હિન્દી કવિ જાનકી વલ્લભશાસ્ત્રી
હિન્દી કવિ જાનકી વલ્લભશાસ્ત્રી
→ જન્મ : 5 ફેબ્રુઆરી, 1916 (ગયા, બિહાર)
→ અવસાન : 7 એપ્રિલ, 2011 (મુઝફફરપુર)
→ તેઓ સંસ્કૃત તથા હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ, વિવેચક, લેખક હતાં.
સાહિત્ય ક્ષેત્રે યોગદાન
→ તેમનું પ્રથમ ગીત કિસને બાંસુરી બજાઈ ખૂબ જ લોકપ્રિય થયું હતું.
→ તેમની સંસ્કૃત કવિતાઓના પ્રથમ સંસ્કરણ કાકલીના પ્રકાશન પછી અભિનવ જયદેવના નામથી ઓળખાવા લાગ્યા હતા.
→ કાવ્યસંગ્રહ : બાલલત્તા, રૂપ - અરૂપ, હંસ કિંકિણી, વિતાન, મેઘગીત, તીર- તરંગ, તમસા, ઇરાવતી, પાષાણી
→ નાટકો : દેવી, જિદગી , આદમી
→ લલિત નિબંધ : મન કી બાત, જો ન બિક સકી
→ ગઝલ સંગ્રહ : સુને કૌન નગમા
→ તેઓએ રાધા નામના મહાકાવ્યની રચના કરી હતી.
→ તેઓએ લખેલા છંદબદ્ધ કાવ્યો ગાથા નામના સંગ્રહમાં સંગ્રહિત થયાં છે.
→ તેમણે કાલીદાસ નામના ઉપન્યાસની પણ રચના કરી છે.
→ તેઓને વર્ષ 2010માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં, પરંતુ તેમણે સ્વેચ્છાએ તેનો અસ્વીકાર કર્યો હતો.
→ તેમને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ભારત ભારતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ આ ઉપરાંત તેમને રાજેન્દ્ર શિખર અને શિવ સહાય પૂજન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments