Ad Code

Tribhuvandas Purushottamdas Luhar (Sundaram) | ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર “સુન્દરમ”

પુરુષોતમદાસ ત્રિભુવનદાસ લુહાર
પુરુષોતમદાસ ત્રિભુવનદાસ લુહાર

→ જન્મ : 22 માર્ચ, 1908 (મિયાંમાતર,ભરૂચ)

→ પૂરું નામ: પુરુષોતમદાસ ત્રિભુવનદાસ લુહાર

→ ઉપનામ : સુન્દરમ,મરીચિ ત્રિશૂળ, કોયા, ભાગત

→ બિરુદ : ગાંધીયુગના મૂર્ધન્ય કવિ, તપોગિરિના આનંદયાત્રી, પૂર્ણ યોગના સાધક

→ અવસાન : 13 જાન્યુઆરી, 1991

→ ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને વાર્તાકાર ત્રિભુવનદાસ લુહાર


→ તેમણે ગૂજરાત વિધાપીઠમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓએ સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કાર્ય કયું હતું.

→ તેમના સાહિત્ય સર્જનના ઘડતરમાં વિશ્વનાથ મગનલાલ ભટ્ટ અને રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા સાહિત્ય સર્જકનો મહત્વનો ફાળો છે.

→ તેમણે લેખનકાર્યની શરૂઆત વર્ષ 1926માં મરીચિ ઉપનામે એકાંશ દે કાવ્ય દ્વારા કરી હતી. આ કાવ્ય ગૂજરાત વિધાપીઠના સાબરમતી સામાયિકમાં પ્રગટ થયું હતું.

→ તેમણે વર્ષ 1931માં ત્રિશૂલ ઉપનામે પ્રથમ વાર્તા લૂંટારા લખી હતી તેમજ સુન્દરમ્ ઉપનામે બારડોલી કાવ્ય પ્રગટ કર્યુ હતું.

→ તેમણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આવતા ગિરમિટિયા બાળસુન્દરમ્નો છેલ્લો શબ્દ ગમી જતા ઉપનામ સુન્દરમ્ રાખ્યું હતું.

→ તેમણે વર્ષ 1935-1945 સુધી અમદાવાદની જયોતિસંઘ સંસ્થામાં સેવા આપી હતી.

→ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ કોયાભગતની કડવી વાણી આપ્યો હતો.

→ તેઓ વર્ષ 1945માં સહપરિવાર પોંડિયેરીનાં શ્રી અરવિંદ આશ્રમમાં સ્થાયી થયા અને આશ્રમના આજીવન અંતેવાસી (જીવનના અંત સુધી રહેનાર) રહ્યા હતાં. આ સમય દરમિયાન તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતાં દક્ષિણા (ત્રિમાસિક) અને બાળદક્ષિણાનું સંપાદન કર્યુ હતું.

→ પોંડિયેરીના સ્થાયી નિવાસ પછી તેમણે લખેલી કુલ 30 જેટલી વાર્તાઓનો સંગ્રહ તારિણીમાં કરવામાં આવ્યો છે.

→ તેઓ વર્ષ 1970માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતાં.

→ તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે કવિ શ્રી સુંદરમ્ ચોક બનાવવામાં આવ્યો છે.


પુરસ્કાર

→ રણજિતરામ સુવર્ણ ચંદ્રક (1934-કાવ્ય મંગલા)

→ મહિદા પુરસ્કાર (1946)

→ નર્મદ સુવર્ણ ચંદ્રક (1955- કવિતાસંગ્રહ યાત્રા)

→ સાહિત્ય અકાદમી પુરસ્કાર (1968- અવલોકન વિવેચન ગ્રંથ)

→ પદ્મ ભુષણ (1995)


સાહિત્ય સર્જન

→ ટૂંકી વાર્તા : હીરાકણી અને બીજી વાતો, પિયાસી, ખોલકી અને નાગરિકા, ઉન્નયન

→ કાવ્યસંગ્રહ : કોયાભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્યમંગલા,યાત્રા, વસુધા, રંગરંગ વાદળિયા, વરદા, કત્લની રાત

→ નવલકથા : પાવકના પંથે

→ વિવેચન ગ્રંથ : અર્વાચીન કવિતા

→ પ્રવાસ : દક્ષિણાયન

→ ચરિત્ર : શ્રી અરવિંદ મહાયોગી

→ કાવ્ય : ઘણ ઉઠાવ, ગુર્જરીના ગૃહ કંજે

→ અન્ય : ત્રણ પાડોથી (કાવ્યમંગલા કાવ્યસંગ્રહમાંથી), કોણ ? ("વસુધા' નામના કાવ્યસંગ્રહમાંથી, હંકારી જા(ઊર્મિકાવ્ય)


પંક્તિઓ

→ હણો ના પાપીને, દિંગણ બનશે પાપ જગના,
લડો પાપ સામે, વિમલ દિલના ગુપ્ત બળથી

→ લક્ષ્મી તેને જઈ વરે જે પરસેવે ન્હાય.
બેસી બહે પાપિયો. ઇન્દ્ર મજદરનાં ભાઈ

→ હું તો પૂછું કે મોરલાની પીછીમાં,
રંગરંગવાળી આ ટીલડી કોણે જડી

→ હું માનવી માનવ થઉં તો ઘણું

→ જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી

→ કડવા કારેલાનો ગણ ન હોય કડવો હો

→ અમે નીલફુવારે રમતાં રે, મનગમત !

→ એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ

→ જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.

→ તને મે ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

→ દરિયાને તીરે એક રેતીની ઓટલી, ઊંચી અતુલી અમે બાંધી જી રે ...

→ નમું તને પથ્થરને ! નહિ નહિ શ્રદ્ધા તણા આસનને નમું નમું ....

→ પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ

→ માનવના નેણમાં ને વેણમાં સમાતી, સાત સાત રંગમાં ન ઝાલી ઝ્લાતી

→ હજી ઘણા અદ્વિ ઉલંધવાના, હજી ઘણા સાગર માપવાના

→ હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી

→ હાં રે અમે ગ્યાં તા ...

→ હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments