પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાનાં સાધનો | Tools to know the history of ancient India

પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાનાં સાધનો
પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાનાં સાધનો

→ ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે.

→ ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઈતિહાસ પડવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

→ ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિંદમહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે.

→ ભારત ઉત્તર-દક્ષિણ 3214 કિમી જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ 2933 કિમી જેટલી પહોળાઈ ધરાવે છે.

→ જમીનસીમા લગભગ 9600 કિમી અને સમુદ્રસીમા લગભગ 8000 કિમી જેટલી ધરાવે છે.

→ ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોકિમી જેટલો વિશાળ છે.

→ ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળીયુગના માધ્યમથી પુરાણોમાં ઈતિહાસ-લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે.

→ ઈ.સ.ની બારમી સદીમાં કલ્હણ 'રાજતરંગિણી' નામનો કાશ્મીરનો ઈતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે.

→ 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઈતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યો.

→ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે (ઈ.સ. 1784) રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. તેણે 'મનુસ્મૃતિ'નાં અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સમુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું.

→ અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી (ઈ.સ. 1837).

→ વિન્સન્ટ આર્થર સ્મિથે Early History Of India લખ્યું. જે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. જે બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે.

→ રાષ્ટ્રવાદી ઈતિહાસકારોમાં ડો.આર.જી. ભાંડાકર અને વી.કે. રાજવડેનો સમાવેશ થાય છે.

→ સ્વતંત્રતા ભાદ ભારતીય ઇતિહાસ-લેખનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઈતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઈતિહાસ પર લખાણ વધવા લાગ્યું.

→ એ. એલ. બાશમ “ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા'ના લેખક અને ડી. ડી. કોસામ્બી ‘ઈન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન સિસ્ટરી'ના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે.


ભારતીય ઇતિહાસનું વિષયવસ્તુ

→ ઈતિહાસકારો ઇતિહાસ જાણવાનાં સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે : અલેખિત સાધનો અને લેખિત સાધનો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments