Dalpatram | દલપતરામ


દલપતરામ (1820 - 1898)

→ જન્મ : 21 જાન્યુઆરી, 1820

→ જન્મસ્થળ : વઢવાણ

→ પિતા : ડાહ્યાભાઈ ત્રવાડી (ડાહ્યાવેદિયા)

→ માતા : અમૃતબા

→ જીવનસાથી : રેવાબેન

→ સંતાન : કવિ ન્હાનાલાલ

→ ધર્મ : શ્રીમાળી બ્રાહ્મણ હિંદુ

→ ખિતાબ : બ્રિટિશ સરકાર તરફથી સી. આઇ. ઇ. ઇલ્કાબ
અભ્યાસ

→ સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ

→ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ


વ્યવસાય

→ ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ

→ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી

→ ૧૮૫૫- બુદ્ધિપ્રકાશનું સંપાદન

→ ૧૮૫૮- 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ



બિરુદ/ઓળખ

→ કવીશ્વર (એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને “કવીશ્વરનું” બિરુદ આપ્યું હતું.)

→ લોકહિત ચિંતક

→ વાણીરાણીના વકીલ

→ અર્વાચીન યુગનો કૂકડો

→ ગરબી ભટ્ટ (નર્મદ કહ્યા)


કૃતિઓ

→ ફાર્બસ વિરહ

→ લક્ષ્મી (1850)(સૌપ્રથમ ગુજરાતી નાટક) {દલપતરામે ગ્રીક નાટ્યકાર એરિસ્ટો ફેનિસની ‘પ્લુટસ' નામની કૃતિના આધારે રચ્યું હતું.}

→ મિથ્યાભિમાન (નાટક) (1870)

→ જાદવાસ્થળી

→ બાપાની પીંપર (સૌપ્રથમ ગુજરાતી કવિતા) (1845)

→ બાલવિવાહ નિબંધ

→ ભૂતનિબંધ (1849)

→ જ્ઞાતિ નિબંધ

→ તાર્કિક બોધ (સૌપ્રથમ ગુજરાતી વાર્તાસંગ્રહ)

→ દૈવજ્ઞ દર્પણ

→ વેન ચરિત્ર

→ ગુર્જરીવાણી વિલાપ

→ શ્રવણાખ્યાન

→ ફાર્બસવિલાસ

→ શેરસટ્ટાની ગરબીઓ

→ વિજયક્ષમા

→ હંસકાવ્યશતક


પદ્યપુસ્તકો
→ દલપતકાવ્ય (ભાગ -1,2) (1879, 1885)

→ કાવ્ય દોહન પુ. 1-2 (1860, 1863) (સૌપ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ)

→ શામળ સતસઈ (પાંચમી આવૃત્તિ 1922)

→ કથન સપ્તશતી (1852)

→ દલપત પિંગળ (છંદશાસ્ત્રમાં પ્રકાશિત થયેલું દલપતરામનું પુસ્તક) (1862)

→ હરિલીલા મૃત (1890-1897)





→ સૌપ્રથમ ગુજરાતી કરુણપ્રશસ્તિ – ફાર્બસ વિરહ

→ અર્વાંચીન ગુજરાતીનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય - હુન્નર ખાનની ચડાઈ (1851)

→ દલપતરામનું શ્રેષ્ઠ નાટક - મિથ્યાભિમાન

→ દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર - જીવરામ ભટ્ટ

→ દલપતરામનું વખણાતું સાહિત્ય : હડૂલા (ઉખાણાં પ્રકારની રચના)






દલપતરામની જાણીતી પંક્તિઓ

→ હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો

→ આવ ગિરા ગુજરાતી તેને અતિ શોભિત શણગાર સજાવું

→ અંધેરી નગરી ને ગંડુ રાજા

→ રૂડો, જુઓ આ વઋતુરાજ આલ્બી, મુકામ તેણે વનમાં જમાવ્યો, તરુવરોએ શણગાર કીધો

→ સાગ ઉપ કાગ બેઠો રથે બેઠા રાણી, બદા બેઠા માંચીએ ને દુનિયા ડહોળે પાણી

→ સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપના હજાર છે.

→ "મરતાં સુધી મટે નહિ, પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત’

→ માનવજાતિ માત્ર ભલે વસે સહુ ભૂમિમાં, પણ ગીતિનું પાત્ર ફૂટી ગયું રે ફારબસ

→ લાંચિયાનું ગયું રાજય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.



→ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ તથા ગુજરાતીમાં સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ રચનાર

→ એલેક્ઝાન્ડર ફાર્બસ સાથે મળી ઈ.સ. 1848ના ડિસેમ્બરમાં “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી તથા તેના દ્વારા પ્રકાશિત સામયિક ‘'બુદ્ધિપ્રકાશ'ના તંત્રીપદે પણ રહ્યા. આગળ જતાં આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઈ.

→ દલપતરામે તત્કાલીન વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈને “રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ' તરીકે પોતાની ઓળખાણ આપી હતી.

→ 1834થી 1841 દરમિયાન કકડે કકડે મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો. તે પરથી તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’ નામના ગ્રંથો વ્રજભાષામાં લખ્યા. પછી તો દલપતરામ ‘સત્સંગ’ના કવિ તરીકે ખ્યાતિ પામ્યા.



Post a Comment

0 Comments