Ad Code

Responsive Advertisement

જગન્નાથ - રથયાત્રા | Jagannath - Rath Yatra


જગન્નાથ - રથયાત્રા

→ જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓડિસાના પુરીમાં આવેલા જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે.

→ જગન્નાથનો અર્થ વિશ્વના માલિક (જગતનો નાથ) જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે.


→ જગન્નાથપુરીની રથયાત્રા જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે.



→ બારમી સદીના ગંગ- વંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાય મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો.

→ ઈ.સ. 1230માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા.

→ પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે.જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પૂરીમાં ભ્રમણ કરે છે. દેશ-વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે.






ગુજરાત

→ ગુજરાતમાં અમદાવાદમા જમાલપુર વિસ્તારમાં જગન્નાથનું મંદિર આવેલું છે.

રથયાત્રા
→ અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ-સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે.

→ પહિંદવિધિ કર્યા બદ રથયાત્રાાનો આરંભ કરવામાં આવે છે.

→ સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે જેને પહિંદવિધિ કહેવાય છે.

→ ૨થયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ ભલરામ (બલબદ્ર) અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે.


→ ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંતશ્રી નૃસિંહદાસજી(ઈ.સ. 1878)ના ફાળે જાય છે.



Post a Comment

0 Comments