Ad Code

સુરેશ દલાલ | Suresh Dalal

સુરેશ દલાલ
સુરેશ દલાલ

→ જન્મ : 11 ઓક્ટોબર, 1932 (થાણે, મહારાષ્ટ્ર)

→ પૂરું દલાલ નામ : સુરેશ પુરુષોત્તમદાસ

→ નિધન : 10 ઓગસ્ટ, 2012 (મુંબઇ)

→ ઉપનામ : અરવિંદ મુનશી, કિરાત વકીલ, તુષાર પટેલ, રથિત શાહ

→ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, નિબંધકાર, અનુવાદ, કટારલેખક, બાળસાહિત્યકાર અને સંપાદક

→ તેમણે વર્ષ 1953માં ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી B.A.ની ડિગ્રી અને વર્ષ 1955માં M.Aની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે વર્ષ 1956માં મુંબઇની કે.સી સાયન્સ કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે જોડાયા હતા અને વર્ષ 1969માં Ph.D.ની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે કવિતા દ્વિમાસિકનાં તંત્રી તરીકે સેવા આપી હતી.

→ તેમનો વજુ કોટકનાં ચિત્રલેખામાં લઘુવિચાર લેખ બહુ જ લોકપ્રિય થયો હતો.

→ તેમણે નેથેનિયલ હોર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂ નામે કર્યુ હતું.

→ આ ઉપરાંત તેમણે મુલાકાત આઘારિત પુસ્તકો તેમજ બાળકિશોર સાહિત્યના અન્ય પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે.

→ તેમણે દેશ-વિદેશના કાવ્યોનો અનુવાદ કરીને કાવ્યવિશ્વ નામે મહત્વનો ગ્રંથ આપ્યો હતો.

→ કાવ્યસૃષ્ટિ એ તેમની સમગ્ર કવિતાઓનું સંગ્રહ છે.

→ તેઓ એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ UGC, સેન્સર બોર્ડ, દિલ્હી સાહિત્ય અકાદમીનાસભ્ય તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.

→ તેઓ વર્ષ 1960-64 દરમિયાન એસ.આર.કોલેજ ઓફ કોમર્સમાં, વર્ષ 1964-73 દરમિયાન કે. જે. સોમૈયા કોલેજમાં તથા વર્ષ 1973થી એસ.એન.ડી.ટી.વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

→ તેમને બેસ્ટ ટીચર તરીકે પણ નવાજવામાં આવ્યા છે. તેમણે મકરંદ દવેને વન, ઉપવન અને તપોવન ના કવિ તરીકે ઓળખાવ્યા હતા.

→ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક (1983), અખંડ ઝાલર વાગે કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ (2005) અને પદ ધ્વનિ કૃતિ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક(1988)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ સુનીતા દેશપાંડેનાં સંસ્મરણોનો મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ (‘મનોહર છે તો પણ’, 1993) કરવા માટે તેમને રાષ્ટ્રીય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું.

→ ‘વૉશિંગ્ટન’નું ‘સુરેશ દલાલ ડે’ સન્માન, ભારતીય ભાષા પરિષદનો પ્રિયદર્શીની ઍવૉર્ડ, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક ઍવૉર્ડ, નરસિંહ મહેતા ઍવૉર્ડ પણ મળ્યાં છે.


કાવ્યસંગ્રહ

→ ઘરઝુરાપો, સ્કાયસ્ક્રેપર, તરાપો, ઉલ્લેખનીયઅસ્તિત્વ, નામ લખી દઉં, હસ્તાક્ષર, સિમ્ફની, રોમાંચ, સાતત્ય, પિરામિડ, રિયાઝ, વિસંગતિ, એક અનામી નદી, કોઇ રસ્તાની ધારે ધારે, પવનના અશ્વ, તારીખનું ઘર, એકાન્ત, અખંડ ઝાલર વાગે એવું એક ઘર હોય, રાધા શોધે મોરપીંછ, ઘટના, હથેળીમાં બ્રહ્માંડ, નજરું લાગી, પગની હોડી હાથ હલેસાં

→ 1986 સુધીની તેમની સર્વ કવિતા ‘કાવ્યસૃષ્ટિ’ (1986) નામના સંચયમાં ગ્રંથસ્થ થઈ છે.


