Ad Code

વર્ણ પરિચય | Varna Parichay - Gujarati Vyakaran


વર્ણ પરિચય

→ આપણા વિચારો સામી વ્યક્તિ સમક્ષ રજુ કરવા આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ ભાષા એટલે સરળ રીતે કહીએ તો વાક્યો.

→ વાક્ય એ આપણા વિચાર રજુ કરવા માટેનો એકમ છે. વાક્ય શબ્દોનું બને છે. શબ્દ વર્ણોના બને છે.

સ્વર : જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે અન્ય કોઇપણ વર્ણની સહાયતા વિના થઇ શકે તેને 'સ્વર' કહે છે.

→ આ સ્વરોની કુલ સંખ્યા ૧૩ છે.

→ અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, લૃ, એ, ઐ, ઓ, ઔ. - તેમાં 'લૃ,' નો ઉપયોગ સાંપ્રત સાહિત્યમાં જોવા મળતો નથી.

સજાતીય સ્વર :
→ એ અને આ

→ ઈ અને ઇ

→ ઉ અને ઊ

વિજાતીય સ્વર
→ અ, આ ના વિજાતીય સ્વર ઈ. ઇ, ઉ, ઊ

→ ઇ, ઈ ના વિજાતીય સ્વર અ, આ,ઉ, ઊ

→ ઉ, ઊ ના વિજાતીય સ્વર અ, આઇ, ઇ, ઈ

વ્યંજન : જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો નથી, પણ કોઇપણ સ્વરની મદદથી જ તેનો ઉચ્ચાર થઇ શકે છે તેવા વર્ણને 'વ્યંજન' કહે છે.

→ આ વ્યંજનોની કુલ સંખ્યા ૩૩ છે.

સ્પૃષ્ટ : જીભ કે ઓષ્ઠના સ્પર્શથી થતા પ્રયત્નને 'સ્પૃષ્ઠ' પ્રયત્ન કહે છે.

→ જેમાં ક્ થી મ્ સુધીના ૨૫ વર્ણોના ઉચ્ચારણનો સમાવેશ થાય છે.

ઇષત્સ્પૃષ્ટ : ઓષ્ઠ અને જીભના સૂક્ષ્મ સ્પર્શથી થતા પ્રયત્નને 'ઇષત્સ્પૃષ્ટ' પ્રયત્ન કહે છે.

→ જેમાં ય્, ર્, લ્, વ્ જેવા ચાર અંતઃસ્થ ધ્વનિઓના ઉચ્ચારણનો સમાવેશ થાય છે.

વિવૃત : વધારે મુખ ખોલીને ઉચ્ચારાતા ધ્વનિઓને 'વિવૃત્ત' પ્રયત્ન કહે છે.

→ જેમાં અ થી ઔ સુધીના ૧૩ સ્વર ધ્વનિઓનો સમાવેશ થાય છે.

ઇષદવિવૃત : સહેજ મુખ ખોલીને ઉચ્ચારતા ધ્વનિઓને 'ઇષદવિવૃત' પ્રયત્ન કહે છે.

→ આમાં શ્, ષ્, સ્, અને હ્ એ ચાર ઉષ્માક્ષરનો સમાવેશ થાય છે.

સંવૃત : સામાન્ય રીતે મુખ બંધ રાખીને બોલવાથી થતા ઉચ્ચારણ ધ્વનિને 'સંવૃત' પ્રયત્ન કહે છે.

→ જેમાં 'અ' અને હ્રસ્વ 'હ્' નો સમાવેશ થાય છે.

વિવાર : મુખ ખોલીને ઉચ્ચારાતા ધ્વનિઓને 'વિવાર' કહેવામાં આવે છે.

સંવાર : મુખ સંકોચીને ઉચ્ચારાતા ધ્વનિઓને 'સંવાર' કહેવામાં આવે છે.

અઘોષ : જેમાં ઉચ્ચારણ વખતે સ્વરતંત્રીઓમાં કંપન ન થવાથી નાદ ઉત્પન્ન થતો ન હોય તે ધ્વનિઓ- 'અઘોષ' કહેવામાં આવે છે.

ઘોષ : જેમાં ઉચ્ચારણમાં સ્વરતંત્રીઓનાં કંપનથી નાદ ઉત્પન્ન થાય તેને 'ઘોષ' કહેવામાં આવે છે.

અલ્પપ્રાણ : જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતાં હવાની ઓછી જરૂર પડે તેને 'અલ્પપ્રાણ' કહે છે.

મહાપ્રાણ : જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતાં હવાના વધારે જથ્થાની જરૂર પડે તેને 'મહાપ્રાણ' કહે છે.

અંતઃસ્થ : જે વ્યંજનોનું ઉચ્ચારણ ગળાના અંદરના ભાગથી થાય છે તેને 'અંતઃસ્થ' કહે છે.

ઉષ્માક્ષર : જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે મુખમાંથી ઉષ્મા બહાર આવે છે તેને 'ઉષ્માક્ષર' કહે છે.

અનુનાસિક : જે વ્યંજનોનું ઉચ્ચારણ મુખ અને નાસિકામાંથી થાય છે તેને 'અનુનાસિક' કહે છે.

'કંઠ્ય': જેના ઉચ્ચારણમાં જીભનું મુળ કોમળ તાલુને સ્પર્શી કંઠમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તેને 'કંઠ્ય' વ્યંજનો કહે છે.

તાલવ્ય : જેના ઉચ્ચારણમાં જીભનો મધ્યભાગ કઠોર તાલુને સ્પર્શી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેથી તેને 'તાલવ્ય' વ્યંજનો કહે છે.

મૂર્ધન્ય : જેના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ ઊલટીને કઠોર તાલુના કોઈપણ ભાગને સ્પર્શી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેથી તેને ‘મૂર્ધન્ય' વ્યંજનો કહે છે.

દંત્ય : જેના ઉચ્ચારણમાં જીભ ઉપલા દાંતને સ્પર્શી ધ્વનિઓ ઉત્પન્ન કરે છે. આથી તેને 'દંત્ય' વ્યંજનો કહે છે.

ઓષ્ઠય : જેનું ઉચ્ચારણ બંને ઓષ્ઠના પરસ્પર સ્પર્શથી થાય છે તેવા વ્યંજનોને 'ઓષ્ઠય' વ્યંજનો કહે છે.

કંઠતાલવ્ય : 'એ' અને 'ઐ' ના ઉચ્ચાર સ્થાન કંઠ અને તાલુ બંને હોવાથી એમને 'કંઠતાલવ્ય' કહે છે.

કંઠયૌષ્ઠય : 'ઓ' અને 'ઓ' નાં ઉચ્ચાર સ્થાન કંઠ અને ઓષ્ઠય બંને હોવાથી એમને 'કંઠયૌષ્ઠય' કહે છે.

દંત્યૌષ્ઠય : 'ય' નાં ઉચ્ચાર સ્થાન દંત્ય અને ઓષ્ઠ બંને હોવાથી એને 'દંત્યૌષ્ઠય' કહે છે.

સંયુક્ત વ્યંજન : બે અથવા વધારે વ્યંજનો કે સ્વરો જોડાવાથી થતો વ્યંજન.

દા.ત.
→ પ્ર= પ્ + ર્ + અ

→ સ્ત્ર= સ્+ત્+ ર્ + અ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments