Ad Code

Responsive Advertisement

રમણલાલ દેસાઇ | Ramanlal Desai

બાવળ
રમણલાલ દેસાઇ

→ જન્મ : 12 મે, 1892 (શિનોર, વડોદરા)

→ અવસાન : 20 સપ્ટેમ્બર, 1954 (વડોદરા)

→ મૂળ વતન : કાલોલ, પંચમહાલ

→ બિરુદ :યુગમૂર્તિ વાર્તાકાર (વિશ્વનાથ ભટ્ટ દ્વારા)

→ પૂરું નામ : રમણલાલ વસંતલાલ દેસાઈ

→ તેમણે કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકેની નોકરીથી કરી હતી ત્યાર બાદ મુલકી ખાતામાં જોડાઈ ગુજરાતના અલગ અલગ સ્થળોએ નોકરી કરી હતી.

→ તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું.

→ તેઓ કલા ખાતર કલા નહિ પરંતુ જીવન ખાતર કલાના સિદ્ધાંતમાં માનતા હતાં. તેમણે નવલકથા, નવલિકા અને નાટકોમાં લોકજીવન અને લોકહદય ના ભાવોનું આલેખન કર્યુ છે. તેમણે 32 નવલકથા સહિત 100 પુસ્તકો લખ્યા હતાં.

→ તેમણે દેશભક્ત નામનું સામાયિક ચલાવ્યું હતું.

→ તેમણે લેખનકાર્યની શરૂઆત સંયુકતા નાટકથી કરી હતી.

→ તેમણે વર્ષ 1952માં ઓસ્ટ્રીયાના વિયેનામાં યોજાયેલા વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.

→ તેમની ગ્રામલક્ષ્મી (ભાગ 1 થી 4) નવલકથામાં તે સમયમાં ભારતની દુર્દશા માટે જવાબદાર પરાધિનતા અને ગામડાઓની અવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ તેમની નવલકથા દિવ્યચક્ષુ અને ગ્રામલક્ષ્મીની એટલી લોકપ્રિય બની હતી કે લોકો પોતાના બાળકોના નામ આ નવલકથા પાત્રોના નામ પરથી રાખતા હતાં.

→ તેમની દિવ્યચક્ષુ નવલકથામાં વર્ષ 1930માં થયેલ દાંડીકૂચ(મીઠા સત્યાગ્રહ) દ્વારા દેશમાં પ્રસરેલ ગાંધીજીના આદર્શો, અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ અને બ્રિટિશરોની જોહૂકમી વગેરેનું આલેખન કરવામાં આવ્યું છે.

→ તેમને વર્ષ 1932માં ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક અને દિવ્યચક્ષુ નવલકથા માટે હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


સાહિત્ય સર્જન

→ કાવ્યસંગ્રહ : નિહારિકા, શમણાં

→ નવલકથા : ઠગ (પ્રથમ નવલકથા), જયંત, દિવ્યચક્ષુ, ભારેલો અગ્નિ (1857ના વિપ્લવનું વર્ણન), પૂર્ણિમા, શિરીષ, ગ્રામલક્ષ્મી (ભાગ: 1 થી 4), કોકિલા, ક્ષિતિજ, બંસરી (જાસૂસી નવલકથા), ઝંઝાવાત, પ્રલય(છેલ્લી નવલકથા),હદયનાથ

→ નવલિકા : હીરાની ચમક, સતી અને સ્વર્ગ, ધબકતા હૈયાં, ઝાકળ, કાંચન અને ગેરૂ, ખરી મા

→ એકાંકી સંગ્રહો : : બૈજુ બાવરા, પરી અને રાજકુમાર

→ ચરિત્ર: મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવસૌરભ

→ નાટકો : સંયુક્તા, શક્તિ હદય

→ આત્મકથા : મધ્યાહનના મૃગજળ,ગઇકાલ


પંક્તિઓ

→ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી
એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું.



Post a Comment

0 Comments