→ ભારતમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ, સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
→ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. આ પછી તે દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળમાં જોડાયા અને ઘણી વખત જેલ પણ ગયા.
→ વર્ષ 1925માં કાનપુર ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસના અધિવેશનમાં તેમણે અધ્યક્ષતા કરી હતી. (પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ)
→ તેઓ વર્ષ 1925માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા.
→ 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન નાયડુ લગભગ 21 મહિના જેલમાં રહ્યા હતા.
→ ધરાસણા મીઠાના સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને અન્ય તમામ નેતાઓની ધરપકડ થયા બાદ તેમણે સત્યાગ્રહીઓનું નેતૃત્વ કર્યું હતું.
→ બ્રિટિશ સરકાર સામે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને અન્ય કાર્યો માટે તેમની સક્રિય ભૂમિકાના સન્માન માટે તેમની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ ભારતમાં પ્લેગ (મરકી)ના રોગચાળા દરમિયાન લોકોની સેવા કરવા માટે બ્રિટિશ સરકારે “કેસર-એ-હિંદ'નું બિરુદ આપ્યું હતું. જે જલિયાવાલા બાગ હત્યાકાંડના બનાવ બાદ પરત કર્યું હતું.
→ તેમણે લંડનની બીજી ગોળમેજી પરિષદ (વર્ષ 1931)માં ગાંધીજી સાથે હાજરી આપી હતી. તેમણે ગાંધીજી અને ઈર્વિનને બે મહાત્મા કહ્યા હતા.
→ સરોજિની નાયડુ સ્વતંત્રતા ચળવળના રાજકીય કાર્યકર તેમજ કવિ પણ હતા. તેણીને ભરત કોકિલા (ભારતની કોકિલા{નાઈટિંગલ ઓફ ઈન્ડિયા}) કહેવામાં આવે છે. તેઓ દેશના પ્રથમ મહિલા ગવર્નર પણ હતા.
→ દેશની આઝાદી પછી 1947માં તેમને તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેઓ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા.
→ સરોજિની નાયડુ ભારતમાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રબળ સમર્થક હતા. તથા તેમની કવિતાઓ માટે તેમને 'ભારતની બુલબુલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ 13 ફેબ્રુઆરી 2014માં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ (ઉત્તરપ્રદેશ) સરોજની નાયડુની 135મી જન્મજયંતીના અવસર પર ભારત સરકાર દ્વારા 13 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
→ રાષ્ટ્રીય મહિલા દિવસઉજવવાનો ઉદ્દેશ્ય : વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પ્રત્યે સન્માન, પ્રશંસા અને પ્રેમ વ્યક્ત કરતાં આર્થિક સામાજિક અને રાજનૈતિક ઉપલબ્ધિઓના ભાગરૂપે મહિલા અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે.
→ વર્ષ 2018માં યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા બહાર પાડવામાં આવેલ 150 લીડિંગ વુમન લિસ્ટમાં તેઓને સામેલ કરવામાં આવ્યા હતા.
→ ધ ગોલ્ડન થ્રેશોલ્ડ (1905) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો.
→ આ ઉપરાંત ધ બર્ડ ઓફ ટાઈમ: સોંગ્સ ઓફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ, ધ બ્રોકન વિંગ, ધ સેપ્ટેડ ફ્લુટ: સોંગ્સ ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ: કિતાબિસ્તાન ધ ઈન્ડિયન વીવર્સ વગેરે તેમની મુખ્ય કૃતિઓ છે.
→ ભારતના બંધારણ ઘડતર માટે રચાયેલી બંધારણ સભામાં 15 મહિલા સભ્યો પૈકીના એક સરોજની નાયડુ હતા.
→ તેઓ સ્વતંત્રતા પછી ઉત્તરપ્રદેશ અને દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા.
→ તેમની લંડનની રોયલ સોસાયટી ઓફ લીટરેચર દ્વારા સભ્યપદ એનાયત કરવામાં આવ્યું હતું.
→ ભારત સરકારે તેમની યાદમાં 13 ફેબ્રુઆરી, 1964ના રોજ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
→ વર્ષ 1990માં પાલોમર ઓબ્ઝર્વેટરી ખાતે એલેનોર હેલિન દ્વારા શોધાયેલ એસ્ટરોઈડ 5647ને વર્ષ 2019માં એસ્ટરોઈડ 5647 સરોજની નાયડુ નામ આપવામાં આવ્યું.
0 Comments