Ad Code

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા | Kishorlal Mashruwala

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

→ પૂરું નામ : કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

→ જન્મ : 5 ઓકટોબર, 1890 (મુંબઈ)

→ ઉપનામ : આશ્રમનો ઉલ્લુ, શ્રેયાર્થી સાહિત્યકાર

→ અવસાન : 9 સપ્ટેમ્બર, 1952

→ મૂળ વતન : સુરત

→ પ્રાથમિક શિક્ષણ મુંબઈ અને આકોલામાં. તેથી ગુજરાતીની સાથે મરાઠી ભાષા પણ શીખી લીધી.

→ સમાજમાં આમૂલ પરિવર્તનની વિચારણા આપતા પુસ્તક સમૂળી ક્રાંતિ ના લેખક અને ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક

→ તેમણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત મુંબઈમાં મરાઠી ભાષામાં કરી હતી.

→ મુંબઇમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ કર્યો હતો.

→ તેમણે વર્ષ 1909માં મુંબઇની વિલ્સન કોલેજમાંથી B.A.ની ડિગ્રી અને વર્ષ 1913માં LL.B. ની ડિગ્રી મેળવી હતી.

→ તેઓ ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર અને કેદારનાથજીના સંપર્કમાં આવ્યા હતાં અને તેઓ સાથેની ચર્ચા વિચારણાથી કિશોરલાલના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું.

→ તેઓ વર્ષ 1934-38 દરમિયાન ગાંધી સેવા સંઘના પ્રમુખ રહ્યા હતાં.

→ તેમણે દેશની આઝાદીની ચળવળમાં સક્રિય રીતે ભાગ લઇ અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો.

→ તેઓ વર્ષ 1946માં હરિજન બંધુ પત્રિકાના તંત્રી તરીકે જોડાયા હતાં.

→ તેમણે ખલીલ જિબ્રાનના અંગ્રેજી પુસ્તક The Prophetનો ગુજરાતી ભાષામાં વિદાય વેળાએ નામથી અનુવાદ કર્યો હતો.


સાહિત્ય સર્જન

→ ચરિત્રાત્મક નિબંધો : રામ અને કૃષ્ણ(1923),, ઈસુ ખ્રિસ્ત (1925), બુદ્ધ અને મહાવીર(1926), સહજાનંદ સ્વામી (1926) .

→ અનુવાદ : ગીતાધ્વનિ (1923), તિમિરમાં પ્રભા(1936) (ટૉલ્સ્ટૉય કૃત The light shines in Darkness), ઊધઇનું જીવન (1940) (The life of the white Ant – લે. મૉરિસ મેટરલિંક), અનુવાદ (શ્રીમદ ભગવદ ગીતા), માનવી ખંડિયેરો (1946) (અમેરિકન લેખક પેરી બર્જેસની નવલકથા ‘Who Walk Alone’) , શમશ્લોકી

→ તત્વચિંતન :‘જીવનશોધન’ (1929), ‘સ્ત્રીપુરુષમર્યાદા’ (1937), ‘અહિંસા-વિવેચન’ (1942), ‘ગીતામંથન’, ‘સત્યમય જીવન યાને સત્યાસત્ય વિચાર’, ‘સમૂળી ક્રાન્તિ’ (1948) તથા ‘સંસાર અને ધર્મ’ (1948)ના બે ભાગમાં કિશોરલાલે જીવનનાં સનાતન મૂલ્યોને અનુલક્ષી મૂલગામી, વિવેકપૂત, સૂક્ષ્મ, વિશદ અને અસંદિગ્ધ તત્વનિરૂપણ કરેલું છે.

→ ‘સમૂળી ક્રાન્તિ’માં પરમાત્મા વિશેની કલ્પનાને વિશેષ શુદ્ધ કરીને રજૂ કરી છે.

→ તેમણે ‘કાગડાની આંખે’(1947)માં ગાંધીવાદીઓ પરના કટાક્ષાત્મક લેખો આપ્યા છે.

→ કેળવણી વિષયક : કેળવણીના પાયા(1925),‘કેળવણીવિવેક’ (1949) અને ‘કેળવણીવિકાસ’ (1950)

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments