Ad Code

Responsive Advertisement

સમુદ્રગુપ્ત | SamudraGupta


સમુદ્રગુપ્ત (ઈ.સ. 330 થી ઈ.સ. 376)

→ સમુદ્રગુપ્તનો ઈતિહાસ આપણને અલ્હાબાદના અશોકસ્તંભ પરના પછીથી લખાયેલ પ્રયાગ પ્રશસ્તિથી જાણીતા અભિલેખમાંથી મળે છે. આ અભિલેખ તેના એક અગ્રિમ અધિકારી અને રાજકવિ હરિશેણ દ્વારા રચિત 33 વકયોનો બનેલો છે.

→ પિતા : ચંદ્રગુપ્ત – 1
→ શાસન : ચંદ્રગુપ્ત – 1 ઉત્તરાધિકારી સમુદ્ર્ગુપ્તે ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

ઉપાધિ

→ તત્પાદપરિગૃહીત (ઋદ્ધપૂર અભિલેખ પ્રમાણે)
→ કવિરાજ (રાજકવિ હરિષેણ દ્વારા), આર્ય (પિતા દ્વારા)


→ પત્ની : દત્તદેવી (એરણ અભિલેખ પ્રમાણે)
→ પુત્ર : રામગુપ્ત , ચંદ્રગુપ્ત – 2 (દેવગુપ્ત)

→ અન્ય નામ : લિચ્છવી દૌહિત્ર, કવિરાજ ગુપ્ત
→ દરબારી રત્નો : હરિષેણ , આર્યભટ્ટ, કવિ કાલિદાસ
→ વિશેષ : સમુદ્રગુપ્તે પોતના લેખ માટે અશોકસ્તંભનો ઉપયોગ કર્યો હતો.
→ ભારતનો એકમાત્ર સમ્રાટ જે ક્યારેય યુદ્ધ હાર્યો નથી.



સામ્રાજ્ય વિસ્તાર

→ પૂર્વ : બ્રહ્મ દેશ
→ વાયવ્ય : પૂર્વ પંજાબ સુધી
→ ઉત્તર : કાશ્મીર સુધી
→ દક્ષિણ : કાશીના પાલવ કૃષ્ણા નદી


સમુદ્રગુપ્તના વિજયો

→ સમુદ્રગુપ્તે જીતેલા પ્રદેશો પાંચ વિભાગના છે.

  1. ગંગા – યમુના દોઆબ – ઉત્તર દિશા હિમાલય સુધી
  2. તિબેટ, નેપાળ , 7 – સિસ્ટર રાજ્ય – ઉત્તર પૂર્વ વિભાગ
  3. અટવિક પ્રદેશ, વિંધ્ય પ્રદેશ – મધ્ય ભારત
  4. દખ્ખણ , દક્ષિણ ભારતના 12 રાજ્યો – દક્ષિણ ભારત
  5. સિંઘ, કાબુલ પ્રદેશ – ઉત્તર પશ્વિમ ભારત


→ યુદ્ધો થકી કરેલા વિજયોને આર્યાવર્તના (9) અથવા ઉત્તરાપથ (ઉત્તર ભારતની) અને દક્ષિણાપથના (12) (દક્ષિણ ભારતના) વિજયો તરીકે ઓળખવામાં આવે છે.

→ તેણે આર્યાવર્તના 9 અને અને દક્ષિણાપથના 12 રાજ્યો જીત્યા હતા.

આર્યાવર્ત / ઉત્તરાપથ : ઉત્તર ભારત

→ સમુદ્રગુપ્તના આ વિજયો વિષે કવિ હરિષેણ રચિત સ્તંભલેખ - પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી મળે છે. તેના જણાવ્યા અનુસાર સમુદ્રગુપ્તે આર્યાવર્તના ત્રણ મહત્વના રાજાઓનો પરભાવ કર્યો.

→ અચ્યુત, નાગસેન અને કુલજ ( પ્રયાગ પ્રશસ્તિ અનુસાર) નામના રાજાઓ ઉપર યુદ્ધ કરીને તેમને જીતી લીધા.

→ અહિચ્છત્ર, ગ્વાલિયર અને કોટાના પ્રદેશમાં આવેલા રાજાઓને તેણે નમાવ્યા.

→ ગંગા ખીણની આસપાસના પ્રદેશોમાં રહેલી તમામ સત્તાઓને હરાવી, ગુપ્ત સામ્રાજ્યનો પ્રસાર કર્યો.

દક્ષિણપથ : દક્ષિણ ભારત

→ સમુદ્ર્ગુપ્તે દક્ષિણાપથના 12 રાજાઓને પરાસ્ત કરીને ધર્મ વિજયનું કામ કર્યું. તેનો ઉલ્લેખ અલ્હાબાદ - પ્રયાગ પ્રશસ્તિમાં છે.

→ તેણે પ્રથમ રાજાઓને જીતી ત્યારબાદ તેમને મુક્ત કરી, તેમની પાસેથી ખંડણી ગ્રહણ કરી. આમ, તેણે પોતાનું આધિપત્ય સામંતશાહી પદ્ધતિથી સ્થાપ્યું હોવું જોઈએ.


અન્ય વિજયો

→ સમુદ્રગુપ્તના અન્ય વિજયોમાં બંગાળ, કામરૂપ, નેપાળ, માલવ, યૌધેય, મદ્ર અને આભિરો સાથેના યુદ્ધોનો સમાવેશ થાય છે. આ રાજાઓને હરાવીને તમામની પાસેથી તેણે ખંડણી સ્વીકારી.

→ ઉત્તરકાલીન કુષાણો કેટલાક શક નાયકો, વાયવ્યના વિદેશી શાસકો તથા સિંહલદેશ (શ્રીલંકા) ના રાજા મેઘવર્ણ સહિતના અનેક ટાપુ રાજ્યના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું.


→ મેઘવર્ણનને બૌદ્ધિ બનાવવામાં મદદ કરી.

→ સમુદ્રગુપ્તે ઝડપથી આસપાસના વિસ્તારો કબજે કરી ગુપ્ત સામ્રાજયની સરહદો વધારી, દૂર- દૂરના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું, એટલા માટે સમુદ્રગુપ્તને “ભારતનો નેપોલિયન” કહેવામાં આવે છે.



સમુદ્રગુપ્તના સિક્કા

→ ગરુડ

→ ચંદ્રગુપ્ત – કુમારદેવી

→ સમુદ્રગુપ્તના કેટલાક સિક્કાના પૃષ્ઠ ભાગ પર પરાક્રમ બિરુદ જોવા મળે છે.

→ વાઘને હણતા રાજા તરીકે ચિત્રવાળા સિક્કામાં વ્યાઘ્ર પરાક્રમ બિરુદ જોવા મળે છે.

→ એક સિક્કામાં સમુદ્રગુપ્તને પલંગ પર બેસી વીણાવાદન કરતો બતાવ્યો છે.

→ કેટલાક સિક્કાઓમાં અશ્વમેઘ પરાક્રમનું લખાણ છે.

→ એક સિક્કામાં સમુદ્રગુપ્તને તીર અને બાણ (કામઠાં) સાથે દર્શાવવામાં આવ્યો છે.

→ અભિલેખો અને સિક્કાઓમાં આ રાજાને અશ્વમેઘ યજ્ઞ કરતો દર્શાવવામાં આવ્યો છે.










સમુદ્રગુપ્તની વહીવટી વ્યવસ્થા

પ્રાંત



→ મુખ્ય અધિકારી : ઉપરીક, ગોપ્તા કે ભોગપતિ

→ પ્રાંતોના પેટા વિભાગ પાડવામાં આવતા હતા.

વિષય

→ મુખ્ય અધિકારી : વિષયપતિ

→ વિષય પ્રાંતનો પેટા વિભાગ છે.

વિથિ (તાલુકો)

→ મુખ્ય અધિકારી : વિથિપતિ

→ વિથિ વિષયનો પેટા વિભાગ છે.

ગ્રામ

→ મુખ્ય અધિકારી : ઉપરી ગ્રામોધ્યક્ષ

→ વહીવટી સૌથી નાનું એકમ

→ બિનસરકારી અધિકારીઓની સમિતિ ગ્રામોધ્યક્ષને મદદ કરતી.




અન્ય માહિતી





→ રાજકવિ હરિષેણ હતો જેને પ્રયાગ પ્રશસ્તિ કોતરાવી. જે સંસ્કૃત ભાષાનો સૌથી મોટો શિલાલેખ છે. {પ્રયાગમાં આવેલું એક શિલાલેખ જે સમુદ્રગુપ્તનો ઈતિહાસ પૂરો પાડે છે.}

→ શ્રીલંકાના સાહિત્યમાં સમુદ્રગુપ્ત “અનુકંપાવન” તરીકે ઓળખાય છે.

→ શ્રી વી.એ.સ્મિથ એ સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહ્યો છે.

→ તેના દરબારમાં રાજકવિ હરિષેણ, બૌદ્ધ સાધુ વસુમિત્ર, મહાદંડનાયક તિલભટ્ટ આવ્યા હતા.

→ સૌથી વધારે સોનાના સિક્કા બહાર પાડનાર રાજા

→ અમુક સિક્કાઓમાં લખ્યું છે કે તે પૃથ્વી જીત્યા બાદ સ્વર્ગ જીતવા નીકળ્યો હતો.



Post a Comment

0 Comments