Ad Code

ચુનીલાલ મડિયા | Chunilal Madia

ચુનીલાલ મડિયા
ચુનીલાલ મડિયા

→ જન્મ : 12 ઓગસ્ટ, 1922 રાજકોટ, ધોરાજી

→ અવસાન : 29 ડિસેમ્બર, 1968 (અમદાવાદ)

→ ઉપનામ : કુલેન્દુ, અખો રૂપેરો, વકગતિ, વિરંચિ અને ગ્રામજીવનના સમર્થ સર્જક

→ પૂરું નામ : ચુનીલાલ કાળીદાસ મડિયા

→ બહુમુખી પ્રતિભા ધરાવતા નવલકથાકાર, નવલિકાકાર, નાટયકાર, વિવેચક ચુનીલાલ મડિયા


→ તેઓ કુલેન્દુ, અખો રૂપેરો, વકગતિ, વિરંચિ અને જેવા ઉપનામથી જાણીતા હતા.

→ મડિયા પોતાને 'નાટકનો જીવ' કહેતા હતા. 'ખીજડિયે ટેકરે' નામની વાર્તામાં પિતૃહૃદયી ભોજાના પાત્રને તેમણે સારી રીતે ઉપસાવ્યું છે. ‘સોનેટ' એમનો એકવીસ કાવ્યોનો સંગ્રહ છે.

→ તેમણે વર્ષ 1945માં મુંબઇની સિડનહામ કોલેજમાંથી B.Com ની ડિગ્રી મેળવી હતી.

→ તેમની પ્રથમ વાર્તા 'સોમાજી' કુમાર માસિકમાં છપાઈ હતી. ઉમાશંકર જોશીના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી પ્રથમ વાર્તાસંગ્રહ 'ઘૂઘવતાં પૂર' આપ્યો.

→ તેઓ 'હુયિ' નામના સામાયિક સાથે સંકળાયેલા હતા. તેમજ ‘સંદેશ’ અને ‘જન્મભૂમિ' દૈનિકમાં તેઓએ નવલકથાઓ પણ લખી હતી.

→ તેઓ વર્ષ 1950-62 દરમિયાન મુંબઈની અમેરિકી માહિતી કચેરીમાં ગુજરાતી વિભાગના વડા સંપાદક તરીકે જોડાયા હતા.

→ તેમણે વર્ષ 1945માં પ્રથમ નવલકથા 'પાવક જવાળા' લખી હતી જેમાં પાછળથી તે જ નામથી ફિલ્મ પણ બની હતી.

→ વર્ષ 1968માં તેમની નવલકથા 'લીલુડી ધરતી' પરથી દિગ્દર્શક વલ્લભભાઇ ચોકસીએ તે જ નામની ગુજરાતી ફિલ્મ બનાવી હતી, જે ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ છે.

→ તેમની ટૂંકીવાર્તા ‘અબુ મકરાણી' પરથી વર્ષ 1985માં હિન્દીમાં 'મિર્ચ મસાલા' ફિલ્મ બની હતી, જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ પામી હતી.

→ તેમની 'અંત : સ્ત્રોતો' કૃતિ પરથી મારી હેલ ઉતારો રાજ' ફિલ્મ બની હતી.

→ હું અને મારી વહુ, રંગદા, વિષયવિમોચન, રકતતિલક, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે તેમના ત્રિઅંકી અને એકાંકી નાટકના પ્રકાશનો છે.

→ તેઓએ ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજયંદ, ગોપાલકૃષ્ણ ગોખલે, ટોલ્સટોય અને રસ્કીનના ચરિત્ર આલેખ્યા હતા તેમજ 'વિધાપ્રેમી ફાર્બસ પણ તેમની ચરિત્ર પુસ્તિકા હતી.

→ તેમને સાહિત્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નર્મદ સુવર્ણ ચંદ્રક (1947) અને સર્જન રણજીતરામ સુવર્ણ ચંદ્રક (1957)થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ 12 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાત વિશ્વકોશ દ્વારા નાટયકાર અને કવિ ચુનીલાલ મડિયાના જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું હતું.


સાહિત્ય સર્જન

→ નવલકથા : લીલુડી ધરતી (ભાગ 1-), ઈન્દ્રધનુષનો આઠમો રંગ, વ્યાજનો વારસ, કુમકુમ અને આશકા, આલા ધાધલનું ઝીંઝાવદર, ઈંધણ ઓછા પડ્યાં.

→ વેળાવેળાની છાંયડી, પ્રીતવછોયાં, શેવાળના શતદલ, કુમકુમ અને આશકા, સઘરા જેસંગનો સાળો (ભાગ - 1,2), ગ્રહાષ્ટક વત્તા એક, સઘરાના સાળાનો સાળો

→ નાટક : શૂન્યશેષ, રામલો રોબિનહૂડ, હું અને મારી વહુ

→ ટૂંકીવાર્તા : ગામડું બોલે છે, શરણાઈના સૂર(વાર્તા) (પાત્રો : રમઝુ મીર, ગવરી, સકીના, ભૂધર મેરાઇ), ચંપો અને કેળ, તેજ અને તિમિર, રૂપ-અરૂપ, જેકબ સર્કલ સાત રસ્તા, ક્ષણાર્ધ, ક્ષત-વિક્ષત, વાની મારી કોયલ

→ પ્રવાસ : જય ગિરનાર

→ વિવેચન ગ્રંથ : વાર્તાવિમર્થ, શાહમૃગ-સુવર્ણમુગ, કથાલોક, ગુજરાતી સાહિત્યમાં ડોકિયું

→ નિબંધ : ચોપાટીને બાંકડેથી, છીંડું ખોળતાં

→ વાર્તા : ઇચ્છાકાકા

→ એકાંકી : રંગદા, રકતતિલક

→ નવલિકા: ખીજડિયે ટેકરે

→ ચરિત્ર નિબંધો : વિધાપ્રેમી કાર્બસ, ગાંધીજીના ગુરુઓ

→ 1951માં મડિયાને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. 1951માં મડિયાના ‘રંગદા’ એકાંકીસંગ્રહને મુંબઈ સરકારનું શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું.

→ 1954માં ‘ધ ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ની આંતરરાષ્ટ્રીય ટૂંકી વાર્તા હરીફાઈમાં મડિયાની ટૂંકી વાર્તા ‘રાન્દેવૂ ઇન ઇટરનિટી’ (‘અંત:સ્રોતા’નું અંગ્રેજી રૂપાંતર)ને તે વરસની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનું પ્રથમ ઇનામ મળ્યું.

→ 1956માં મડિયાના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘તેજ અને તિમિર’ને મુંબઈ સરકાર તરફથી 1952ના વરસ માટેના શ્રેષ્ઠ ટૂંકી વાર્તાના સંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું.

→ 1956થી 1968 સુધી મડિયા કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments