Premchand | Dhanpat Rai Srivastava | મુનશી પ્રેમચંદ



મુનશી પ્રેમચંદ





→ મૂળનામ : ધનપતરાય શ્રીવાસ્તવ

→ જન્મ : 31 જુલાઈ, 1880 ના રોજ ઉત્તરપ્રદેશના લમહી (કાશી) ખાતે થયો હતો.

→ પિતાનું નામ : અજાયબરાય

→ માતાનું નામ : આનંદદેવી

→ મૃત્યુ : 8 ઓક્ટોબર, 1936ના રોજ વારાણસી ખાતે થયું હતું.

→ ઓળખ : આધુનિક હિન્દી વાર્તાના પિતામહ

→ તેમણે પ્રાથમિક શિક્ષણ ઉર્દુ અને ફારસી ભાષામાં લીધું હતું.

→ વર્ષ 1898 માં મેટ્રિક પરીક્ષા પાસ કરી તેઓએ ત્યાંની સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.

→ નોકરીની સાથે - સાથે તેઓએ ઉચ્ચ શિક્ષણ પણ લેવાનું ચાલુ રાખ્યું હતું અને વર્ષ 19919માં આર્ટ્સ (B.A.) માંથી ગ્રેજ્યુએટ થઈને શિક્ષા વિભાગમાં “ઈન્સ્પેકટર” તરીકે જોડાયા હતા.






→ અસહકાર આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીના સરકારી નોકરી છોડવાના આહ્વાન પર તેમણે વર્ષ 1921 માં તેમના પાડા પરથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ લેખનના ક્ષેત્રમાં તેમણે આજીવન કામ કર્યું હતું.

→ તેઓ સૌપ્રથમ “નવાબરાય” ઉપનામથી ઉર્દુમાં લખતા હતા.

→ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ વર્ષ 1908માં “સોજે – વતન” પ્રકાશિત થયો હતો.

→ દેશપ્રેમને લગતા આ વાર્તાસંગ્રહ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો તથા આના લેખક નવાબરાય ભવિષ્યમાં ક્યારેય પણ લેખન ન કરવા ચેતવણી આપી હતી.








→ આ કારણે તેઓએ નામ બદલીને “પ્રેમચંદ” નામથી લખવાનું શરૂ કર્યું હતું. તેમનું આ પ્રેમચંદ નામ “દયાનારાયણ નિગમે” આપ્યું હતું.

→ તેમણે નવલકથા, વાર્તા, બાળ પુસ્તકો, અનુવાદ અને ભાષણપત્રો ક્ષેત્રે સાહિત્ય સર્જન કર્યું હતું.

→ વર્ષ 1918 માં તેમની સૌપ્રથમ હિન્દી નવલકથા “સેવાસદન” પ્રકાશિત થઈ હતી.

→ હિન્દી વાર્તા અને નવલકથા ક્ષેત્રમાં વર્ષ 1918 થી 1936ના સમયગાળાને “પ્રેમચંદ યુગ” કહેવામાં આવે છે.

→ તેમણે “જાગરણ” નામથી સમાચારપત્ર અને “હંસ” નામથી માસિક સાહિત્યપત્રિકાનું સંપાદન કર્યું હતું.

→ હંસના સંપાદક “પ્રેમચંદ” અને “કનેયાલાલ મુનશી” બંને હતા પરંતુ સમય જતાં વાચકો “મુનશી” અને “પ્રેમચંદ” ને એક જ સમજી બેઠા અને પ્રેમચંદએ “મુનશી પ્રેમચંદ” બની ગયા.




→ તેમણે વરદાન, પ્રતિક્ષા, નિર્મલા, ક્રુષ્ણ અને મંગલસૂત્ર (અધૂરી નવલકથા) જેવી નવલકથાઓનું સર્જન કર્યું હતું.

→ ગોદાન તથા રૂઠી રાની તેમની લોકપ્રિય નવલકથા છે.


Buy Book : GOODAN BY MUNSHI PREMCHAND



→ તેમણે સંગ્રામ, પ્રેમકી વેદી અને કાબિલ જેવા નાટકોનું સર્જન કર્યું છે.

→ નવલકથામાં તેમના મહત્વના યોગદાન બદલ બંગાળી નવલકથાકાર શરતચંદ્ર ચટોપાધ્યાયે તેમને “નવલકથા સમ્રાટ” થી સંબોધન કર્યું હતું.

→ પ્રેમચંદનું જીવનચરિત્ર તેમનં પુત્ર અમૃરાયે વર્ષ 1962માં “પ્રેમચંદ : કલમ કા સિપાહી” નામથી લખ્યું છે, જેને સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે.

→ ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં વર્ષ 1980 માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.








Post a Comment

0 Comments