બાળવાર્તાઓ
→ પરી અને રાજકુમાર, કીડી અને વાંદો અને બીજી વાતો, હાથીભાઈ દાંતવાળા


વાર્તાસંગ્રહ
→ પિનકુશન


બાળકાવ્યસંગ્રહ
→ ઇટ્ટાકીટ્ટા, ધીંગામસ્તી, ટીંગાટોળી, અલકચલાણું, છાકમ છલ્લો, ભિલ્લુ, ટગરટગર, ઢિશુમ્ ઢિશુમ્, એક હાથે ચપટી, પિપરમિન્ટના પહાડ પર


નિબંધસંગ્રહ
→ સમી સાંજના શમિયાણામાં, મોજાને ચીંધવા સહેલા નથી, અમને તડકો આપો, મારી બારીએથી (ભાગ : 1-2), સાવ એકલો દરિયો, ભૂરા આકાશની આશા


સંપાદન ગ્રંથો
→ ઉપહાર, કવિનો શબ્દ, તપોવન, સહવાસ, વગડાનો શ્વાસ, સમિધ, વીથિકા


અન્ય
→ કાવ્યાયન, કાવ્યવિશ્વ(1975)માં વિશ્વભરના વિવિધ કવિઓની કૃતિઓનું ભાષાંતર કરાવી સંપાદન કર્યું છે., કાલે(કાવ્ય), અનુભૂતિ (કાવ્ય-કાવ્યસૃષ્ટિમાંથી), પર્વત તારા (પ્રાર્થના), તો જાણું (ઊર્મિગીતો)


પંક્તિઓ

→ રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીતો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ.

→ રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં. વહેતું ના મેલો ધનશ્યામ.

→ મંદિર સાથે પરણી મીરા, રાજ મહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચુડી પહેરી, માધવની અંગુઠી રે.

→ આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે ?

→ આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાવરીયા રમવાને ચાલ

→ આમ તો હવામાં વસંત છે, પણ ફૂલો આટલા ઉદાસ કેમ છે.

→ તારીખનું ઘર, નામ લખી દઉં, માણસ મને ગમે છે.

→ તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે,
ઉઘડતા આકાશનો ઉજાસ છે. તુ મૈત્રી છે.

→ આટલા સંબંધો મને ઠીક લાગે છે, કોઈ પાસે આવે ને મને બીક લાગે છે.


વર્તમાનપત્રો – સામયિકોમાં કટાર

→ તેઓ વર્તમાનપત્રો – સામયિકોમાં કટાર લખતા હતા.

→ 1963માં ‘જન્મભૂમિ’માં ‘વિદ્યાવિકાસ’

→ 1967માં ‘કવિતા’માં ‘કાવ્યનો પથ’

→ 1971માં ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ‘મારી બારીએથી’

→ 1977માં ‘યુવાદર્શન’માં ‘લાવો તમારો હાથ…’

→ 1978માં ‘ગુજરાતમિત્ર’માં ‘પગલાથી પંથ એક ફૂટ્યો’

→ 1981માં ‘મેઘના’માં ‘કાવ્યાસ્વાદ’

→ 1985માં ‘ફૂલછાબ’માં ‘કાવ્યાસ્વાદ’

→ 1989માં ગુજરાતી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ‘ચહેરાઓના વનમાં’

→ 1991માં ‘ચિત્રલેખા’માં ‘ઝલક’

→ ‘દિવ્યભાસ્કર’માં ‘હયાતીના હસ્તાક્ષર’


→ તેમની મુલાકાતનાં (જયાબહેન મહેતાએ કરેલાં) બે પુસ્તકો : ‘ડાયલૉગ’ (1988) અને ‘વેવલેન્થ’ (1995)ના નામે પ્રસિદ્ધ થયાં છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments