિચાર, વ્યવહાર અને પરમાર્થ (નિબંધ), વિચાર માધુરી, ઈશ્વર સર્વવ્યાપી (ચિંતનાત્મક નિબંધ) વગેરેનો સમાવેશ થાય છે.

→ તેઓએ વર્ષ 1902માં 'વસંતપત્ર' નામના સામાયિકની શરૂઆત કરી હતી તેમજ 'સુદર્શન' માસિકનું તંત્રી પદ પણ સંભાળ્યું હતું.

→ વર્ષ 1928 - 9મી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે

→ વર્ષ 1928 - ઇન્ડિયન ફિલૉસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખપદે

→ વર્ષ 1930 - આંતર યુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ

→ વર્ષ 1936 - સર્વધર્મ પરિષદના પ્રમુખ


સાહિત્ય-સર્જન

→ આપણો ધર્મ, હિંદુધર્મની બાળપોથી, નીતિ શિક્ષણ, કાવ્યતત્વ વિચાર, વ્યવહાર અને પરમાર્થ (નિબંધ), વિચાર માધુરી, સાહિત્યવિચાર


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments