→ દર વર્ષે સમગ્ર ભારતમાં 7 માર્ચના રોજ 'જન ઔષધિ દિવસ' ઉજવવામાં આવે છે.
→ થીમ -2025 : "Daam Kam - Dawai Uttam"
→ આ દિવસની પ્રથમ ઉજવણી 7 માર્ચ, 2019ના રોજ કરવામાં આવી હતી.
→ ઉદ્દેશ : જેનરિક દવાઓના ઉપયોગ વિશે વધુ પ્રોત્સાહન અને લોક જાગૃતિ લાવવાનો છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2015ના રોજ જન ઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સમગ્ર દેશમાં 'જન ઔષધિ સ્ટોર બનાવવામાં આવ્યા હતા.
→ આ સ્ટોર પર ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓ બજાર કિંમત કરતા 60%થી 70% જેટલી ઓછી કિંમતે મળી રહે છે.
→ જેનરિક દવાને ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા 'પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના" (PMBJP) નવેમ્બર, 2008માં શરૂ કરવામાં આવી હતી.
→ ભારતનો કોઇપણ નાગરિક, હોસ્પિટલ, એન.જી.ઓ, ફાર્મસિસ્ટ કે ડોકટર જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે.
→ દિવ્યાંગ વ્યકિત, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો વ્યકિત જન ઔષધિ કેન્દ્ર ખોલે તો સરકાર તેને 50,000 રૂપિયાની સહાય કરે છે.
→ ભારત સરકર દ્વારા લોકોમાં જેનરિક દવાઓના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી જન ઔષધિ સપ્તાહ 1 થી 7 માર્ચ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે.
0 Comments