Ad Code

Responsive Advertisement

બળવંતરાય મહેતા સમિતિ – 1957 | Balwantarai Mehta Committee – 1957


બળવંતરાય મહેતા સમિતિ – 1957



→ ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ના અધ્યક્ષપણા હેઠળ ઈ.સ. 1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી.

→ આ સમિતિ “સામુદાયિક વિકાસ કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય વિસ્તાર સેવા” દ્વારા થયેલા કાર્યોની તપાસ માટે કરવામાં આવી હતી.

→ 24 નવેમ્બર, 1957ના રોજ આ સમિતિએ પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કર્યો જેમાં “લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ (સ્વાયતતા)” ની યોજનાની ભલામણ કરવામાં આવી.

→ આ સમિતિએ ભલામણો મુજબ સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદઘાટન પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે 2 ઓક્ટોબર, 1959 ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં કરવામાં આવ્યું. પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારનું પ્રથમ રાજ્ય “આંધ્રપ્રદેશ” હતું.













ભલામણ


→ પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઈએ.
  1. ગ્રામ્ય સ્તરે – ગ્રામ પંચાયત
  2. બ્લોક સ્તરે – પંચાયત સમિતિ (તાલુકા પંચાયત)
  3. જિલ્લા સ્તરે – જિલ્લા પરિષદ

→આ ત્રણેય પરસ્પર અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા જોડાયેલ

→ જિલ્લા પરિષદનો અધ્યક્ષ જિલ્લા અધિકારી હોવો જોઈએ.

→ પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરવવાની સત્તા હોવી જોઈએ.

→ જમીન મહેસૂલની આવક અને અન્ય ઉપજો પંચયાતોને સ્વભંડોળ માટે આપવી.

→ ગ્રામ પંચાયતોને વહિવટ કરવા માટે 100% ખર્ચ આપવો.

→ રાજય સરકારના અધિકારોને – નાણાં પંચાયતોને હવાલે મૂકવા.

→ ગ્રામ પંચાયતનો વિઘટન કરતાં પહેલાં જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો.

→ સરકાર દ્વારા કેટલાંક નિયંત્રણો મુકવાં.

→ યોજનાઓ સાથે કામ કરતાં અધિકારી, કર્મચારીઓને પંચાયતતંત્ર નીચે મૂકવા.




Post a Comment

0 Comments